રાજકોટ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | રાજકોટ

[[Image: Gujarat locator map.svg

</noinclude>|235px|border|Map indicating the location of રાજકોટ]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of રાજકોટ

અક્ષાંશ-રેખાંશ: 22.3° N 70.78° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | ગુજરાત
- રાજકોટ

અક્ષાંશ-રેખાંશ 22.3° N 70.78° E
વિસ્તાર
- ઉંચાઇ

- 134 m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
૯૬૬,૬૪૨
- ?/ચો.કીમી
મેયર જનક કોટક
કોડ
- ટપાલ
- ટેલીફોન
- વાહન

- 360 00X
- +૦૨૮૧
- GJ-3

</noinclude>

રાજકોટ(ઉચ્ચારણ ) એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકા મથક પણ છે. આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] રાજકોટનો ઈતિહાસ

રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાંઈતિહાસની શરૂઆત ઈ.સ.૧૬૧૨ માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજા થી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

ઈ.સ.૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જુનાગઢ નવાબનાં સુબેદાર માસુમખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલેકે ઈ.સ.૧૭૩૨ માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠુ કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો. અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યુ. આમ રાજકોટનાં ઈતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.

[ફેરફાર કરો] વસ્તી

૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૦,૦૩,૦૧૫ છે. જેમાં ટકાવારી પ્રમાણે, પુરૂષોની સંખ્યા ૫૨.૪૩% અને મહિલાઓની સંખ્યા ૪૭.૫૭% છે. રાજકોટ શહેરી વિસ્તારમાં મનહરપુર, માધાપર, આનંદપુર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો શમાવેશ થાય છે. રાજકોટ શહેરની સરેરાશ સાક્ષરતા ૮૦.૬% છે, કે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.

[ફેરફાર કરો] હવામાન

રાજકોટની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
Record high °C (°F) 36
(97)
39
(102)
43
(109)
44
(111)
47
(117)
45
(113)
42
(108)
38
(100)
40
(104)
41
(106)
40
(104)
37
(99)
47
(117)
Average high °C (°F) 28
(82)
30
(86)
35
(95)
38
(100)
40
(104)
37
(99)
32
(90)
31
(88)
33
(91)
35
(95)
32
(90)
29
(84)
33.3
(92.0)
Average low °C (°F) 10
(50)
12
(54)
16
(61)
21
(70)
23
(73)
25
(77)
25
(77)
23
(73)
22
(72)
20
(68)
16
(61)
12
(54)
19
(65.8)
Record low °C (°F) −0.55
(31.01)
1
(34)
6
(43)
10
(50)
16
(61)
20
(68)
18
(64)
20
(68)
16
(61)
12
(54)
7
(45)
2
(36)
−0.55
(31.01)
Precipitation mm (inches) 0
(0)
0
(0)
0
(0)
0
(0)
10
(0.39)
100
(3.94)
270
(10.63)
120
(4.72)
80
(3.15)
10
(0.39)
0
(0)
0
(0)
590
(23.23)
humidity 42 40 43 44 50 66 79 82 77 57 47 45 56
Avg. rainy days (≥ 0.1 in) 0.2 0.4 0.2 0.1 1.2 6.5 13.4 7.8 5.2 1.3 0.6 0.3 37.2
Source: Weatherbase[૧]

[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો] ફરવાના સ્થળો

  • રેસકોર્સ મેદાન
  • જ્યુબિલી બાગ
  • આજી ડેમ
  • ઈશ્વરીયા પાર્ક
  • ન્યારી ડેમ
  • વોસ્ટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)
  • લાલપરી તળાવ
  • આજીડેમ જૈન દેરાસર
  • પુધુમન્ પાર્ક્.
  • નાગેશ્વ્રર જૈન દેરાસર (જામનગર રોડ)

[ફેરફાર કરો] ધાર્મિક સ્થળો

  • શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ
  • શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ
  • શ્રી રણછોડદાસબાપુ આશ્રમ
  • શ્રી રામકૃષ્ણ આશ્રમ
  • શ્રી પંચનાથ મહાદેવ મંદીર
  • શ્રી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદીર: આ મંદિર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનાં હસ્તે તા. ૨૬-૧૧-૧૯૯૮ ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યુ. અક્ષરપુરુષોત્તમ (ભક્ત-ભગવાન)નાં સિદ્ધાંત માટે રાજકોટ મહત્વનું કેન્દ્રબિંદુ છે. આ મંદિરનાં મધ્ય શિખરમાં સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને મહામુક્ત ગોપાળાનંદ સ્વામી, પ્રથમ શિખર માં હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ, અંતિમ શિખરમાં ઘનશ્યામ મહારાજ પધરાવવામાં આવ્યા છે.
આ મંદિરનાં પ્રાંગણમાં એક ભવ્યાતિભવ્ય સભામંડપ છે કે જેમાં ૧૧,૦૦૦ થી પણ વધુ હરિભક્તો લાભ લઇ શકે, આ ઉપરાંત ભોજનશાળા અને સંતનિવાસ પણ ઉભા કરવામાં આવ્યા છે.
  • શ્રી ધારેશ્વર મહાદેવ મંદીર
  • શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદીર
  • શ્રી આશાપુરા માતાજી મંદીર
  • શ્રી મુકિતધામ
  • શ્રી સ્વામિનારાયણ મંદિર (જુનું) ભુપેન્દ્ર રોડ તે મંદિર માં બોરડી નું ઝાડ છે તે ની નીચે ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા તે બોરડી કાંટા વગર ની છે તે પ્રસાદી નું ઝાડ છે કાંટા વગર નું બોરડી નું ઝાડ હોય નહિ.
  • શ્રી બાલકૃષ્ણલાલજી ની હવેલી આવેલી છે ૧૨૫ વર્ષ જૂની
  • આજીડેમ જૈન દેરાસર
  • જાગનાથ મહાદેવ
  • સાત હનુમાન મંદીર
  • બાલાજી મંદીર
  • નાગેશ્વ્રર જૈન દેરાસર (જામનગર રોડ)
  • પ્રેમ મંદિર(કાલાવાડ રોઽ)

[ફેરફાર કરો] ઐતિહાસિક તથા અન્ય સ્થળો

  • કબા ગાંધીનો ડેલો: કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
  • રાષ્ટ્રીયશાળા
  • મહાત્માગાંધી હાઈસ્કુલ
  • રાજકુમાર કોલેજ
  • લાલપરી તળાવ
  • માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ

[ફેરફાર કરો] ઔધોગિક સ્થળો

  • ઉધોગનગર જી.આઈ.ડી.સી.
  • આજી જી.આઈ.ડી.સી.
  • મેટોડા જી.આઈ.ડી.સી.
  • શાપર જી.આઈ.ડી.સી.(ઍસ.આઈ.ડી.સી.)

[ફેરફાર કરો] અર્થતંત્ર

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે.

[ફેરફાર કરો] સ્થાનિક સરકાર

રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જીલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.

પહેલા હોદો હવે
અજય ભાદુ મ્યુનિસિપાલ કમિશ્નર દિનેશ બ્રહ્મભટ્ટ
ગીતા જોહરી શહેરી પોલિસ કમિશ્નર સુધિર સિન્હા

મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે.

[ફેરફાર કરો] શિક્ષણ

[ફેરફાર કરો] શાળાઓ

શહેરમાં આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે.

માધ્યમિક શાળાઓ

  • માસુમ વિદ્યાલય
  • એ. એસ. ચૌધરી હાઇસ્કુલ
  • શા.વે.વિરાણી
  • અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હાઇસ્કુલ
  • સેન્ટ્રલ સ્કુલ
  • દિલ્હી પબ્લિક સ્કુલ
  • જી. ટી. હાઇસ્કુલ
  • કડવીબાઇ વિરાણી હાઇસ્કુલ
  • કેન્દ્રિય વિદ્યાલય
  • મારુતિ મંદિર
  • મોહનદાસ કરમચંદ ગાંધી હાઇસ્કુલ
  • રાજકુમાર કૉલેજ
  • સૌરાષ્ટ્ર હાઇસ્કુલ
  • એસ. એન. કણસાગરા સ્કુલ
  • સેન્ટ મેરીઝ હાઇસ્કુલ
  • સામજી વેલજી વિરાણી હાઇસ્કુલ
  • શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય
  • સન શાઇન સ્કુલ
  • સ્વામિનારાયણ ગુરૂકુલ
  • આઇ.પી.િમશન

[ફેરફાર કરો] મહાવિદ્યાલયો અને વિશ્વ-વિદ્યાલયો

રાજકોટ શહેરની મોટા ભાગની કોલેજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. શહેરમાં ૬ ઇજનેરી કોલેજો આવેલી છે, જેમ કે મારવાડી ફાઉન્ડેશન ગ્રુપ ઑફ એજ્યુકેશન, વીવીપી એન્જીનિયરીંગ કોલેજ, આત્મિય એન્જીનિયરીંગ કોલેજ, આર.કે. એન્જીનિયરીંગ કોલેજ, ક્રાઇસ્ટ એન્જીનિયરીંગ કોલેજ.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

[ફેરફાર કરો] સંદર્ભ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં