વસ્ત્રાપુર તળાવ

વિકિપીડિયામાંથી
વસ્ત્રાપુર તળાવ
વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૨
વસ્ત્રાપુર તળાવ is located in ગુજરાત
વસ્ત્રાપુર તળાવ
વસ્ત્રાપુર તળાવ
સ્થાનવસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°02′18″N 72°31′44″E / 23.0384°N 72.5290°E / 23.0384; 72.5290
પ્રકારકૃત્રિમ
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારઅમદાવાદ

વસ્ત્રાપુર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઇ.સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

તળાવની ફરતે ચાલવા-જોગિંગ કરવા માટેની માર્ગ (૬૦૦ મીટર), નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધાઓ છે. તળાવની બધી બાજુ રસ્તાઓ આવેલા છે, જેની બીજી બાજુએ શોપિંગ સેન્ટરો (બજાર) વિકાસ પામ્યાં છે. આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી રેકંડીઓ છે. તળાવ સંકુલમાં એક ઓપન એર થિયેટર પણ આવેલું છે. તળાવની નજીકમાં અમદાવાદ વન (જુનું નામ: આલ્ફા વન) નામનો મૉલ આવેલો છે.

૨૦૧૩માં વસ્ત્રાપુર તળાવનું નામકરણ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર' તરીકે કરવામાં આવ્યું છે. તેમજ તળાવમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે.[૧]

૨૦૧૬માં તળાવ લગભગ સંપૂર્ણપણે સૂકાઇ ગયું હતું. લોકોએ મૃત માછલીઓને દૂર કરીને જીવિત માછલીઓને બચાવવા માટે તેમને અન્ય સ્થળોએ ખસેડી હતી.[૨]

સપ્ટેમ્બર ૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવને નર્મદા નદીના પાણીથી ભરવાની યોજના બનાવી હતી.[૩]

છબીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vastrapur Lake to become Narsinh Mehta Sarovar". ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૬.
  2. AFP (૩૦ એપ્રિલ ૨૦૧૬). "El Niño dries up Asia as La Niña looms". Cebu Daily News (અંગ્રેજીમાં). મેળવેલ ૨ મે ૨૦૧૬.
  3. Kaushik, Himanshu. "Vastrapur lake gets Narmada water: AMC | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-18.