મૂળશંકર ભટ્ટ
વિકિપીડિયાથી
| મૂળશંકર ભટ્ટ | |
|---|---|
| જન્મની વિગત | ૨૫જૂન ૧૯૦૭ ભાવનગર |
| મૃત્યુની વિગત | ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ ભાવનગર |
| રહેઠાણ | ભાવનગર |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| અભ્યાસ | ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ) |
| વ્યવસાય | અધ્યાપન અને સાહિત્યસર્જન |
| વતન | ભાવનગર |
| ખિતાબ | ગુજરાતનાં જૂલે વર્ન |
| ધર્મ | હિંદુ |
| જીવનસાથી | હંસાબેન |
| સંતાન | પુત્ર – બકુલ અને વિક્રમ પુત્રી – ઉર્મીલા અને મીના |
| માતા-પિતા | રેવાબેન, મોહનલાલ |
|
નોંધ
વિગત 'ગુજરાતી સારસ્વત પરિચય'નાં આધારે.
|
|
</noinclude>
મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.
[ફેરફાર કરો] પરિચય
- જન્મ: ૨૫જૂન ૧૯૦૭, ભાવનગર
- અવસાનઃ ૩૧ ઓક્ટોબર ૧૯૮૪, ભાવનગર
- કુટુંબઃ માતા-રેવાબેન, પિતા-મોહનલાલ, પત્ની- હંસાબેન,
- પુત્ર – બકુલ અને વિક્રમ , પુત્રી – ઉર્મીલા અને મીના
- અભ્યાસ: ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ)
- વ્યવસાય:
| ક્રમ | સમયગાળો | વર્ણન |
|---|---|---|
| ૧ | ૧૯૨૯ | મુંબઇ રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક |
| ૨ | ૧૯૩૧-૩૮ | દક્ષિણામુર્તિ માં ગૃહપતિ અને શિક્ષક |
| ૩ | ૧૯૩૮-૪૪ | ભાવનગરમાં ઘરશાળામાં શિક્ષક |
| ૪ | ૧૯૪૫-૫૩ | દક્ષિણામૂર્તિમાં આચાર્ય |
| ૫ | ૧૯૫૩-૬૫ | લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ , સણોસરામાં અધ્યાપક અને મુખ્ય ગૃહપતિ |
| ૬ | ૧૯૬૫ બાદ | નિવૃત્તિ પછી દક્ષિણામૂર્તિ, ગુજરાત નયી તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય ગુરૂકુલ વિ. સંસ્થાઓમાં માનદ રીતે સંકળાયા |
[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ
- અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
- ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન ;
- સંપાદન – ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો) ;
- નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર;
- શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.