પાંચટોબરા (તા. ગારીયાધાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લામાં આવેલા ગારીયાધાર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ગારીયાધારથી ૩ કિમી. ઉત્તર દિશામાં આવેલું છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, નમુના રૂપ હવાડો તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સામાજિક અગ્રણી[સંદર્ભ આપો] રામજીભાઈ શામજીભાઈ ઈટાલિયા અને તેમના નાના ભાઇ લેખક, વક્તા[સંદર્ભ આપો] વલ્લભભાઈ ઈટાલિયા આ ગામના મૂળ વતની છે. ગામના પ્રવેશદ્વાર પર રામજીભાઈ ઈટાલિયાના આદર અર્થે દરવાજો બનાવવામાં આવેલો છે.