બ્રહ્મા
વિકિપીડિયા થી
જગત ના રચેયતા બ્રહ્માજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. બ્રહ્મા જગતનાં આદિ દેવ ગણવામાં આવે છે, અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી તેમનું એક નામ પ્રજાપતી પણ છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જન્મ
પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્મા અજન્મા છે, એટલે કે તેમનો જન્મ નથી થયો, બીજા શબ્દોમાં કહીએ તો તેમની કોઇ માતા નથી. તેમની ઉત્પત્તિ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થઇ છે. તેઓ વેદોનાં પિતા છે અને પ્રાગટ્યથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં માથુ ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તક વાળી છબીઓ જોવા મળે છે, જે ખરૂં નથી.
[ફેરફાર કરો] પરિવાર
માતા સરસ્વતિ કે જે વિદ્યાની દેવી છે, તે બ્રહ્માની પત્નિ છે. બ્રહ્માએ પૃથ્વી ઉપર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ અને પક્ષી વિગેરે બનાવ્યા પછી, મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે, માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ પડ્યું (મનથીઇ જન્મેલો). બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ પુરાણો અનુસાર, આપણે સહુ, આ મનુનાં સંતાનો છીએ, માટે મનુષ્ય શબ્દની સંધિ નીચે મુજબ છુટી પડે છે, અથવા શબ્દની ઉત્પત્તિ નિચે મુજબ વર્નવી શકાય,
-
-
-
-
- મનુ:+ય/જ (મનુ જાયા-મનુ દ્વારા જન્મેલા) = મનુષ્ય
-
-
-
[ફેરફાર કરો] ફિલોસોફી
હિંદુ ફિલોસોફી પ્રમાણે, બ્રહ્મા સૃષ્ટિનાં સર્જક, વિષ્ણુ પાલક અને શિવ સંહારક છે.
[ફેરફાર કરો] પુજન
ભારતમાં બ્રહ્માની પુજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક સમાજ બ્રહ્માનું પુજન કરે છે, અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકિનું એક ગુજરાતમાં ખેડબ્રહ્મામાં અને બીજું રાજસ્થાનનાં પુષ્કરમાં છે. આ ઉપરાંત ગોવામાં અને હિમાચલ પ્રદેશમાં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત બ્રહ્માની પુજા થતી હોય.