રમણભાઈ નીલકંઠ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

રમણભાઈ મહીપતરામ નીલકંઠ નો જન્મ ૧૩ માર્ચ ૧૮૮૬ નાં રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના ખુબ જ જાણીતા સાહિત્યકાર હતા. તેમનું અવસાન ૬ માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.


અનુક્રમણિકા

[ફેરફાર કરો] કુટુમ્બ

તેઓ માતા રૂપકુંવરબા અને પિતા મહીપતરામ નીલકંઠ, કે જેઓ ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિનું સંતાન હતા. તેમણે પ્રથમ હંસવદન જોડે લગ્ન કર્યા હતાં, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે રમણભાઇએ બીજાં લગ્ન વિદ્યાગૌરી સાથે ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતાં. જેઓ પણ જાણીતા સાહિત્યકાર હતા. રમણભાઇનાં દિકરી વિનોદિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા છે.


[ફેરફાર કરો] શિક્ષણ

રમણભાઇએ પોતાનું પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યું. તેઓએ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ (અમદાવાદ) તથા એલ્ફિન્સ્ટન કોલેજ (મુંબઇ)માં આગળ અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હતા. ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ.ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતેથી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત તેઓએ વધુ અભ્યાસ કરી એલ.એલ.બી.ની પદવી પણ પ્રાપ્ત કરી હતી.


[ફેરફાર કરો] વ્યવસાય

રમણભાઇ ઇ. સ. ૧૮૮૯ના વર્ષમાં સરકારી નોકરીમાં જોડાયા હતા. આ મજલમાં તેઓએ કારકુન, શિરસ્તેદાર, જજ(ગોધરા ખાતે) વગેરે હોદ્દાઓ પર સેવા બજાવી હતી. આ ઉપરાંત તેમણે વકીલાત તેમ જ લેખનનું કાર્ય પણ પોતાના જીવનમાં સફળતાપૂર્વક કર્યું હતું.


[ફેરફાર કરો] બહુમાન

  • વકીલાતના વ્યવસાયમાં ભારે સફળતા
  • હસ્તાક્ષરનિષ્ણાત
  • જાહેર જીવનમાં ઝંપલાવ્યું
  • ૧૮૯૭-૯૮ અમદાવાદ સુધરાઈના સભ્ય
  • ૧૯૧૨ - અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ
  • ૧૯૧૫-૨૪ - અમદાવાદ સુધરાઈના પ્રમુખ
  • ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ૧૮૮૭-૧૯૧૮ - ‘જ્ઞાનસુધા’ માસિકના તંત્રી
  • અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર
  • અગ્રણી સમાજસેવક, પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો
  • પત્ની અને પુત્રી પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક


[ફેરફાર કરો] સાહિત્યક્ષેત્રે પ્રદાન

  • નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
  • નાટક – રાઈનો પર્વત
  • વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
  • વાર્તા- નવલિકાઓ
  • કાવ્ય- કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
  • હાસ્ય - હાસ્ય મંદિર
  • ચિંતન - ધર્મ અને સમાજ
  • વિવેચન - કવિતા અને સાહિત્ય ભાગ ૧-૪


[ફેરફાર કરો] સન્માન

‘સર’ નો ખિતાબ - અંગ્રેજ સરકાર દ્વારા