મીરાં બાઈ
મીરાં બાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રર્ચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈ એ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરા બાઇનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જીવન પરિચય
કૃષ્ણભક્તિ શાખા ની હિંદીની મહાન કવયિત્રી મીરાબાઈનો જન્મ સંવત્ ૧૪૯૭માં જોધપુરમાં મેડતા નજીક આવેલા ચોકડ઼ી નામના ગામમાં (રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ છે) થયો હતો. તેમના પિતા રતન સિંહ, ઉદય પુરના સ્થાપક રઓ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે મીરાંને કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યં કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટી પડતાંજ આ મૂર્તિ મીરાં ના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે બાઉલી ન મળે ત્યાં સુધી તેણે કાંઐ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
બાળપણમાં એક સમયે મીરાં એ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો." તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાં ની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?)ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં.
વિવાહના થોડા જ દિવસ પછી તેમના પતિનું સ્વર્ગવાસ થઈ ગયું. પતિના પરલોકવાસ પછી તેમની ભક્તિ દિન-પ્રતિ- દિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણજીની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં
આનંદનો માહોલ તો ત્યારે બની જતો, જ્યારે મીરાના કહેવા પર રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બનનુ કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરા દીન-દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામી જી સાચા સાધુ હોવાથી સ્ત્રિઓને જોવું પણ અનુચિત સમજતા હતાં. તેમણે અન્દરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં, આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃન્દાવનમાં શ્રીકૃષ્ણજ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વન્દ્વી પેદા થઈ ગયો છે.મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહા નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તમને મળ્યાં.આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયાદાસની કવિતામાં મળે છે - 'વૃન્દાવન આઈ જીવ ગુસાઈ જૂ સો મિલ ઝિલી, તિયા મુખ દેખબે કા પન લૈ છુટાયૌ
[ફેરફાર કરો] મીરાંબાઇના ગુરુ
ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઇએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઇએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,
- નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ'
મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.
- ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની, મૈં મિલી જાય પાય પિય અપના, તબ મોરી પીર બુઝાની.
- ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.
- ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ્, નામ નહીં છોડું.
- કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.
- ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.
[ફેરફાર કરો] રચિત ગ્રંથ
મીરાબાઈ એ ચાર ગ્રંથોની રચના કરી–
- બરસી કા માયરા
- ગીત ગોવિંદ ટીકા
- રાગ ગોવિંદ
- રાગ સોરઠ કે પદ
આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન “મીરાબાઈ કી પદાવલી’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
[ફેરફાર કરો] મીરાંબાઈની ભક્તિ
મીરાની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય હતો. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ભાવના/ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવુ હતુ કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહીં. તે કૃષ્ણના રૂપની દીવાની હતી–
બસો મેરે નૈનન મેં નંદલાલ
મોહની મૂરતિ, સાઁવરિ, સુરતિ નૈના બને વિસાલ અધર સુધારસ મુરલી બાજતિ, ઉર બૈજંતી માલ ક્ષુદ્ર ઘંટિકા કટિ- તટ સોભિત, નૂપુર શબ્દ રસાલ મીરા પ્રભુ સંતન સુખદાઈ, ભક્ત બછલ ગોપાલ
[ફેરફાર કરો] સંદર્ભ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- મીરાંબાઈ ના ભજન Meera Bai Bhajans in Gujarati
- સ્વર્ગારોહણ : Largest collections of Meera Bai Bhajans in Gujarati
- Mirabai at Kavita Kosh (Hindi)
- Short biography
- Bridal Mysticism: Story of Meerabai By Dr. Jyotsna Kamat
- મીરાંબાઈ ના ભજન