મુક્તાનંદ સ્વામી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

નમુ મુક્તાનંદ પ્રભુપદતણા સેવક સદા, મહાશાસ્ત્રાબ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા . કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમ વહે, કુસંગી સત્સંગી સકળજન ચિત્તે અતિ ચહે આ છંદ્ દ્વારા આચાર્ય શ્રી વિહારિલાલજી મહારાજે જેમની સ્તુતિ કરિ છે એવા શ્રી મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ પંક્તિના શિષ્ય હતા છતા એમનુ વ્યક્તિત્વ એટલું મહાન હતુ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ગુરુ શ્રી રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારબાદ આ સંતને ગુરુદેવનુ સ્થાન આપ્યુ હતું. આ સંતના વ્યક્તિત્વને સમજવા માટે આનાથી વધુ વજનદાર પાસુ કયુ હોય શકે ?.સંભવ છે કે કોઇ શિષ્ય સેવા દ્વારા ગુરુદેવને પ્રસન્ન કરિને તેનો પ્રિય અને ઉત્તરાધિકારી બની શકે પણ જેને દુનિયા ભગવાન કહેતી હોય્ ઍવા સમર્થ ગુરુ સ્વસેવકને ગુરુનું પદ આપે ત્યારે તેની મહત્તા આપોઆપ્ જ વધી જતિ હોય છે. મારા જાણવા પ્રમાણે વિષ્વધર્મનો આ અનોખો પ્રસંગ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ્ ઍમને ગુરુદેવ કહેતા પણ્ આ સંપ્રદાયના અનુયાયીઑ તેમને સત્સંગની માતા કહિને ગૉરવ અનુભવતા ઍવા આ વાત્સલ્યમુર્તિ સંત હતા. તેમને કવિ કહિઍ તો કંઇ ખોટું નહિ પણ્ તેઑ સારા ઍવા સંગીતજ્ઞ હતા.તેઑનું જ્ઞઆન માત્ર સંગીતક્ષેત્ર પુરતુ સિમિત ન્હોતુ, તેઑ સંસ્ક્રુત ભાષાના સારા ઍવા પંડિત હતા.સ્વામિનારાયણ સમ્પ્રદાયના ઉદયકાળમાં આ સંતકવિનું યોગદાન અતિ મહત્ત્વનુ છે.તેઑઍ વિદ્વાનોની દુનિયામાં સ્વામિનારાયણ્ સંપ્રદાયના અસ્તિત્વને કાયમ રાખવા માટે બ્રહ્મસૂત્ર પર સ્વતંત્રભાષ્ય લખ્યુ છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પણ્ તેમનું અતિ અણમોલ્ યોગદાન છે.નાના મોટ ચોવિસ જેટલા ગ્રન્થો દ્વારા મા ગુર્જર ગિરાની સેવા આ સંતકવિએ કરિ છે.

[ફેરફાર કરો] પ્રસિદ્ધ ગ્રન્થ રચનાઑ

ઢાંચો:Col-1

  1. ૧.ધર્માખ્યાન
  2. ૨.પંચરત્નમ્
  3. ૩.વિવેકચિંતામણી
  4. ૪. ઉદ્ધવગીતા
  5. ૫.સત્સંગ શિરોમણી
  6. ૬.સતી ગીતા
  7. ૭.શિક્ષાપત્રી ભાષા
  8. ૮. મુકુંદ બાવની
  9. ૯. ધામવર્ણન ચાતુરી
  10. ૧૦. વાસુદેવ અવતારચરિત્રમ્
  11. ૧૧.અવધુતગીતમ્
  12. ૧૨.ગુરુ ચોવિશી
  13. ૧૩.ક્રુષ્ણ પ્રસાદ
  14. ૧૪.નારાયણ ચરિત્રમ્
  15. ૧૫.નારાયણ કવચમ્
  16. ૧૬.વૈકુંઠધામદર્શનમ્
  17. ૧૭.ભગવદ્ ગીતાભાષા
  18. ૧૮. કપિલગીતા
  19. ૧૯.ગુણવિભાગ
  20. ૨૦.નારાયણ્ ગીતા
  21. ૨૧. રુક્મણી વિવાહ્
  22. ૨૨.રાસલીલા
  23. ૨૩. હનુમત્પંચક્
  24. ૨૪.હનુમત્ નામાવલી
  25. ૨૫.સત્સંગીજીવન માહાત્મ્ય

વિગેરે. તેમની રચનાઑ માં શબ્દકૉતુક કરતા અર્થ ગાંભીર્ય વધુ છે.તેમની રચનાઑ પર શોધગ્રન્થો લખાય રહ્યા છે. તેમની એક રચના સતિગીતા પર ફ્રેન્ચ વિદુષી મેલીજો ફ્રાંજવા ઍ શોધગ્રન્થ લખ્યો છે.કવિના જિવન-કવન પર પણ્ શોધ ગ્રન્થ લખાયો છે.