મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ
વિકિપીડિયાથી
મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગોં પૈકીનું એક છે. [૧] આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જયિની નગરનું વર્ણન કરતી વેળા આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ "જય મહાકાળેશ્વર" (in હિન્દી) (એએસપી). અમર ઉજાલા. http://www.amarujala.com/Dharam/default1.asp?foldername=20030902&sid=4. Retrieved on ૨૬ જુલાઇ 2008.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- મહાકાળેશ્વર મંદિર નું અધિકૃત જાળસ્થળ
- વિકિમેપિયા પર જુઓ, મહાકાળેશ્વર મંદિર, ઉજ્જૈન
- અમર ઉજાલા પર જુઓ મહાકાળેશ્વર