મૂળશંકર ભટ્ટ
વિકિપીડિયા થી
| મૂળશંકર ભટ્ટ | |
| જન્મની વિગત | ૨૫જૂન ૧૯૦૭ ભાવનગર |
|---|---|
| મૃત્યુની વિગત | ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ ભાવનગર |
| રહેઠાણ | ભાવનગર |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| અભ્યાસ | ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ) |
| વ્યવસાય | અધ્યાપન અને સાહિત્યસર્જન |
| વતન | ભાવનગર |
| ખિતાબ | ગુજરાતનાં જૂલે વર્ન |
| ધર્મ | હિંદુ |
| જીવનસાથી | હંસાબેન |
| સંતાન | પુત્ર – બકુલ અને વિક્રમ પુત્રી – ઉર્મીલા અને મીના |
| માતા-પિતા | રેવાબેન, મોહનલાલ |
|
નોંધ
વિગત 'ગુજરાતી સારસ્વત પરિચય'નાં આધારે.
|
|
મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.
[ફેરફાર કરો] પરિચય
- જન્મ: ૨૫જૂન ૧૯૦૭, ભાવનગર
- અવસાનઃ ૩૧ ઓક્ટોબર ૧૯૮૪, ભાવનગર
- કુટુંબઃ માતા-રેવાબેન, પિતા-મોહનલાલ, પત્ની- હંસાબેન,
- પુત્ર – બકુલ અને વિક્રમ , પુત્રી – ઉર્મીલા અને મીના
- અભ્યાસ: ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ)
- વ્યવસાય: ૧૯૨૯- મુંબઇ રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક, ૧૯૩૧-૩૮ – દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ અને શિક્ષક, ૧૯૩૮-૪૪ – ભાવનગરમાં ઘરશાળામાં શિક્ષક, ૧૯૪૫-૫૩ – દક્ષિણામૂર્તિમાં આચાર્ય, ૧૯૫૩-૬૫ – લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ , સણોસરામાં અધ્યાપક અને મુખ્ય ગૃહપતિ, ૧૯૬૫ બાદ નિવૃત્તિ પછી દક્ષિણામૂર્તિ, ગુજરાત નયી તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય ગુરૂકુલ વિ. સંસ્થાઓમાં માનદ રીતે સંકળાયા
[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ
- અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
- ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન ;
- સંપાદન – ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો) ;
- નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર;
- શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.