સંજીવ કુમાર
સંજીવ કુમાર હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ ગુજરાતી હતાં. તેમણે નયા દિન નયી રાત ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. કોશિશ ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. શોલે ફિલ્મનું ઠાકુરનું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જીવન
સંજીવ કુમાર નો જન્મ ગુજરાત માં એક ગુજરતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ સૂરત હતું પાછળથી તેમનો પરિવાર મુંબઈ આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રશિદ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને સં ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અન્ધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તમના દાદા, પિતા, અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમાર ને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. આમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની 'સંઘર્ષ' માં દિલીપ કુમાર ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. આપણે જયા બચ્ચન ના સાસરા, પ્રેમી, પિતા, પતિ ની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક સલીમ ખાન એ તેમના સમકાલીન અમિતાભ બચ્ચન અને શશિ કપૂર ના પિતાની ભૂમિકા ત્રિશૂલમાં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે પૃથ્વીરાજ કપૂર જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.
[ફેરફાર કરો] કારકિર્દી
[ફેરફાર કરો] ફિલ્મી સફર
સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે દિલીપ કુમાર વિરુદ્ધ સંઘર્ષ ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ખિલૌના એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ આમની હિટ ફિલ્મ 'સીતા ઔર ગીતા' (૧૯૭૨) અને મનચલી (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો ગુલઝાર સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. શોલે (૧૯૭૫) ફિલ્મ માં આમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.
[ફેરફાર કરો] મુખ્ય ફિલ્મો
[ફેરફાર કરો] નામાંકન અને પૂરસ્કારો
- ૧૯૭૭ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - અર્જુન પંડિત
- ૧૯૭૬ - ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - આંધી