સિસોદીયા
વિકિપીડિયાથી
- આ લેખ સિસોદીયા રજપૂત વંશ વિષે છે. રજપૂતોમાં વપરાતી અટક માટે સિસોદીયા (અટક) લેખ જુઓ.
ચિત્ર:Sri Ram.jpg
શ્રી રામ સૂર્યવંશી ક્ષત્રિય હતા
સિસોદીયા એ રજપૂત વંશ છે જેઓએ રાજસ્થાનના મેવાડ સામ્રાજ્યમાં રાજ કર્યું. રાણા હમીર પહેલાં આ કુળ ગેહલોત કે ગુહીલોત તરીકે ઓળખાતું હતું. સને ૧૩૦૩ માં અલ્લાઉદીન ખિલજી એ ચિત્તોડ પર હુમલો કર્યો.આ યુદ્ધમાં કિલ્લામાં રહેલા તમામ રજપૂતો માર્યા ગયા થયા અને રાણી પદ્મિની એ જૌહર કર્યું.જેઓ કિલ્લાની બહાર હતા તેવા કેટલાક યોદ્ધાઓ બચી ગયા. આ બચી જનારાઓમાં સિસોડા ગામનો હમીર પણ હતો. ૨૩ વર્ષનાં મુસ્લિમ શાસન પછી તેમણે ચિત્તોડ પર ફરી શાસન સ્થાપ્યું. તેમનાં ગામ "સિસોદા" પરથી તેમનું કુળ સિસોદીયા તરીકે ઓળખાયું.