બારડોલી સત્યાગ્રહ
ઈ.સ. ૧૯૨૮માં થયેલ બારડોલી સ્ત્યાગ્રહ એ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે.આ સ્ત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાતાને કારણે સરદાર વલ્લભભઅઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] પાર્શ્વ ભૂમિ
મહાત્મા ગાંધીએ ભારતના પછાત ક્ષેત્રોના ગરીબ ખેડૂતો પર બ્રિટિશ રાજ અને જમીન દારો દ્વારા થતા અન્યાય સામે બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડા જિલ્લામાં આદોલનો કર્યાં હતાં. આ બંને ચળવળની સફળતાને પરિણામે ખેડૂતોને તેમના આર્થિક અને નાગરિક હક્કો મળ્યાં હતા અને ભારતીય જનતામાં એક નવી ચેતનાનો સંચાર થયો હતો.
૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ ગાંધીજેની આગેવાની હઠળ અસહકારની ચળવળ શરૂ કરી હતી. કરોડો ભારતીયો બ્રિટિશ સરકાર વિરુદ્ધ મેદાને ચડ્યાં. તેમણે ન્યાયાલય, સરકારી સેવાઓ, સરકારી શાળાઓ, સરકારી ખિતાબો, બ્રિટેશ કાપડ અને માલ આદિનો બહિષ્કાર કર્યો. સ્વતંત્રતાની લડતના સૈનિકોને સ્ત્યાગ્રહીઓ કહેવાતા. તેમો તાનાશાહી બ્રિટિશ કાયદાઓ વિરુદ્ધ શાંતિપૂર્વક પ્રદર્શન કે તેનો વિરોધ કરતાં અને ભરતની સ્વતંત્રતાની માંગણી કરતાં. આમાં હજારો લાખો લોકોને મારવામાં આવતાં, ત્રાસ અપાતો અને જેલમાં નખાતા.
તે ચળવળ દરમ્યાન ૧૯૨૨માં ચૌરી ચોરા ગામમાં ક્રોધે ભરાયેલા ટોળાએ અમુક પોલીસને મારી નાખ્યાં. આમ આગળ જતા આ આંદોલન હિંસક રૂપ ધારણ કરી શકે છે તેમ લાગતાં ગાંધીજીએ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી. તેમને અટક કરવામાં આવી અને ૬ વર્ષના કરાવાસની સાઅ કરવામાં આવી, પરંતુ તેમને ૧૯૨૪માં છોડી મૂકવામાં આવ્યાં. આ ચલવળમાં ઘણાં લોકોએ સરદાર પટેલને બારડોલીના રાજાનું નામ આપ્યું
[ફેરફાર કરો] કટોકટી
૧૯૨૫માં ગુજરાતના બારડોલીમાં પુર આવ્યું અને ભૂખમરો ફેલાયો. આને પરિણામે ખેતી પર અસર પડી અને ખેડૂતોને ખૂબ આર્થિક મુશ્કેલી પડવા લાગી. આમ હોવ છતાં બોમ્બે પ્રેસીડેન્સી સરકારે તે વર્ષે કરમાં ૩૦% નો વધરો કર્યો અને નાગરિ સંગઠનો દ્વારા મુકવામાં આવેલી કર રાહતની અરજીઓને પણ નામંજૂર કરી દીધી. ખેડૂની સ્થિતી અત્યંત દયનીય હતી. જ્યારે તેમને પોતાને ખાવાના સાંસા હતા ત્યાં કર ભરવા માટે તેમની પાસે પાક કે કોઈ અસ્કાયત ક્યાંથી હોય?
[ફેરફાર કરો] વિકલ્પોનો વિચાર
ગુજરાતના સામાજીક કાર્યકરો જેવા કે નરહરી પરીખ, રવિ શંકર વ્યાસ અને મોહનલાલ પંડ્યા એ ગામડાઓના સરપંચો અને ખેડૂતો સાથે ચર્ચા કરી ગુજરાતના પ્રમુખ સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની મદદ લેવાનું નક્કી કર્યું. આની પૂર્વે થયેલી ખેડા જિલ્લાની ખેડૂતોની ચળવળમાં સરદાર પટૅલે માર્ગદર્શન કર્યું હતું. તેઓ હાલમાં જ અમદાવાદની નગર પરિષદના પ્રમુખ પણ બન્યા હતાં. સમગ્ર રાજ્યમાં સામાન્ય ગુજરાતીઓ દ્વારા તેમને ખૂબ માનની નજરે જોવાતા હતાં.
પટેલ એ ખેડૂતોને મુક્ત મને ખેડૂતોના શિષ્ટ મંડળને પૂછ્યું કે ક્રાંતિ પરિણામો કેવા હોઈ શકે તેની તેમને જાણ છે કે? જો સહભાગી ગામડાના લોકોની આ ચળવળ માટે એકમતે સહેમતી અને ભાગીદારી હશે તોજ તેઓ તેમનું નેતૃત્વ કરશે. કર ન ભરવાથી તેમની અસ્કાયતો પર કબ્જો થઈ શકે, તેમની જમીન પણ છીનવઈ શકે અને તેમણે જેલમાં પણ જવું પડે. તેઓ સંપૂર્ણ વિનાશને આરે પણ પહોંચી શકે છે. તે વાત તેમણે લોકોને બતાવી. ગામડાના લોકોએ તેમને જણાવ્યું કે કોઈ પણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર છે પણ તેઓ સ્રકારનો અન્યાય સહન નહીં કરે.
ત્યાર બાદ વલ્લભભાઈ પટેલે ગાંધીજીને આ મુદ્દો હાથ લેવા જણાવી. જે વાત સરદાર પટેલે પૂછી હતી તેજ વાત ગાંધીજીએ તેમને પૂછી અને સરદાર પટેલે આત્મવિશ્વાસ સાથે તેનો જવાપ આપતાં ગાંધીજીએ આગળ વધાવા આશીર્વાદ આપ્યાં. એક વાત પર સહેમતી રહી કે રાષ્ટ્રીય મહાસભા કે ગાંધીજી સીધી રીતે આ ચળવળમાં શામિલ થશે નહી અને આ ચળવળનો સંપૂર્ણ મદાર અને દાયિત્વ બારડોલી તાલુકાના લોકોની રહેશે.
[ફેરફાર કરો] ચળવળ
સૌ પ્રથમ સરદાર પટેલે મુંબઈના ગવર્નરને આપેલ પ્રાકૃતિક વિપદાઓને કારણે કરવેરામાં રાહત માંગતો પત્ર લખ્યો. પણ ગવર્નરે તે પત્રની અવગણના કરી અને ઉલટા કર જમા કરવાની તારીખની ઘોષણા કરી.
ત્યાર બાદ સરદાર પટેલે બારડોલી તાલુકાના સૌ ખેડૂતોને કર ન ભરવાની સલાહ આપી. પરીખ, વ્યાસ અને પંડ્યાની મદદ વડે તેમણે સમગ્ર બારડોલીને નાના બવિભાગમં વહંચી દીધો અને દરેક ભાગમાં સ્વયંસેવકો ફાળવ્યા. આ સાથે સરકારી અધિકારીઓની હાલ ચાલ પર નજર રાખવા તેમણે સરકાર થી નજીક હોય તેવા ગુજરાતી કર્યકરો પણ ગોઠવ્યા.
આ બધાથી ઉપર તેમણે સૌ ખેડૂતોને અહિંસક રહેવા ખાસ ચેતવણી આપી અને સરકારી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારજો દમન કરતાં કોઈ પણ પ્રતિઘાત ન કરવા જણાવ્યું. તેમણે ખેડૂતોને ખાત્રી આપી કે માત્ર ક્ર માફી જ નહી પણ જ્યં સુધી ખેડૂતોને તેમની જપ્ત કરેલી જમીન પાછી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
બારડોલીના ખેડૂતોને સમગ્ર ગુજરાતના સાથીઓ તરફથી ટેકો મળ્યો. ઘણાં ખેડૂતોએ તેમની મિલ્કત આદિ તેમના સગા સંબંધીઓ પાસે સંતાડી દીધી હતી. રાજ્યના અન્ય લોકો તરફથી તેમને આર્થિક મદદ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી હતી. પણ સરદાર પટેલે ગુજરાત અને બહારના અન્ય લોકો દ્વારા સાંત્વન વિરોધ શરૂ કરવાની સાફ મનાઈ કરી.
સરકરે જાહેરાત કરી કે તે આ ચળવળને દાબી દેશે. ખેડૂતોની જમ્નીન મિલ્કત જપ્ત કરવા અને ડરાવવા માટે કરવેરાના ઈન્સપેક્ટર સાથે વાયવ્ય ભરતમાંથેએ પઠાણની ટોળીઓને મોકલવામાં આવ્યાં. પઠાણો અને કલેક્ટરના માણસો લોકોના ઘરોમાં બળજબરીથી ઘૂસી જતાંઅ ને તેમની વસ્તુઓ અને ઢોર પણ લઈ જતાં.
સરકારે ખેડૂતોની જમીન અને ઘરોની લીલામી શરૂ કરી, પણ ગુજરાત કે ભારતમાંથી એક પણ માણસ તેમાં ભાગ લેવા આગળ આવ્યો નહીં. સરદાર પટેલે સ્થિતી પર નજર રાખવા દરેક ગામમાં સ્વયં સેવકો નીમ્યા હતાં. જેવા કોઈ ગામમાં અધિકારીઓ લીલામી માટે આવતાં જોતા કે સ્વયં સેવકો બ્યુગલ વગાડતા. તે સાંભળી ખેડૂતો ગામ છોડીને આસપાસના જંગલમાં સંતાઈ જતાં. અધિકારીઓને સંપૂર્ણ ગામ ખાલી મળતું. અને કયું ઘર કોની માલિકીનું છે તેની તેમને ક્યારે પણ ખબર પડતી નહીં.
તેમ છતાં મુંબઈ ના અમુક અમીર લોકો જમીન ખરીદવા માટે આવ્યાં હતાં. અને એક ગામે કર વેરો ભર્યો હોવાનું પણ નોંધાયું છે. તે ગામ સામે સંપૂર્ણ સામાજિક બહિષ્કાર શરૂ કરાયો અને તેમની સાથે લોકોએ સંબંધ તોડી નાખ્યાં.
મુંબઈ અન્મે ભારતની અન્ય સ્થળોના વિધાન મંડળો (legislative councils) ના સભ્યો ખેડૂતો પર કરાયેલ અત્યાચારને કારણે ક્રોધે ભરાયા હતાં. ભારતીય સભ્યોએ તેમના પદ પરથી રાજીનામા આપ્યાં અને ખેડૂતોને ટેકો જાહેર કર્યો. સરકારની પ્રખર નિંદા થઈ. બ્રિટિશ રાજના કાર્યાલયોએ જ પોતે સરકરનો વિરોધ કર્યો.
[ફેરફાર કરો] ઠરાવ
૧૯૨૮માં મુંબઈ સરકારના પારસી સભ્યો દ્વારા એક કરારની પહેલ થઈ. સરકારે લોકોની જપ્ત કરેલી મિલ્કતો પાછી આપવાની કબૂલાત કરી, તે વર્ષ્હનો કરવે રો માફ કર્યો અને ૩૦% નો ઘોષિત કરેલો વધારો પણ આવનાર વર્ષ સુધી પાછો લીધો.
ખેડૂતોએ તેમની જીતનો ઉત્સવ મનાવ્યો.પણ સરદાર પટેલે દરેક ખેડૂતને તેની જમીન પાછી મળે તે કાર્ય પર નજર રાખવાનું કાર્ય જારી રાખ્યું. જ્યારે લીલામી માં ખરીદાયેલ જમીન પાછી માંગવાની અંગ્રેજ સરકારે ના પાડી ત્યારે અમીર ખરીદારો એ સ્વેચ્છાએ પોતાનો હક્ક જતો કરી જમીન તેના માલિકને સુપરત કરી.
[ફેરફાર કરો] યાદગિરી
બારડોલી ચળવળની સફળતાથી સમગ્ર દેશની સ્વતંત્રતાને લડતને નવો આવેગ મળ્યો. ત્યાર બાદ ૧૯૩૦માં ભરતીય મહાસભાએ ભારતની સ્વતંત્રતાની ઘોષણા અને ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ કર્યો.
સરદર પટેલે આ ચળવળની સફળતાનો શ્રેય ગાંધીજીની સીખ અને ખેડૂતોની અડગતાને આપ્યો જ્યારે સમગ્ર દેશમાં સરદાર પટેલના નેતૃત્વના વખાણ થયા. આ ઘટના પછી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું. આ ઘટના પછી સરદાર પટેલ સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યાં.