પંચમ

વિકિપીડિયામાંથી

પંચમભારતીય સંગીત શૈલીના સ્વરસપ્તક પૈકીનો પંચમ સૂર છે. આ સ્વરનો ઉચ્ચાર 'પ' છે. આ સૂર ખૂબ જ મીઠો અને કર્ણપ્રિય હોય છે. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે અને વાતાવરણમાં પ્રસન્નતા ફેલાવે છે. કોયલનો મીઠો અવાજ પંચમ સૂર હોય છે. કૃષ્ણની મોરલી પણ પંચમ સૂરમાં વાગતી હતી અને તેને સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જતા હતા. ભરતનાટ્યમ મુજબ આ સ્વર રતિ-કામક્રિડા, હાસ્ય અને પ્રસન્નતાનો દ્યોતક છે.[૧] ગુજરાતી ભાષામાં ક્યારેક કટાક્ષમાં અપ્રિય સ્વરોને પણ પંચમ સૂર કહેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]