વિકિપીડિયા થી
ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે. (# = મરણોપરાંત)
અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રી નું નામ જાણીતું છે.
[ફેરફાર કરો] પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી
| ક્રમ |
નામ |
જન્મ / અવસાન |
વર્ષ |
યોગદાન |
ભારતીય રાજ્ય/દેશ |
| ૧. |
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન |
૧૮૮૮–૧૯૭૫ |
૧૯૫૪ |
બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. |
તામિલ નાડુ |
| ૨. |
સી.રાજગોપાલાચારી |
૧૮૭૮–૧૯૭૨ |
૧૯૫૪ |
છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. |
તામિલ નાડુ |
| ૩. |
ડો.સી.વી.રામન |
૧૮૮૮–૧૯૭૦ |
૧૯૫૪ |
નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી |
તામિલ નાડુ |
| ૪. |
ડો.ભગવાનદાસ |
૧૮૬૯–૧૯૫૮ |
૧૯૫૫ |
દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. |
ઉત્તર પ્રદેશ |
| ૫. |
ડો.એમ.વિશ્વેશ્વરૈયા |
૧૮૬૧–૧૯૬૨ |
૧૯૫૫ |
ભાખરાનાગલ બંધના નિર્માતા,સિવિલ એન્જી. |
કર્ણાટક |
| ૬. |
જવાહરલાલ નહેરુ |
૧૮૮૯–૧૯૬૪ |
૧૯૫૫ |
પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. |
ઉત્તર પ્રદેશ |
| ૭. |
ગોવિંદવલ્લભ પંત |
૧૮૮૭–૧૯૬૧ |
૧૯૫૭ |
સ્વાતંત્ર્ય સેનાની,ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી. |
ઉત્તર પ્રદેશ |
| ૮. |
ધોન્ડો કેશવ કર્વે |
૧૮૫૮–૧૯૬૨ |
૧૯૫૮ |
શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. |
મહારાષ્ટ્ર |
| ૯. |
ડો.બી.સી.રોય |
૧૮૮૨–૧૯૬૨ |
૧૯૬૧ |
ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. |
પશ્ચિમ બંગાળ |
| ૧૦. |
પુરુષોત્તમદાસ ટંડન |
૧૮૮૨–૧૯૬૨ |
૧૯૬૧ |
સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. |
ઉત્તર પ્રદેશ |
| ૧૧. |
ડો.રાજેન્દ્રપ્રસાદ |
૧૮૮૪–૧૯૬૩ |
૧૯૬૨ |
પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. |
બિહાર |
| ૧૨. |
ડો.ઝાકીર હુસેન |
૧૮૯૭–૧૯૬૯ |
૧૯૬૩ |
ભૂ.પૂ.રાષ્ટ્રપતિ,જામીયા મિલિયાના સ્થાપક. |
આંધ્ર પ્રદેશ |
| ૧૩. |
ડો.પી.વી.કાણે |
૧૮૮૦–૧૯૭૨ |
૧૯૬૩ |
સંસ્કૃતના વિદ્બાન, |
મહારાષ્ટ્ર |
| ૧૪. |
લાલબહાદુર શાસ્ત્રી # |
૧૯૦૪–૧૯૬૬ |
૧૯૬૬ |
બિજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. |
ઉત્તર પ્રદેશ |
| ૧૫. |
ઇન્દિરા ગાંધી |
૧૯૧૭–૧૯૮૪ |
૧૯૭૧ |
પ્રથમ મહિલા વડાપ્રધાન. |
ઉત્તર પ્રદેશ |
| ૧૬. |
ડો.વી.વી.ગીરી |
૧૮૯૪–૧૯૮૦ |
૧૯૭૫ |
ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. |
આંધ્ર પ્રદેશ |
| ૧૭. |
કે.કામરાજ # |
૧૯૦૩–૧૯૭૫ |
૧૯૭૬ |
સ્વાતંત્ર્ય સેનાની. |
તામિલ નાડુ |
| ૧૮. |
મધર ટેરેસા |
૧૯૧૦–૧૯૯૭ |
૧૯૮૦ |
નોબૅલ વિજેતા(શાંતિ, ૧૯૭૯). |
પશ્ચિમ બંગાળ |
| ૧૯. |
વિનોબા ભાવે # |
૧૮૯૫–૧૯૮૨ |
૧૯૮૩ |
ભૂદાન ચળવળનાં પ્રણેતા. |
મહારાષ્ટ્ર |
| ૨૦. |
અબ્દુલગફાર ખાન |
૧૮૯૦–૧૯૮૮ |
૧૯૮૭ |
સરહદનાં ગાંધી,સ્વાતંત્ર્ય સેનાની. |
પાકિસ્તાન |
| ૨૧. |
એમ.જી.રામચંદ્રન # |
૧૯૧૭–૧૯૮૭ |
૧૯૮૮ |
ફીલ્મ અભિનેતા,તામિલ નાડુના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. |
તામિલ નાડુ |
| ૨૨. |
ડો.ભિમરાવ આંબેડકર # |
૧૮૯૧–૧૯૫૬ |
૧૯૯૦ |
બંધારણ સભાનાં પ્રમુખ. |
મહારાષ્ટ્ર |
| ૨૩. |
નેલ્સન મંડેલા |
જ. ૧૯૧૮ |
૧૯૯૦ |
રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. |
દક્ષિણ આફ્રીકા |
| ૨૪. |
રાજીવ ગાંધી # |
૧૯૪૪–૧૯૯૧ |
૧૯૯૧ |
ભૂ.પૂ.વડાપ્રધાન. |
નવી દિલ્હી |
| ૨૫. |
સરદાર વલ્લભભાઈ પટેલ # |
૧૮૭૫–૧૯૫૦ |
૧૯૯૧ |
સ્વાતંત્ર્ય સેનાની,લોખંડી પૂરૂષ. |
ગુજરાત |
| ૨૬. |
મોરારજી દેસાઇ |
૧૮૯૬–૧૯૯૫ |
૧૯૯૧ |
ભૂ.પૂ.વડાપ્રધાન,સ્વાતંત્ર્ય સેનાની. |
ગુજરાત |
| ૨૭. |
મૌલાના અબ્દુલકલામ આઝાદ # |
૧૮૮૮–૧૯૫૮ |
૧૯૯૨ |
સ્વાતંત્ર્ય સેનાની,શિક્ષણશાસ્ત્રી. |
પશ્ચિમ બંગાળ |
| ૨૮. |
જે.આર.ડી.તાતા |
૧૯૦૪–૧૯૯૩ |
૧૯૯૨ |
મહાન ઉધોગપતિ. |
મહારાષ્ટ્ર |
| ૨૯. |
સત્યજીત રે |
૧૯૨૨–૧૯૯૨ |
૧૯૯૨ |
ફિલ્મ સર્જક |
પશ્ચિમ બંગાળ |
| ૩૦. |
ડો.એ.પી.જે.અબ્દુલ કલામ |
જ. ૧૯૩૧ |
૧૯૯૭ |
મહાન વૈજ્ઞાનિક,ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. |
તામિલ નાડુ |
| ૩૧. |
ગુલઝારીલાલ નંદા |
૧૮૯૮–૧૯૯૮ |
૧૯૯૭ |
સ્વાતંત્ર્ય સેનાની,ભૂ.પૂ.વડાપ્રધાન. |
પંજાબ |
| ૩૨. |
અરુણા અસફઅલી # |
૧૯૦૮–૧૯૯૬ |
૧૯૯૭ |
સ્વાતંત્ર્ય સેનાની. |
પશ્ચિમ બંગાળ |
| ૩૩. |
એમ.એસ.સુબ્બુલક્ષ્મી |
૧૯૧૬–૨૦૦૪ |
૧૯૯૮ |
શાસ્ત્રીય ગાયિકા. |
તામિલ નાડુ |
| ૩૪. |
સી.એસ.સુબ્રહ્મણ્યમ્ |
૧૯૧૦–૨૦૦૦ |
૧૯૯૮ |
સ્વાતંત્ર્ય સેનાની,હરિયાળી ક્રાંતિના પ્રણેતા. |
તામિલ નાડુ |
| ૩૫. |
જયપ્રકાશ નારાયણ # |
૧૯૦૨–૧૯૭૯ |
૧૯૯૮ |
સ્વાતંત્ર્ય સેનાની,સમાજ સેવક. |
બિહાર |
| ૩૬. |
પંડિત રવિશંકર |
જ. ૧૯૨૦ |
૧૯૯૯ |
પ્રખ્યાત સિતારવાદક. |
ઉત્તર પ્રદેશ |
| ૩૭. |
અમતર્યસેન |
જ. ૧૯૩૩ |
૧૯૯૯ |
નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮),અર્થશાસ્ત્રી. |
પશ્ચિમ બંગાળ |
| ૩૮. |
ગોપીનાથ બોરડોલોઈ # |
૧૮૯૦–૧૯૫૦ |
૧૯૯૯ |
સ્વાતંત્ર્ય સેનાની. |
આસામ |
| ૩૯. |
લત્તા મંગેશકર |
જ. ૧૯૨૯ |
૨૦૦૧ |
પાશ્વ ગાયિકા. |
મહારાષ્ટ્ર |
| ૪૦. |
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન |
૧૯૧૬-૨૦૦૬ |
૨૦૦૧ |
શાસ્ત્રીય શરણાઇવાદક |
બિહાર |