લતા મંગેશકર
ભારત રત્ન લતા મંગેશકર (જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમતો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત માં સૌથી મોટું ગણાય છે.
લતાજી એ ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં
- માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે.....
- દીકરી તો પારકી થાપણ કહેવાય ....
- વૈષ્ણવ જનતો ....
- હે કાનુડા તોરી ગોવાલણ ...
જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા નો સમાવેશ થાય છે.
[ફેરફાર કરો] પ્રારંભિક જીવન
લતા મંગેશકર નો જન્મ ઈન્દોર, મધ્ય પ્રદેશ મા થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવા ના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે, એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્ર થી હતા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવા મા મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજી નુ બાળપણ નુ નામ "હેમા" નામ હતુ. તેણીના માતા - પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેના લતા નામ આપ્યું.