સુરેન્દ્રનગર
| સુરેન્દ્રનગર | |
|
|
|
| રાજ્ય - જિલ્લો |
ગુજરાત - સુરેન્દ્રનગર જિલ્લો |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
૪૫ km² - ૯૮ m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(2009) - ગીચતા |
૪,૦૦,૦૦૦ - |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૬૩૦૦૧ - +૦૨૭૫૨ - GJ-13 |
</noinclude> સુરેન્દ્રનગરનું જૂનું નામ વઢવાણ કેમ્પ હતું. ત્યાર બાદ વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહનાં નામ પરથી આ શહેરનું બદલીને નામ સુરેન્દ્રનગર પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર નો ઇતિહાસ લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ જૂનો હશે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] ઇતિહાસ
એક માત્ર મૂળી જ્યાં પરમાર રાજપૂતો રાજ કરતાં તે સિવાય અહીંના તમામ રજવાડા ઉપર ઝાલા વંશનું શાસન હતું. ૧૦ મી સદીથી ૧૯૪૮ સુધીના ઝાલાઓ અહીંના રાજા હતા અને એટલે, આ પ્રદેશ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. એ ઉલ્લેખનીય છે કે જીલ્લાના જૈનાબાદ, દસાડા તથા બજાણા જેવા રજવાડા મુસલમાનોના શાસન હેઠળ હતા. હાલનું સુરેન્દ્રનગર એક વેળાએ બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું. અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું વઢવાણના રાજવીને એ એજન્ટે ૧૯૪૬ માં સોંપેલા આ કેમ્પને રાજવી શ્રી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ અપાયું. ૧૯૪૮ થી આ સુરેન્દ્રનગર, જીલ્લાનું મુખ્ય મથક બની રહ્યું છે.
[ફેરફાર કરો] મુખ્ય
સુરેન્દ્રનગર ગુજરાતનાં વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે જે સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્ર નુ પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે. સુરેન્દ્રનગરનુ જુનું નામ વઢવાણકેમ્પ હતું આ શહેર ભોગાવો નદીના કિનારા પર વસેલુ છે.
[ફેરફાર કરો] ઓળખાણ
સુરેન્દ્રનગર અને વઢવાણ લગભગ જોડીયા શહેરોની જેમ વિકસી રહ્યા છે.
[ફેરફાર કરો] વહિવટીય
સુરેન્દ્રનગર શહેરમાં નગરપાલીકા અસ્તિત્વમાં છે. સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છે.