ભારત રત્ન
વિકિપીડિયાથી
| ભારત રત્ન | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| પ્રકાર | નાગરિક | |
| શ્રેણી | રાષ્ટ્રીય | |
| શરૂઆત | ૧૯૫૪ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૦૯ | |
| કુલ પુરસ્કાર | ૪૧ | |
| પુરસ્કાર આપનાર | ભારત સરકાર | |
| વર્ણન | પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં भारत रत्न લખેલ હોય છે | |
| પ્રથમ વિજેતા | ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન સી.રાજગોપાલાચારી ડો.સી.વી.રામન |
|
| અંતિમ વિજેતા | ભીમશેન જોશી | |
ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે. (# = મરણોપરાંત)
અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રી નું નામ જાણીતું છે.
[ફેરફાર કરો] પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી
| ક્રમ | નામ | ચિત્ર | જન્મ / અવસાન | વર્ષ | યોગદાન | ભારતીય રાજ્ય/દેશ |
|---|---|---|---|---|---|---|
| ૧. | ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન | ૧૮૮૮–૧૯૭૫ | ૧૯૫૪ | બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. | તામિલ નાડુ | |
| ૨. | સી.રાજગોપાલાચારી | ૧૮૭૮–૧૯૭૨ | ૧૯૫૪ | છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. | તામિલ નાડુ | |
| ૩. | ડો.સી.વી.રામન | ૧૮૮૮–૧૯૭૦ | ૧૯૫૪ | નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી | તામિલ નાડુ | |
| ૪. | ડો.ભગવાનદાસ | ૧૮૬૯–૧૯૫૮ | ૧૯૫૫ | દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. | ઉત્તર પ્રદેશ | |
| ૫. | ડો.એમ.વિશ્વેશ્વરૈયા | ૧૮૬૧–૧૯૬૨ | ૧૯૫૫ | ભાખરાનાગલ બંધના નિર્માતા,સિવિલ એન્જી. | કર્ણાટક | |
| ૬. | જવાહરલાલ નહેરુ | ૧૮૮૯–૧૯૬૪ | ૧૯૫૫ | પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. | ઉત્તર પ્રદેશ | |
| ૭. | ગોવિંદવલ્લભ પંત | ૧૮૮૭–૧૯૬૧ | ૧૯૫૭ | સ્વાતંત્ર્ય સેનાની,ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી. | ઉત્તર પ્રદેશ | |
| ૮. | ધોન્ડો કેશવ કર્વે | ૧૮૫૮–૧૯૬૨ | ૧૯૫૮ | શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. | મહારાષ્ટ્ર | |
| ૯. | ડો.બી.સી.રોય | ૧૮૮૨–૧૯૬૨ | ૧૯૬૧ | ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. | પશ્ચિમ બંગાળ | |
| ૧૦. | પુરુષોત્તમદાસ ટંડન | ૧૮૮૨–૧૯૬૨ | ૧૯૬૧ | સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. | ઉત્તર પ્રદેશ | |
| ૧૧. | ડો.રાજેન્દ્રપ્રસાદ | ૧૮૮૪–૧૯૬૩ | ૧૯૬૨ | પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. | બિહાર | |
| ૧૨. | ડો.ઝાકીર હુસેન | ૧૮૯૭–૧૯૬૯ | ૧૯૬૩ | ભૂ.પૂ.રાષ્ટ્રપતિ,જામીયા મિલિયાના સ્થાપક. | આંધ્ર પ્રદેશ | |
| ૧૩. | ડો.પી.વી.કાણે | ૧૮૮૦–૧૯૭૨ | ૧૯૬૩ | સંસ્કૃતના વિદ્બાન, | મહારાષ્ટ્ર | |
| ૧૪. | લાલબહાદુર શાસ્ત્રી # | ૧૯૦૪–૧૯૬૬ | ૧૯૬૬ | બિજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. | ઉત્તર પ્રદેશ | |
| ૧૫. | ઈન્દિરા ગાંધી | ૧૯૧૭–૧૯૮૪ | ૧૯૭૧ | પ્રથમ મહિલા વડાપ્રધાન. | ઉત્તર પ્રદેશ | |
| ૧૬. | ડો.વી.વી.ગીરી | ૧૮૯૪–૧૯૮૦ | ૧૯૭૫ | ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. | આંધ્ર પ્રદેશ | |
| ૧૭. | કે.કામરાજ # | ૧૯૦૩–૧૯૭૫ | ૧૯૭૬ | સ્વાતંત્ર્ય સેનાની. | તામિલ નાડુ | |
| ૧૮. | મધર ટેરેસા | ૧૯૧૦–૧૯૯૭ | ૧૯૮૦ | નોબૅલ વિજેતા(શાંતિ, ૧૯૭૯). | પશ્ચિમ બંગાળ | |
| ૧૯. | વિનોબા ભાવે # | ૧૮૯૫–૧૯૮૨ | ૧૯૮૩ | ભૂદાન ચળવળનાં પ્રણેતા. | મહારાષ્ટ્ર | |
| ૨૦. | અબ્દુલગફાર ખાન | ૧૮૯૦–૧૯૮૮ | ૧૯૮૭ | સરહદનાં ગાંધી,સ્વાતંત્ર્ય સેનાની. | પાકિસ્તાન | |
| ૨૧. | એમ.જી.રામચંદ્રન # | ૧૯૧૭–૧૯૮૭ | ૧૯૮૮ | ફીલ્મ અભિનેતા,તામિલ નાડુના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. | તામિલ નાડુ | |
| ૨૨. | ડો.ભિમરાવ આંબેડકર # | ૧૮૯૧–૧૯૫૬ | ૧૯૯૦ | બંધારણ સભાનાં પ્રમુખ. | મહારાષ્ટ્ર | |
| ૨૩. | નેલ્સન મંડેલા | જ. ૧૯૧૮ | ૧૯૯૦ | રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. | દક્ષિણ આફ્રીકા | |
| ૨૪. | રાજીવ ગાંધી # | ૧૯૪૪–૧૯૯૧ | ૧૯૯૧ | ભૂ.પૂ.વડાપ્રધાન. | નવી દિલ્હી | |
| ૨૫. | સરદાર વલ્લભભાઈ પટેલ # | ૧૮૭૫–૧૯૫૦ | ૧૯૯૧ | સ્વાતંત્ર્ય સેનાની,લોખંડી પૂરૂષ. | ગુજરાત | |
| ૨૬. | મોરારજી દેસાઈ | ૧૮૯૬–૧૯૯૫ | ૧૯૯૧ | ભૂ.પૂ.વડાપ્રધાન,સ્વાતંત્ર્ય સેનાની. | ગુજરાત | |
| ૨૭. | મૌલાના અબ્દુલકલામ આઝાદ # | ૧૮૮૮–૧૯૫૮ | ૧૯૯૨ | સ્વાતંત્ર્ય સેનાની,શિક્ષણશાસ્ત્રી. | પશ્ચિમ બંગાળ | |
| ૨૮. | જે.આર.ડી.તાતા | ૧૯૦૪–૧૯૯૩ | ૧૯૯૨ | મહાન ઉધોગપતિ. | મહારાષ્ટ્ર | |
| ૨૯. | સત્યજીત રે | ૧૯૨૨–૧૯૯૨ | ૧૯૯૨ | ફિલ્મ સર્જક | પશ્ચિમ બંગાળ | |
| ૩૦. | ડો.એ.પી.જે.અબ્દુલ કલામ | જ. ૧૯૩૧ | ૧૯૯૭ | મહાન વૈજ્ઞાનિક,ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. | તામિલ નાડુ | |
| ૩૧. | ગુલઝારીલાલ નંદા | ૧૮૯૮–૧૯૯૮ | ૧૯૯૭ | સ્વાતંત્ર્ય સેનાની,ભૂ.પૂ.વડાપ્રધાન. | પંજાબ | |
| ૩૨. | અરુણા અસફઅલી # | ૧૯૦૮–૧૯૯૬ | ૧૯૯૭ | સ્વાતંત્ર્ય સેનાની. | પશ્ચિમ બંગાળ | |
| ૩૩. | એમ.એસ.સુબ્બુલક્ષ્મી | ૧૯૧૬–૨૦૦૪ | ૧૯૯૮ | શાસ્ત્રીય ગાયિકા. | તામિલ નાડુ | |
| ૩૪. | સી.એસ.સુબ્રહ્મણ્યમ્ | ૧૯૧૦–૨૦૦૦ | ૧૯૯૮ | સ્વાતંત્ર્ય સેનાની,હરિયાળી ક્રાંતિના પ્રણેતા. | તામિલ નાડુ | |
| ૩૫. | જયપ્રકાશ નારાયણ # | ૧૯૦૨–૧૯૭૯ | ૧૯૯૮ | સ્વાતંત્ર્ય સેનાની,સમાજ સેવક. | બિહાર | |
| ૩૬. | પંડિત રવિશંકર | જ. ૧૯૨૦ | ૧૯૯૯ | પ્રખ્યાત સિતારવાદક. | ઉત્તર પ્રદેશ | |
| ૩૭. | અમતર્યસેન | જ. ૧૯૩૩ | ૧૯૯૯ | નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮),અર્થશાસ્ત્રી. | પશ્ચિમ બંગાળ | |
| ૩૮. | ગોપીનાથ બોરડોલોઈ # | ૧૮૯૦–૧૯૫૦ | ૧૯૯૯ | સ્વાતંત્ર્ય સેનાની. | આસામ | |
| ૩૯. | લતા મંગેશકર | જ. ૧૯૨૯ | ૨૦૦૧ | પાશ્વ ગાયિકા. | મહારાષ્ટ્ર | |
| ૪૦. | ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન | ૧૯૧૬-૨૦૦૬ | ૨૦૦૧ | શાસ્ત્રીય શરણાઇવાદક | બિહાર | |
| ૪૧. | ભીમસેન જોશી | ૧૯૨૨-૨૦૧૧ | ૨૦૦૮ | શાસ્ત્રીય ગાયક | કર્ણાટક |