વિકિપીડિયા:વર્તમાન ઘટનાઓ
વિકિપીડિયા થી
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] ૨૦૦૯
[ફેરફાર કરો] ફેબ્રુઆરી
૭-૮ ફેબ્રુઆરીનિ આસપાસ શરૂ થયેલાં દવાનળે ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા રાજ્યમાં વિનાશ વેર્યો, જેમાં ૧૦ ફેબ્રુઆરી સુધીમાં ૧૩૫ જેટલાં લોકોનાં મૃત્યુ થયા અને ૭૫૦ જેટલાં ઘરો બળી ગયાંનાં પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત હતાં. આ દવાનળ ખરેખર ૩૧ જુદા-જુદા દવાનળોનિ એક શૃંખલા રૂપે આગળ વધી રહ્યાં હતાં.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૫, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
[ફેરફાર કરો] એપ્રિલ
મંગળવાર, ૧૪ એપ્રિલનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૪૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૩૦૦૦ થી ૪૦૦૦ લેખ સુધીની સફર અત્યંત ઝડપી રહી એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૦૯:૦૭, ૧૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)
શનિવાર, ૨૫ એપ્રિલનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૫૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૪૦૦૦ થી ૫૦૦૦ લેખ સુધીની સફર અત્યંત્તમ ઝડપી રહી (ફક્ત ૧૧ દિવસમાં ૧૦૦૦ લેખો....!) એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--અશોક મોઢવાડીયા ૨૧:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)
- ગુરુવાર ૩૦ એપ્રિલ ૨૦૦૯ લોકસભાની ચુંટણીમાં ગુજરાત માં ૫૦ ટકા મતદાન. ગુજરાત દ્વિતીય સ્થાને.--ડૉ. દિનેશ કારીઆ (Dr. Dinesh Karia)'(Talk) (contribs) ૧૩:૫૨, ૩૦ એપ્રિલ ૨૦૦૯ (UTC)
[ફેરફાર કરો] મે
- ૨૨ મે: ભારતની પંદરમી લોક સભામાં સત્તરમા વડાપ્રધાન તરિકે ડૉ. મનમોહન સિંઘે શપથ ગ્રહણ કર્યા.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૭, ૨૨ મે ૨૦૦૯ (UTC)
- ૨૩ મે: હિંદ મહાસાગરમાં ઉદ્ભવેલા 'ચક્રવાત આઇલા'એ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પરના વિસ્તારમાં વેરેલા વિનાશમાં ૨૭ મે સુધીમાં ૨૫૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા, ૫૦૦થી વધુ લોકો લાપતાને આશરે ૭ લાખ લોકો બેઘર થયા.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૯, ૨૭ મે ૨૦૦૯ (UTC)
- ૨૫ મે: ઉત્તર કોરિયાએ કરેલા પરમાણુ પરિક્ષણ (કે જેની અસરકારકતા દ્વિતિય વિશ્વ યુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકવામાં આવેલા અણુ બોમ્બ જેટલી હોવાની શક્યતા છે) ને પગલે વિશ્વમાં ખળભળાટ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૯, ૨૭ મે ૨૦૦૯ (UTC)
- ૩૧ મે:
રવિવાર, ૩૧ મેનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૬૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૫૦૦૦ થી ૬૦૦૦ લેખ સુધીની સફર અત્યંત ઝડપી રહી (ફક્ત ૩૭ દિવસમાં ૧૦૦૦ લેખો....!) એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--અશોક મોઢવાડીયા ૨૧:૦૮, ૩૧ મે ૨૦૦૯ (UTC)
[ફેરફાર કરો] ઓગસ્ટ
- ૧પમી ઓગસ્ટ: આજના દિને ગુજરાતી વિકિપીડિયાના સભ્યોની સંખ્યામાં ૩૦૦૦નો આંકડો પાર થયો. સૌ સભ્યોને અભિનંદન તેમ જ શુભેચ્છા સહ--સતિષચંદ્ર ૧૦:૫૭, ૧૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
- ૧૬ ઓગસ્ટ : આજરોજ ગુજરાતી વિકિપીડિયા પર થયેલા ફેરફારોની સંખ્યા ૫૦,૦૦૦ના આંકડાને પાર કરી આગળ સફર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન આપનાર બધાય સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.--સતિષચંદ્ર ૧૮:૨૬, ૧૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
[ફેરફાર કરો] સપ્ટેમ્બર
- ૨૯ સપ્ટેમ્બરઃ મંગળવાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ, દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા સુનામીને કારણે સામોઆ નામક દેશનાં અનેક ગામડાઓ તારાજ થઈ ગયા. દરિયામાં આશરે ૧૮ કિ.મી. ની ઉંડાઈએ થયેલા ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૮ થી ૮.૩ની વચ્ચેની આંકવામાં આવી છે.[૧]
[ફેરફાર કરો] ૨૦૦૮
[ફેરફાર કરો] માર્ચ
- રવિવાર, ૯ માર્ચ ૨૦૦૮ના રોજ સાંજે ૪.૪૧ કલાકે કચ્છ અને સૌરાષ્ટ્રનાં ઘણાખરા વિસ્તારમાં ફરી એક વાર ધરતીકંપનાં આંચકા અનુભવાયા, ભૂસ્તરશાસ્ત્રીઓનાં જણાવ્યા પ્રમાણે આ ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ની નોંધાઇ હતી જેના આંચકા અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરત ઉપરાંત સાગરકાંઠાનાં કેટલાંક ભાગોમાં પણ અનુભવાયાં હતાં.
સોમવાર, ૩૧ માર્ચનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૫૦૦ લેખોનો આંકડો વટાવ્યો. સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--ધવલ (Dhaval) ૧૦:૩૧, ૧ એપ્રિલ ૨૦૦૮ (UTC)
[ફેરફાર કરો] મે
- ચીનનાં સિચુઆન પ્રાંતમાં મહાવિનાશક ધરતીકંપ, રિક્ટર સ્કેલ પર ૬.૮ની તિવ્રતા--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૨૮ મે ૨૦૦૮ (UTC)
સોમવાર, ૨૬ મેનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૧,૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૨૮ મે ૨૦૦૮ (UTC)
[ફેરફાર કરો] જુલાઇ
૨૬ જુલાઇના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭ શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો થયા, જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ આશરે ૬૦ લોકોનાં મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. શહેરની સિવિલ, વી.એસ. અને એલ.જી. હોસ્પિટલ આ બોમ્બ ધડાકામાં ઘવાયેલા નિર્દોષ લોકોથી ઉભરાઇ પડી છે. ધડાકા મણીનગર (જવાહર ચોક), સારંગપુર (ફરતા વિસામામાં અને સારંગપુર પુલ ઉપર), ઇસનપુર, બાપુનગર, નારોલ ચોકડી, હાટકેશ્વર, સરખેજ, ઓઢવ, વિગેરે વિસ્તારોમાં થયા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૨, ૨૬ જુલાઇ ૨૦૦૮ (UTC
[ફેરફાર કરો] ઓક્ટોબર
- ૨૨ ઓક્ટોબરની સવારે ૬.૨૨ કલાકે આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા ખાતેથી ભારતનું ચંદ્રનાં અભ્યાસ માટેનું પ્રથમ માનવ વિહોણું અવકાશયાન ચંદ્રયાન-૧ અવકાશમાં તરતું મુકવામાં આવ્યું, જે ચંદ્ર વિષે અભ્યાસ કરશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૨, ૨૩ ઓકટોબર ૨૦૦૮ (UTC)
- બુધવારને ૨૯ ઓક્ટોબરની વહેલી સવારે પાકિસ્તાનનાં બલુચિસ્તાન રાજયમાં ૬.૪ની તિવ્રતા વાળો ધરતીકંપ થયો હતો, જેમાં ઝિયારત અને પિસહિન ક્ષેત્રના આઠથી વધુ ગામો બરબાદ થઇ ગયા છે. સ્થાનિક સમય મુજબ સવારે ૪.૩૩ અને અને ૫.૧૦ કલાકે આવેલા ભૂકંપે ૩૦૦ કરતાં પણ વધુ લોકોનાં પ્રાણ હરી લીધા છે જ્યારે ૪૦,૦૦૦ લોકો બેઘર થઇ ગયા છે.[૨]--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૩૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)
- ભારતનાં વિશ્વનાથન આનંદે રશિયાનાં વ્લાદિમિર ક્રામ્નીક ને વિશ્વ ચેસ ચેમ્પિયનશીપ ૨૦૦૮,માં હરાવી અને વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જાળવી રાખ્યો છે.--અશોક મોઢવાડીયા ૦૬:૪૮, ૧ નવેમ્બર ૨૦૦૮ (UTC)
[ફેરફાર કરો] નવેમ્બર
- અમેરિકામાં યોજાયેલ પ્રમુખપદની ચુંટણીમાં "ડેમોક્રેટીક પાર્ટી"ના ઉમેદવાર બરાક ઓબામા જંગી બહુમતીથી ચુંટાઇ આવેલ છે.બરાક ઓબામા અમેરિકાનાં પ્રથમ આફ્રો-અમેરિકન પ્રમુખ બનશે.--અશોક મોઢવાડીયા ૧૧:૦૫, ૬ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- વળી ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતી કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરનાં આદિલ મન્સુરીનું ૭૨ વર્ષની વયે ગુરુવાર તા.૬ નવેમ્બરે ન્યૂજર્સીમાં અવસાન થયું છે..--અશોક મોઢવાડીયા ૦૮:૩૬, ૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- ૨૬ નવેમ્બરને બુધવારનાં રોજ મુંબઇમાં ૧૬ વિવિધ જગ્યાએ આતંકવાદી હુમલાઓમાં ૧૧૦ વ્યક્તિઓનાં પ્રાથમિક અહેવાલ મુજબ મૃત્યુ થયાં છે અને સેંકડો અન્ય ઘવાયા છે. ભારતમાં પ્રથમ વખત આ નવિન પદ્ધતિથી હુમલા થયા છે, જેમાં આતંકવાદીઓ એ ભરચક વિસ્તારોમાં અંધાધુંધ ગોળીબાર કરીને બોંબ વિસ્ફોટો તથા આત્મઘાતિ હુમલાઓ કર્યા છે. સીએસટી રેલવે સ્ટેશન (વી.ટી. અથવાતો વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન) ઉપરાંત તાજ હોટેલ અને ઓબેરોય હોટેલ જેવી વિદેશીઓથી ભરપૂર રહેતી હોટેલોમાં ઘુસી જઇને યાત્રીઓને બંદી બનાવ્યા હતાં, પોલીસ તથા લશ્કર ઉપરાંત એ.ટી.એસ. (એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ)નાં જ્વાનો ગુરૂવારે પણ પણ આતંકવાદીઓને નાથવાનાં પ્રયત્નો કરી રહ્યાં હતાં.[૩]--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૩, ૨૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)
[ફેરફાર કરો] ડીસેમ્બર
- ૨૮ ડીસેમ્બર ૨૦૦૮, આજે ગુજરાતી વિકિસોર્સ પ્રકલ્પમાં આપણે ૧૦૦ લેખનો આંકડો વટાવ્યો. અભિનંદન.--અશોક મોઢવાડીયા
[ફેરફાર કરો] ૨૦૦૭
[ફેરફાર કરો] જુન
જુનમા ભુજ ખાતે ૨૪ થી ૨૫ દમ્યાન ગ્રન્થાલય પરિસંવાદ યોજાનાર છે. જેમાં ગ્રન્થાલય નિયામકશ્રી ગુ.રા. શ્રી શેખ સાહેબ ઉપસ્થિત રહેશે.ગુજરાતના ગ્રંથપાલો આ પરિસંવાદનો વિશેષ લાભ લઇ શકશે. (જગદીશ મજેઠીયા)
[ફેરફાર કરો] નવેમ્બર
સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને તલાલામાં તા. ૬ નવેમ્બરના રોજ સવારે ૫.૫૭ અને બપોરે ૩.૦૮ વાગ્યે ૪.૮ની તિવ્રતાનો ધરતીકંપ થયો હતો જેના આફ્ટરશોકનાં આંચકાં અમદાવાદમાં પણ અનુભવાયા હતાં.
[ફેરફાર કરો] ૨૦૦૬
[ફેરફાર કરો] એપ્રીલ
એપ્રીલ ૨૦૦૬માં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા બાંધની ઉંચાઇ ૨૦૦ મીટર સુધી વધારવા માટે તેજ આંદોલન કરેલ. જેના માટે તેઓ ૧૦.૧૦ કલાકના ઉપવાસ ઉપર ઉતર્યા હતા.
[ફેરફાર કરો] જુન
બોલીવુડ ના અભિનેતા આમીર ખાને નર્મદા યોજ્નાની ઉચાઇ વધારવાની સામે મેધા પાટકરે કરેલા વિરોધ સત્યાગ્રહમાં ભાગ લેવાથી ગુજરાતમાં તેની નવી ફીલ્મ "ફના" વિરુધ ઉગ્ર દેખાવો થઈ રહયા છે.
[ફેરફાર કરો] જુલાઇ ૨૦૦૫
[ફેરફાર કરો] ગુજરાતમાં પૂર
જુન ૨૦૦૫ ના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદે તબાહી મચાવી. ગુજરાતમાં પુરની પરીસ્થિતિને પહોંચી વળવા લશ્કરની મદદ લીધી.20 feet water in all surat to 5 days સરકારે તારીખ ૧ જુલાઇથી ૫ જુલાઇ ૨૦૦૫ સુધી રજા જાહેર કરી.
[ફેરફાર કરો] ડિસેમ્બર ૨૦૦૪
[ફેરફાર કરો] ત્સુનામીનો હાહાકાર
26 ડિસેમ્બરે એશિયાના અમુક દેશો પર કુદરતી પ્રકોપ ફરી વળ્યો જેમાં
ભારતમાં આશરે 16000 લોકો મૃત્યુ પામ્યાં.
[ફેરફાર કરો] ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧
[ફેરફાર કરો] કચ્છમાં ભયંકર ભુકંપ : હાહાકાર
ગુજરાતના કચ્છ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભયંકર મોટો ભુકંપ થયો. ઘણી જાન હાની અને માલ મિલક્તને નુકશાન થયું. ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૭ની નોંધાઈ હતી. ભુકંપમાં લગભગ ૨૦૦૦ થી વધુ લૉકૉનાં મૉત થયા હતા. ભૂકંપમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે ૬૦ જેટલી ઇમારતો ધરાશયી થઇ હતી. જેમાં અંદાજે ૭૦૦થી વધુ લોકોના મોત નીપજયાં હતાં અને સેંકડો લોકોને ઇજા પહોંચી હતી[૪].