સર્વમિત્ર સિકરી

વિકિપીડિયામાંથી
સર્વમિત્ર સિકરી
૧૩મો ભારતના મુખ્ય ન્યાયાધીશ
પદ પર
૨૨ જાન્યુઆરી ૧૯૭૧ – ૨૫ એપ્રિલ ૧૯૭૩
નિમણૂકવી. વી. ગીરી
પુરોગામીજયંતિલાલ છોટાલાલ શાહ
અનુગામીઅજીતનાથ રે
ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ
પદ પર
૩ ફેબ્રુઆરી ૧૯૬૪ – ૨૫ એપ્રિલ ૧૯૭૩
અંગત વિગતો
જન્મ(1908-04-26)26 April 1908[૧]
મૃત્યુ24 September 1992(1992-09-24) (ઉંમર 84)
રાષ્ટ્રીયતાભારતીય

ન્યા. સર્વમિત્ર સિકરી (૨૬ એપ્રિલ ૧૯૦૮ – ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૨) ભારત દેશના સર્વોચ્ચ ન્યાયાલયના તેરમા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે પોતાની વકીલાતની શરુઆત લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતેથી ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં કરી હતી. તેઓની ૧૯૬૪ના વર્ષમાં સર્વોચ્ચ ન્યાયાલય ખાતે નિયુક્તિ કરવામાં આવી હતી અને ૨૨ જાન્યુઆરી ૧૯૭૧ થી ૨૫ એપ્રિલ ૧૯૭૩ દરમિયાન તેઓ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. તેમણે કરેલા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકારના ખટલાનો ફેંસલો ભારત દેશના બંધારણીય ઇતિહાસમાં એક મહત્વનો પડાવ ગણાય છે.

  1. "Hon'ble Mr. Justice S.M. Sikri". Supreme Court of India. મેળવેલ 2012-06-24. CS1 maint: discouraged parameter (link)