ડૉ. ભીમરાવ રામજી આંબેડકર

વિકિપીડિયા થી

(બાબાસાહેબ આંબેડકર થી અહીં વાળેલું)
સીધા આના પર જાઓ: પ્રદક્ષિણા, શોધો
ભારતનાં બંધારણનાં ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર
ભારતનાં બંધારણનાં ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર

ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકર એક અભ્યાસુ અર્થશાસ્ત્રીરૂપે ઓળખાતા હતા. જે મહારાજા સયાજીરાવએ આંબેડકરજીને વડોદરા સ્ટેટમાં નોકરી આપી અને પછી મહિને સાડા અગિયાર પાઉન્ડની સ્કોલરશિપ આપીને કોલંબિયા યુનિ.માં ભણવા મોકલ્યા. બાબાસાહેબ આંબેડકરને સર્વક્ષેત્રીય જ્ઞાન હતું. બહુમુખી પ્રતિભા હતી. કાનૂન, ફિલસૂફી, રાજકારણ, સમાજશાસ્ત્ર અને અથર્શાસ્ત્ર તમામનું ઊંડું જ્ઞાન હતું.


તેમનું સૂત્ર હતું: એજયુકેટ! ઓર્ગેનાઇઝ! એજીટેટ! ખૂબખૂબ ભણો. સંગિઠત થાઓ, અને સંઘર્ષ કરો. લડો. લડ્યા વગર કંઈ મળવાનું નથી. આટલી પંચાત કર્યા પછી અાપણે હવે મુંબઈની સિડનહેમ કૉમર્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બનેલા. ‘લંડન યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જઈને ઇન્ડિયા ઓફિસમાં જઈને આંબેડકરજી અર્થશાસ્ત્રનાં પુસ્તકો ખાસ વાંચતા. વાંચતાં વાંચતાં ભૂખ લાગે તો એક કપ ચા અને સાથે એક પાપડથી કામ ચલાવી લેતા. આ કરકસર તેમનું અંગત અર્થશાસ્ત્ર હતું. તેમને મળતી સ્કોલરશિપમાંથી ય તે પૈસા બચાવતા. બસને બદલે પગે ચાલીને જતા.’ કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા પછી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસની ડિગ્રી લઈ તેમણે ઘણા યુરોપના દેશોના અર્થતંત્રનો અભ્યાસ કર્યો.


‘ધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્સિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા’ નામનો ગ્રંથ આંબેડકરજીએ લખ્યો. તેની પ્રસ્તાવના મહાન અર્થશાસ્ત્રી પ્રો. એડવીન આર.એ. સૈલિગમને લખેલી.