યાત્રા

વિકિપીડિયામાંથી
કેદારનાથની યાત્રા

યાત્રા (સંસ્કૃત: यात्रा), હિંદુ ધર્મમાં અને અન્ય ભારતીય ધર્મોમાં, મહત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે યાત્રાનો અર્થ છે, મહાભારત અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલાં પવિત્ર ધાર્મિક સ્થળો જેવા કે, મંદિરો, નદીઓ, પર્વતો, ગામો વગેરેની મુલાકાત લઈ પૂજા, દર્શન, ઉપાસનાવગેરે ધાર્મિક કાર્યો કરવા.[૧] તિર્થ-યાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે, મોટેભાગે એ યાત્રાસંઘમાં, એટલે કે સમુહમાં, કરવામાં આવે છે. અગાઉ ઘણાં શ્રદ્ધાળુઓ ઉઘાડા પગે, ચાલીને યાત્રા કરવાને જ ફળદાયી ગણાવતા, હાલ જો કે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં કશો વાંધો ગણાતો નથી. 

અન્ય અર્થો[ફેરફાર કરો]

કોઈક પ્રકારનાં સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનારા સરઘસ વગેરેને પણ ’યાત્રા’ શબ્દ લગાડાય છે. જેમ કે, જગન્નાથપુરીની પ્રખ્યાત રથયાત્રા વગેરે. વર્તમાન સમયમાં રાજકિય કે સામાજીક કારણોસર યોજાતા સરઘર કે કૂચને પણ યાત્રા શબ્દ લગાડાય છે..[૨][૩][૪]

પ્રખ્યાત યાત્રાઓ[ફેરફાર કરો]

* કાશી યાત્રા * માનસરોવર યાત્રા * અમરનાથ યાત્રા * રથયાત્રા * ચારધામ યાત્રા * ૮૪ કોશી પરિક્રમ્મા

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Juergensmeyer, Mark (2006). The Oxford Handbook of Global Religions. U.S.: Oxford University Press. ISBN 0-19-513798-1. CS1 maint: discouraged parameter (link)
  2. "Jal Adhikar Yatra Takes Off". The South Asian. September 10, 2006. મૂળ માંથી માર્ચ 3, 2016 પર સંગ્રહિત. મેળવેલ મે 25, 2015.
  3. "'Save Noyyal Yatra' draws good crowd". The Hindu Business Line. October 3, 2005.
  4. "India's rally for Right to Education - Shiksha Adhikar Yatra". Global Call to Action Against Poverty. July 3, 2007. મૂળ માંથી 2008-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-25.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]