જન ગણ મન
જન ગણ મન (બંગાળી: জন গণ মন Jôno Gôno Mono) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] રાષ્ટ્રગીત
|
|
[ફેરફાર કરો] કવિતાની બાકીની પંક્તિઓ
પતન-અભ્યુદય-વન્ધુર-પંથા,
યુગયુગ ધાવિત યાત્રી,
હે ચિર-સારથી,
તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે
તવ શંખધ્વનિ બાજે,
સંકટ-દુખ-શ્રાતા,
જન-ગણ-પથ-પરિચાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |
ઘોર-તિમિર-ઘન-નિવિઙ-નિશીથ
પીઙિત મુર્ચ્છિત-દેશે
જાગ્રત દિલ તવ અવિચલ મંગલ
નત નત-નયને અનિમેષ
દુસ્વપ્ને આતંકે
રક્ષા કરિજે અંકે
સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુખત્રાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |
રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ
પૂરબ-ઉદય-ગિરિ-ભાલે, સાહે વિહન્ગમ, પૂએય સમીરણ
નવ-જીવન-રસ ઢાલે,
તવ કરુણારુણ-રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર,
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |
[ફેરફાર કરો] જાણવા જેવું
ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા આમાર શોનાર બાંગ્લા બાંગ્લાદેશનાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.
[ફેરફાર કરો] આ પણ જુઓ
|
|||||