સંત તુકારામ
વિકિપીડિયા થી
સંત તુકારામ (૧૬૦૮-૧૬૫૦), જેઓ તુકારામ નામથી પણ ઓળખાય છે. સંત તુકારામ ૧૭મી સદીના એક મહાન સંત કવિ હતા. તેઓ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધારસ્તંભ હતા.
[ફેરફાર કરો] જીવનચરિત્ર
ખરું જોતા સંત તુકારામ જેવા મહાપુરુષનુ લખાણ, તેમનો ઉપદેશ એક ગામ, પ્રાંત કે દેશ માટે ઉપયોગી ન હોઈ સમસ્ત માનવજાતિ માટે તેનો ઉપયોગ છે. માનસ-માત્રાનાં કલ્યાણ અને ઉન્નતિના નિયમો અને ઉપાયો એમાં બતાવેલા હોય છે. જીવનમાં જે વિષયોને મહત્વ આપીને તેમને પોતાનું જીવન ખર્યુ હોય છે તે વિષયોને સમસ્ત માનવજાતિના કલ્યાણ સાથે સંબંધ હોય છે. તેથી ચારિત્ર્યવાન, ઈશ્વરનિષ્ઠ અને સદ્ગુણ સંપન્ન પુરુષને કયારેય પણ એકાદ ગામના કે પ્રાંતના ન માનતાં સમસ્ત જગતના આપણે માનવા જોઈએ. કારણ કે એ સંપત્તિ સમસ્ત માનવજાતિની છે. સંત તુકારામના જેટલી ખ્યાતી કોઇ પણ સંતને પ્રાપ્ત થયેલી નથી. સંસારનો ત્યાગ ન કરતા તેમણે પરમાર્થ પ્રાપ્તિ કરી લીધી. સાદી લોકભાષામાં અભંગો રચીને લોકાને ઉપદેશ કર્યો. ઉત્કટ ભક્તિભાવના, નિરપેક્ષતા અને સરળતા આવા તેમના મહાન ગુણોથી લોકો તેમના તરફ આકર્ષાયા હતા. લોકોમાં તેઓ અત્યંત પુજનિય થયા. તેમના અભંગોમાં, તેમના ઉદ્ગારોમાં ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા ઉત્પન્ન કરવાનું સામથર્ય છે અને જ્ઞાન આપીને તેને શાંત કરવાની પણ શક્તિ છે. જેઓ તેમનો અભ્યાસ કરશે આ પ્રકારનો અનુભવ આવ્યા વગર રહેશે નહીં.