સંત શ્રી આસારામજી બાપુ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
સંત શ્રી આસારામજી બાપૂ
----

સંત શ્રી આસારામજી બાપૂ

જન્મ તિથિ :
જન્મસ્થલ :
નિવાસ : અમદાવાદ, ભારત
રાષ્ટ્રીયતા : ભારતીય
ધર્મ : હિંદુ
ગુરુ : સ્વામી શ્રી લીલાશાહજી મહારાજ
માતા: મહઁગીબા
પિતા: થાઊમલજી સિરૂમલાની
સંતાન: શ્રી નારાયણ સ્વામી અને ભારતી દેવી
પ્રમુખ શિષ્ય : શ્રી સુરેશાનંદજી અને ડા. પ્રેમજી
પ્રસિદ્ધ: Pls add content
સંગઠન: સંત શ્રી આસારામજી આશ્રમ
વેબસાઈટ: www.ashram.org



હિન્દુ, મુસ્લિમ, શિખ, ઇસાઇ કે કોઇ પણ ધર્મ ના માનવ મા એક માત્ર પરમ પરમાત્મા નો અંશ રહેલો છે એ વાત ના હિમાયતી એવા પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી જેમેને લોકો પ્રેમ થી 'બાપુ' કહે છે.

[ફેરફાર કરો] જીવન પરિચય

જન્મ પૂજ્ય સંત શ્રી આસરામજી બાપુ નો જન્મ સિંધ પ્રાન્ત ના નવાબશાહ જિલ્લા ના સિંધ નદી ના કિનારે આવેલા બેરાણી ગામમા નગરશેઠ થાઉમલજી સિરુમલાની ના ઘરે તારીખ ૧૭ એપ્રિલ ૧૯૪૧ - વિક્રમ સંવત ૧૯૯૮ ચૈત્ર વદ છઠ્ઠ ના દિવસે થયો હતો. તેમની પુજનીય માતજી નુ નામ મહંગીબા છે. એ સમયે નામકરણ ની વિધિ મા તેમનુ નામ આસુમલ રાખવામા આવ્યુ હતુ.

બાળપણ પુજ્ય બાપુજી નુ બાળપણ સંઘર્ષો થી ભરપુર હતુ. અખંડ ભારતની વિભાજન વેળા ની મુશ્કેલ પરિસ્થિતી નો સામનો કરતા કરતા ભારત પ્રતી અત્યંત પ્રેમ હોવાથી તેમનુ પરિવાર પોતની ભરપુર ચલ અને અચલ સંપતિ છોડી ને અમદાવાદ શહેર મા ઇ.સ. ૧૯૪૭ મા આવ્યુ. પોતાના ધન-વૈભવ છુટી જવાના કારણે આ પરિવાર આર્થિક વિષમતા ના ચક્રવ્યુહ મા ફસાઇ ગયુ, પરંતુ કોઇ પણ રિતે આજીવિકા ચલાવવા માટે થાઉમલજીએ લાકડા અને કોલસા નો ધંધો શરુ કર્યો અને તેનાથી આ પરિવાર ની આર્થિક પરિસ્થિતી મા સુધાર આવવા લાગ્યો.

શિક્ષા પૂજ્ય બાપુજી ની શરુઆત ની શિક્ષા સિન્ધી ભાષા મા ચાલુ થઇ. ત્યાર બાદ તેમને સાત વર્ષ ની ઊમરે પ્રાથિમક શિક્ષણ માટે જયહિન્દ હાઇસ્કુલ, મણિનગર,અમદાવાદ મા પ્રવેશ અપાવવામા આવ્યો. તેમની અદભૂત સ્મરણ શક્તિ ને કારણે પૂજ્ય બાપુજી શિક્ષકો દ્વારા શિખવવામા આવેલી કવિતા, ગીત કે અન્ય પાઠો તુરંત જ અક્ષરશઃ યાદ રાખી ને સંભાળાવી દેતા હતા. વિધ્યાલય મા મધ્યાહન સમય ના વિશ્રામ દરમિયાન બાળાક આસુમલ રમવા-કુદવા મા અને ગપ્પાબજી મા સમય નહિ વેડફતા, એકાંત મા કોઇ વૃક્ષ નીચે બેસીને ઇશ્વર ના ધ્યાન મા તલ્લિન થઇ જતા હતા.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં