વિશ્વ સાક્ષરતા દિન

વિકિપીડિયામાંથી

વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]