બાલાભાઇ વી. દેસાઇ
વિકિપીડિયા થી
બાલાભાઇ વી. દેસાઇ એટલે "જયભિખ્ખુ". ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર બાલાભાઇનો જન્મ ઇ.સ. ૧૯૦૮ના વર્ષમાં થયો હતો. તેમણે નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નાટકો, ચરિત્રો ઉપરાંત બાળકિશોર સાહિત્યમાં વિપુલમાત્રામાં પ્રદાન કર્યું હતું. તેમણે લેખન તેમ જ પત્રકારિત્વને પોતાનો વ્યવસાય માની આજીવન કલમ વડે વિવિધ રચનાઓ ગુજરાતી સાહિત્યને અર્પણ કરી હતી. તેમણે શરુ કરેલી "ઇંટ અને ઇમારત" કોલમ "ગુજરાત સમાચાર" સમાચારપત્રમાં આજે પણ ચાલુ છે, જે એમના અવસાન પછી એમના પુત્ર કુમારપાળ દેસાઇ લખી રહ્યા છે.લગભગ ૩૦૦ જેટલી રચના કરનાર બાલાભાઇ દેસાઇનું અવસાન ઇ.સ. ૧૯૬૯ના વર્ષમાં થયું હતું. આવા સુપ્રસિધ્ધ લેખકની યાદગીરીમાં 'જયભિખ્ખુ' એવોર્ડ એનાયત કરવામાં આવે છે.