બાલેશ્વર જિલ્લો

વિકિપીડિયામાંથી

બાલેશ્વર જિલ્લો અથવા બાલાસોર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બાલેશ્વર જિલ્લાનું મુખ્ય મથક બાલેશ્વર શહેર ખાતે આવેલું છે.

દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા આ જિલ્લામાંથી પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ અમૂક ભાગ છુટો પાડી ભદ્રક જિલ્લાની રચના કરવામાં આવી હતી.