મિચ્છામિ દુક્કડં

વિકિપીડિયામાંથી

મિચ્છામિ દુક્કડં એ પ્રાચીન પ્રાકૃત ભાષાનો એક રૂઢિ પ્રયોગ છે, જેનો અર્થ - મારા સર્વ પાપ મિથ્યા થાવ - થાય છે.[૧]

પ્રતિક્રમણ (જૈન પ્રાર્થના, અર્થાત "મનોમંથન") પછી, જૈનો જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે.[૨] બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.[૩] આ માફી એકબીજાને મિચ્છામિ દુક્ક્ડં કહીને માંગવામાં આવે છે. તેનો અર્થ એ રીતે થાય છે,"જાણતાં કે અજાણતાં, વિચારમાં, શબ્દ દ્વારા કે કોઈ ક્રિયા દ્વારા જો મેં તમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો હું તમારી ક્ષમા માંગુ છું".[૨] કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી.[૩]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

મિચ્છા મે દુક્કડમપ્રાકૃત ભાષાનું વાક્ય છે જે સામાન્ય રીતે જૈન ગ્રંથોમાં ઉલ્લેખાયેલું જોવા મળે છે. તેનું સંસ્કૃત સંસ્કરણ છે 'मिथ्या मे दुष्कृतम्'-'મિથ્યા મે દુષ્કૃતમ'. તે જૈન સંતોની આચાર સંહિતાના એક વિભાગ સાથે સંબંધિત છે જેને આવશ્યક કહેવાય છે.[૪] તેનો શબ્દશઃ અર્થ થાય છે "મારાં બધાં અનિષ્ટ નિરર્થક થાય".[૫] વાક્યમાં મિથ્યાનો અર્થ નિરર્થક બનવું, મે એટલે મારું અને દુષ્કૃતમનો અર્થ ખરાબ કાર્યો છે. આમ આ વાક્ય ક્ષમાપના માટે કરવામાં આવે છે જેમાં બોલનાર વ્યક્તિ સામેવાળા પાસે પોતે કરેલા કોઈ દુર્વ્યવહાર કે ખોટા કર્મોને ક્ષમા કરવાની યાચના કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ચૅપલ સી. કે (૨૦૦૬) જૈનીસમ એન્ડ ઈકોલોજી: નોનવાયોલેન્સ ઈન ધ વેબ ઓફ લાઈફ દીલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લીકેશન. ISBN 9788120820456 પૃ.૪૬
  2. ૨.૦ ૨.૧ પ્રીતી શ્રીવાસ્તવ (૨૦૦૮-૦૮-૩૧). "વિનંતિ માફી માટે". ઈંડિયન એક્સપ્રેસ. મૂળ માંથી 2012-10-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૧૧-૧૧.
  3. ૩.૦ ૩.૧ હેસ્ટીંગ્સ, જેમ્સ (૨૦૦૩), એનસાયક્લોપીડિયા એન્ડ રિલીજીયન એથીક્સ પાર્ટ ૧૦, કીસિંજર પબ્લીશિંગ ISBN 9780766136823 પૃ.૮૬૭
  4. Kristi L. Wiley (2009). The A to Z of Jainism. Scarecrow. પૃષ્ઠ 170. ISBN 978-0-8108-6337-8.
  5. Robert Williams (1991). Jaina yoga: a survey of the mediaeval śrāvakācāras. Motilal Banarsidass. પૃષ્ઠ 203–205. ISBN 81-208-0775-8.