ભગવતીકુમાર શર્મા
| ભગવતીકુમાર શર્મા | |
|---|---|
| 225px |
|
| જન્મની વિગત | ૩૧મી મે, ૧૯૩૪ સુરત |
| અભ્યાસ | બી.એ. |
| વ્યવસાય | પત્રકારત્વ અને લેખન |
| ખિતાબ | નવચેતન ચંદ્રક, કુમાર પારિતોષિક, રણજિતરામ ચંદ્રક, મુંબઇ સરકારનું પારિતોષિક, ગુજરાત સરકારનો પુરસ્કાર, ગોવર્ધનરામ એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર,'વલી'ગુજરાતી ગઝલ એવોર્ડ-૨૦૧૧ |
| જીવનસાથી | જ્યોતિબહેન |
| માતા-પિતા | હીરાબહેન અને પિતાજીનું નામ હરગોવિંદભાઈ |
</noinclude>
ભગવતીકુમાર શર્મા એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ ગુજરાત રાજ્યના સુરત ખાતે થયો હતો. ભગવતીકુમાર શર્માનાં માતાજીનું નામ હીરાબહેન અને પિતાજીનું નામ હરગોવિંદભાઈ હતું. તેમનાં ધર્મપત્નીનું નામ જ્યોતિબહેન હતું. તેમણે બી.એ. સુધીનું શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વ અને લેખનનું નો વ્યવસાય કર્યો. તેમને આજ સુધીમાં તેમણે પોતે ૩૦ થી વધુ પુસ્તકો, સંભવ, છન્દો છે પાંદડાં જેનાં, ઉજાગરો નામે કાવ્ય સંગ્રહો, અસૂર્યલોક@, ઊર્ધ્વમૂલ+, સમયદ્વીપ, આરતી અને અંગાર, વીતી જશે આ રાત?, રિક્તા નામે નવલકથાઓ દીપ સે દીપ જલે* , હૃદયદાન ં, રાતરાણી, છિન્ન ભિન્ન , અડાબીડ, વ્યર્થ કક્કો - છળ બારાખડી, તમને ફૂલ દીધાનું યાદ નામે નવલિકાઓ, શબ્દાતીત, બિસતંતુ નામે નિબંધ, સરળ શાસ્ત્રીજી નામે જીવન ચરિત્ર, નિર્લેપ ( ચાર ભાગ ) નામક હાસ્ય લેખો, સાત યુગોસ્લાવ વાર્તાઓ. આષાઢનો એક દિવસ નામના અનુવાદ વળી શ્વાસ ઉચ્છ્વાસ , ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ નું સંપાદન તેમણે કર્યું છે. અને છેલ્લા 25 વર્ષનું ગુજરાતી પત્રકારિત્વ તેઓ કરી રહ્યા છે.
[ફેરફાર કરો] સન્માન
- નવચેતન ચંદ્રક
- કુમાર પારિતોષિક
- રણજિતરામ ચંદ્રક
- મુંબઇ સરકારનું પારિતોષિક
- ગુજરાત સરકારનો પુરસ્કાર
- ગોવર્ધનરામ એવોર્ડ
- સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર
- 'વલી'ગુજરાતી ગઝલ એવોર્ડ-૨૦૧૧ .