પોરબંદર
| colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7
</noinclude>; font-size: 1.5em; text-align: center" | પોરબંદર |
|
|
|
|
| style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7 | style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7 |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- 0 m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૧૩૩,૦૮૩ - |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૬૦૫૭૫ - +? - ? |
પોરબંદરભારત ના ગુજરાતરાજ્યનું સમુદ્રકાંઠાનું શહેર છે,તે મહાત્મા ગાંધી અને સુદામા ના જન્મશ્થાન તરીકે વિશ્વપ્રસ્ધ્ધિ છે.આ પોરબંદર જિલ્લાનું વડુંમથક છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] શહેર
"પોરબંદર"નામ બે શબ્દોની સંધી વડે બનેલું છે: "પોરઇ",સ્થાનિક માતાજીનુ નામ, અને "બંદર" મતલબ કે પોર્ટ.ઘણી જગ્યાએ આ શ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે,આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છે;આ શહેર 'સુદામાપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.સુદામા ક્રુષ્ણ ના બાલસખા હતા,જે અહીં નિવાસ કરતા.આ શહેર ભારતના પશ્ચિમકાંઠે વસેલ છે.,પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. અંદાજે ૧,૫૦,૦૦૦ (૨૦૦૧ વ.ગ.મૂજબ)થીવધુ ની વસ્તી ધરાવે છે.મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે,પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બનેલ છે અને એરપોર્ટ તથા રેલ્વેલાઇન થી જોડાયેલ છે.અહીંનુ બંદંર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવેલ છે.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
- કિર્તીમંદિર (મહાત્મા ગાંધીની જન્મભુમી)
- સુદામા મંદિર
- ભારત મંદિર
- ગીતા મંદિર
- ગાયત્રી મંદિર
- રોકડીયા હનુમાન મંદિર
- સાંદિપની વિધ્યાનિકેતન
- પક્ષી અભ્યારણ
- રાણાસાહેબ નો મહેલ
- ચોપાટી
- સત્યનારાયણ નું મંદિર
- કમલાનહેરૂ બાગ
- સાંઇબાબા મંદિર
- શ્રીહરી મંદિર
- તારા મંદિર
- સ્વામીનારાયણ મંદિર
શૈક્ષણીક સંસ્થાઓ
- પોરબંદર નુ આર્ય કન્યા ગુરૂકુલ સારાયે ભારતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ખુબજ પ્રખ્યાત અને મહત્વનું શૈક્ષણીક સંકુલ છે.આ અનોખી સંસ્થામાં પ્રાચીન વૈદિકભારતની અને આધુનિક શિક્ષણપધ્ધતીના સમન્વયરૂપ શિક્ષા આપવાનમાં આવે છે.આ સંસ્થા શ્રી નાનજી કાલીદાસ મહેતા એ સ્થાપેલ.
- એમ.ઇ.એમ.સ્કુલ. પોરબંદરની પ્રથમ ઇંગલીશ મિડીયમ સ્કુલ જેમાં ઘણા ડોક્ટર,વકીલો,પ્રોફેસરોએ શિક્ષણ મેળવેલ છે.
- વિક્ટોરીયા જ્યુબીલી મદ્રેસા બોયસ & ગર્લસ હાઇસ્કુલ,શેઠ હાજી અબદુલ્લા ઝવેરીએ આ ૧૨૦ વર્ષ જૂની શૈક્ષણીકસંસ્થા નો પાયો નાખેલ,તેઓ નાતાલ ઇન્ડીયન કોન્ગ્રેસ ના સ્થાપક પ્રમુખ હતા,જેમણે ગાંધીજીને પ્રથમ વખત દ.આફ્રીકા બોલાવેલ.વિ.જે.એમ.ગર્લસ હાઇસ્કુલ IGNOU નું પોરબંદર ખાતે સ્પેશીયલ સ્ટડી સેન્ટર ધરાવે છે.આ સંસ્થાનો કારભાર પોરબંદર મદ્રેસા ટ્રસ્ટ,ડરબન(દ.આફ્રીકા)કરે છે.
- ડો.વિ.આર.ગોઢાણીયા કોલેજ- સંચાલન શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ,પોરબંદર કરે છે.આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિ.સાથે સંલગ્ન છે.કોલેજમાં ફક્ત બહેનો માટે સવારે B.A., B.Com (Gujarati and English Medium) , B.Sc(Home Science) અને બપોર પછી સહશિક્ષણ માં B.C.A., P.G.D.C.A., D.C.S, M.A. (English - Literature) and B.Ed.નાં કોર્ષ ચાલે છે.ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ગુજરાત દ્વારા અહીં An English Language Laboratory (ELL)પણ ચાલે છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
[ફેરફાર કરો] હરપ્પન સંસ્ક્રુતિ(1600-1400 BC)
પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલ પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે,આ વિસ્તાર ઇસાપૂર્વ ૧૬મી થી ૧૪મી સદીની હરપ્પન સંસ્ક્રુતિ સાથે સંબંધ ધરાવે છે.જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે.પોરબંદર હરપ્પન સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રીબંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓ થી જાણવા મળે છે.
[ફેરફાર કરો] રાજાશાહી પોરબંદર(ઇ.સ.૧૬૦૦ પછી)
અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું.રાજ્યકર્તાઓ જેઠવા ખાનદાનના રાજપૂત રાજાઓ હતા,જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય શ્થાપેલ.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો.કિ.મી.૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧૦૦,૦૦૦ ઉપર(૧૯૨૧ ઇ.સ.)હતી.૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ|.૨૧,૦૦,૦૦૦/-હતી.રાજ્યકર્તાને "મહારાજા રાણાસાહેબ"નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.
[ફેરફાર કરો] સાંપ્રત સ્થીતિ
દુનિયાનાં મહાન નેતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે,પરંતુ પ્રવાસી સગવડોનો હજૂ થોડો અભાવ લાગે છે.હા,કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર રીનોવેટ કરી અને તેને 'શાંતિનું મંદિર' બનાવવાનું કામ થાય છે.
પોરબંદરનો સુંદર દરીયાકિનારો અને ચોપાટી સરસ ટુરીસ્ટસ્પોટ બને તેમ છે.સત્તાવાળાઓએ ત્યાં સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે,સ્વચ્છતા તથા સુઘડતા પર હજૂ વધુ ધ્યાન આપી અને તેને લોકભોગ્ય બનાવવાની જરૂર છે.
ફીશરીઝ અને મચ્છીની નિકાશ,પોરબંદરના મુખ્ય રોજગાર છે.જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે.અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાશકારો છે.
પોરબંદર નાં હાલનાં સંસદસભ્યશ્રી : શ્રી હરીલાલ માધવજીભાઇ પટેલ.
પોરબંદર નાં હાલનાં ધારાસભ્યશ્રી : શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા.
આપ વધુ જાણકારી માટે કલેક્ટરશ્રી પોરબંદર ની વેબ જોઇ શકો છો. http://collectorporbandar.gujarat.gov.in/
[ફેરફાર કરો] ભુગોળ
પોરબંદર નું ભૌગોલીક સ્થાન .[૧] સમુદ્રથી ઊંચાઇ 0 મી. (0 ફૂટ).
[ફેરફાર કરો] આંકડાકીય માહિતી
As of 2001 India census,[૨] પોરબંદર ની વસ્તી ૧૩૩,૦૮૩. પૂરૂષો ૫૧ % અને મહિલાઓ ૪૯ %. શિક્ષણનો દર ૭૩ %, જે રાષ્ટ્રીય એવરેજ ૫૯.૫ % કરતાં ઊંચો છે: પૂરૂષ શૈક્ષણીકતા ૭૯ %, અને સ્ત્રી શૈક્ષણીકતા ૬૭ %. વસતિના ૧૧ % ૬ વર્ષથી નિચેનાં બાળકો છે.અભણ-૨૨૦૬૬૩/ભણેલ-૩૧૬૧૭૨.(માહિતી:ગુજ.સરકાર)
[ફેરફાર કરો] પોરબંદર તાલુકાનાં ગામો
[ફેરફાર કરો] સંદર્ભ સુચી
- ↑ Falling Rain Genomics, Inc - Porbandar
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999. Retrieved on 2008-11-01.
