વિક્રમ સારાભાઇ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
વિક્રમ અંબાલાલ સારાભાઇ
Vikram Sarabhai.jpg
ડૉ. વિક્રમ સારાભાઇ
જન્મની વિગત ૧૨ ઓગસ્ટ,૧૯૧૯
અમદાવાદ, ગુજરાત
મૃત્યુની વિગત ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧
થિરુવન્નથપુરમ માં કોવલમ, કેરાલા
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ પી.એચ.ડી.
વ્યવસાય વૈજ્ઞાનીક
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
વતન અમદાવાદ
ખિતાબ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
જીવનસાથી મૃણાલીની સારાભાઇ
સંતાન કાર્તિકેય - મલ્લિકા
માતા-પિતા સરલા - અંબાલાલ સારાભાઇ
નોંધ
ઇસરોનાં સ્થાપક.

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ (૧૨ ઓગષ્ટ ૧૯૧૯–૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] શરુઆતના વર્ષૉ

વિક્રમ સારાભાઇનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તોઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ સેન્ટર, અમદાવાદમા છે.

૧૯૪૦માં સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

[ફેરફાર કરો] કારકીર્દી

૧૯૪૧ થી ૧૯૪૫ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે.

ડૉ. હોમિભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઇએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઇ સાથે કામ કરવું એક સદ્ નસીબની વાત હતી.

વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

[ફેરફાર કરો] ભારતીય અવકાશીય કાર્યક્રમ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઇને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઇના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

[ફેરફાર કરો] અંગત જીવન

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ તેમનું નિદ્રામાંજ મૃત્યુ થયું.

[ફેરફાર કરો] પુરસ્કાર અને માનદ સ્થાનો

  • ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
  • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મભૂષણ (૧૯૬૬)
  • I.A.E.A ની શિબિરના પ્રમુખ (૧૯૭૦),
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મવિભૂષણ (૧૯૭૨)

[ફેરફાર કરો] સ્થાપના

  • આઈ.આઈ.ઍમ.(IIM-Indian Institute of Management) ની સ્થાપના.
  • અટીરા(ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.


[ફેરફાર કરો] બીજા માનદો

દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે થિરૂવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઇ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે.

અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે આઇ.આઇ.એમ.ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ