પીરમબેટ
| colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7
</noinclude>; font-size: 1.5em; text-align: center" | પીરમ બેટ |
|
|
|
|
| style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7 | style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7 |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- ૧ થી ૨ મીટર m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(કોઇ સ્થાયી વસ્તી નથી) - ગીચતા |
કોઇ સ્થાયી વસ્તી નથી - કોઇ સ્થાયી વસ્તી નથી/ચો.કીમી |
</noinclude>
ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે. મશિનવાળી હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. અહીંથી ઘણા પુરાતન અવશેષો મળી આવ્યા છે. જૂની મૂર્તિઓ અને પ્રાણીઓના અશ્મિઓ હાથ લાગ્યા છે, તેથી એમ કહી શકાય કે કોઇ કાળે અહીં મોટું નગર હશે. પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે. બેટ પર એક દીવાદાંડી પણ છે. ઓગષ્ટ થી સપ્ટેમ્બર મહીના દરમ્યાન અહીંયા ઓલિવ રીડલી દરીયાઇ કાચબા અને લીલા દરિયાઇ કાચબા રાત્રીના ભરતીના સમય દરમ્યાન સમુદ્રકિનારાની રેતીમાં ઇંડા મુકવા આવે છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
ભારતની આઝાદી પહેલાના સમયમાં પીરમ ટાપુ ભાવનગર રાજ્યનો હિસ્સો હતો. ભાવનગર રાજ્યએ ખંભાતના અખાતના આ ભાગમાં થતા વહાણવટા પર નજર રાખવા ટાપુના અગ્નિ ખુણામાં એક બુરજ બનાવ્યો હતો. બ્રિટીશરાજ્ય દરમ્યાન આ જગ્યા વ્યુહાત્મકરીતે અગત્યની લાગતા એમણે ૧૮૬૪ / ૬૫ ના વર્ષો દરમ્યાન અહીં ૨૪ મીટર ઉચી દીવાદાંડીની ઇમારત બનાવી. ભાવનગરના જાણીતા કેળવણીકાર અને પ્રકૃતિવિદ્ દીપકભાઈ મેહતાએ પીરમબેટના પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ સુધારણા, વનિકરણ, અને જળસંગ્રહ બાબતે ૧૯૮૮થી ૧૯૯૫ના વર્ષ દરમ્યાન અહીં ધણી પ્રકૃતિ શિક્ષણ શિબિરો પિરમબેટ યોજેલ.
[ફેરફાર કરો] પીરમબેટ પરની દીવાદાંડીની માહિતિ
| ક્રમ | ઓળખ / ખાસીયત | વર્ણન |
|---|---|---|
| ૧ | પ્રકાશનો ઝબકારો થવાનો સમય | દર ૧૫ સેકંડ |
| ૨ | મિનારો | કાળા અને સફેદ પટ્ટાઓ ધરાવતો ૩૦ મીટરની ઉચાઇ ધરાવતો મિનારો |
| ૩ | સમુદ્રતળથી ઉચાઇ | ૩૩ મીટર |
| ૪ | સમુદ્રમાં પ્રકાશ વિતરણનો ક્ષેત્રવિસ્તાર | ૨૪ નોટીકલ માઇલ્સ |
| ૫ | પ્રકાશનું સાધન | બે મીટરનો વ્યાસ ધરાવતા લાલટેન ઘરમાં ૧૦૦ મિ.મિ. નુ એક એવા બે ચળકતા નળાકાર અરીસાની બે હારમાળામાં ગોઠવણી |
| ૬ | જરૂરી ઉર્જાનું ઉગમસ્થાન | ૪૪૦V, ૫૦ H નો મુખ્ય વિજળીનો પ્રવાહ અને એક વધારાનું જનરેટર |
| ૭ | સ્થાપનાનું વર્ષ | ૧૮૬૫ અને એ પછી અનુક્રમે ૧૮૭૬, ૧૯૩૫, ૧૯૬૨, ૧૯૬૭,૧૯૮૭,૧૯૯૨, ૧૯૯૬,૨૦૦૩,૨૦૦૪ માં વિવિધ નવિનીકરણ હાથ ધરાયુ. |