સરદાર સરોવર બંધ
સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વિજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે. આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ સતત વધારવામાં આવી રહી છે, જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. સરદાર સરોવર યોજનાની નહેરો તેમ જ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટર (આશરે ૪૪૫ ફુટ)ની સુચવવામાં આવી છે, જે નર્મદા બચાઓ આંદોલનને કારણે વિવાદમાં પડી છે, અને ભરતની સર્વોચ્ચ અદાલત તબકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે.
આ બંધની શાખા અને પેતા શાખા નહેરો દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લોનાં અંતરિયાળ ગામો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતિય ક્રમે આવતો વિશાળ બંધ છે. હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ લાભ મેળવે છે.
[ફેરફાર કરો] બંધનાં ફાયદા
બંધનાં બાંધકામથ્ઈ થનારા સુચિત ફાયદા, સર્વોચ્ચ ન્યાયાલયનાં ચુકાદામાં વર્ણવ્યા પ્રમાણે નીચે મુજબ છે:
- સિંચાઇ: ગુજરાતની ૧૭,૯૨૦ ચો.કિ.મી. જમીન, કે જે ૧૨ જિલ્લાલા, ૬૨ તાલુક અને ૩૩૯૩ ગામોમાં પથરાયેલી છે (જે પૈકીની પોણા ભાગની જમીન દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોમાં છે) અને રાજસ્થાનાં બાડમેર જિલ્લો અને જાલોર જિલ્લો જિલ્લાઓની ૭૩૦ ચો.કિ.મી. ની ઉજ્જડ જમીનને સિંચાઇનું પાણી પુરુ પડશે.
[ફેરફાર કરો] તબકાવાર વધેલી ઉંચાઇ
- ફેબ્રુઆરી ૧૯૯૯માં સર્વોચ્ચ ન્યાયાલયે પ્રારંભિક ૮૦ મીટરની ઉંચાઇથી ૮૮ મીટર સુધી વધારવા માટેની લીલી ઝંડી આપી.
- ઓક્ટોબર ૨૦૦૦માં ફરી એક વાર ૨ વિરુદ્ધ ૧ની બહુમતી વાળા ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને બંધની ઉંચાઇ ૯૦ મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી.
- મે ૨૦૦૨માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે (Narmada Control Authority) બંધની ઉંચાઇમાં વધુ પાંચ મીટર ઉમેરવાની સંમતિ આપી.
- માર્ચ ૨૦૦૪માં, વધુ એક વખત ઉંચાઇ વધારવાની મંજુરી મળી, આ વખતે ૧૧૦ મીટર સુધીની.
- માર્ચ ૨૦૦૬માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરથી વધારીને ૧૨૧.૯૨ મીટર સુધી લઇ જવાની છુટ આપી.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- સરદાર સરોવર નર્મદા નિગમની સત્તાવાર વેબસાઇટ
- નર્મદા બંધને લગતા સમાચારોની નિયમિત પણે ઉમેરાતી માહિતિ
- વર્લ્ડ બેંકે સરદાર સરોવર બંધ પરિયોજનાની અસરો ચકાસવા માટે ૧૯૯૨માં સ્થાપેલી સમિતિ (મોર્સ સમિતિ)એ આપેલા સ્વતંત્ર અહેવાલનો આખરી પત્ર djvu ફોર્મેટમાં અથવા pdf ફોર્મેટમાં.