અમાલી - કનૈયાલાલ મહારાજ મંદિર (વિષ્ણુ ભગવાન) માટે જાણીતું છે.
નગાઈ મંદિર - આ મંદિર નાગપુર કોકાલે ગામ નજીક પાંઝરા નદીને કિનારે આવેલ છે.
નિઝામપુર - આ સ્થળ હિમાડપતિ મંદિર માટે જાણીતું છે.
પિંપળનેર - ૪ થી સદીમાં ચાલુક્ય તામ્રપત્રની શોધ માટે જાણીતું છે.
ઈન્દાવે - ઈન્દાઈ દેવીના પ્રાચીન મંદિર માટે જાણીતું છે.
ચિકસે - ગંગેશ્વર મંદિર માટે જાણીતું છે.
બાદગાંવ - બારા ખાંભી મંદિર, મારુતિ-ગણપતિ મંદિર, મહાદેવ મંદિર અને ભવાની દેવી મંદિર માટે જાણીતું છે.
બલસાને - અહીં ટેકરી પર પથ્થરમાં ગુફાઓ તેમ જ હેમાડપંથી તથા બાહમણી શૈલીનાં મંદિરો છે.
ભામેર - અહીં પર્વત પર ભામેરનો કિલ્લો તથા ગુફાઓ આવેલ છે. આ કિલ્લામાં મોટેભાગે જમીનના તળ નીચેના ભાગમાં બાંધકામ કરવામાં આવેલ છે, જે કદાચ મધમાખીઓથી બચવા માટે કરવામાં આવેલ છે. સ્થાનિક લોકોમાં અહીંની ગુફાઓ ગવળી રાજાના ઘર તરીકે જાણીતી છે.