સુરેન્દ્રનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાની પાડોશમાં કચ્છ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જિલ્લાઓ આવેલા છે. જિલ્લો ખેતી અને ઔધોગિક દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે, અહિં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે, આ ઉપરાંત અનેક નામી કલાકારો અને સાહિત્યકારો આ જિલ્લાની ધરતી પર જન્મ્યા છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં જ ભરાય છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] ભૌગોલિક
સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૪૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૧.૪૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે રાજકોટ, ઉત્તરે મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે ભાવનગર જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસતિ ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ૧૫,૧૫,૧૪૭ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.
[ફેરફાર કરો] જળસ્ત્રોત
- નદીઓ - મુખ્યત્વે ભોગાવો અને ફલકુ નદીઓ આવેલી છે.
- કેનાલો - નર્મદા કેનાલ
- જળાશયો - ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ.
- તળાવો - જોગાસર, રામસાગર, ધરમ, છાલિયા તળાવો છે.
[ફેરફાર કરો] ઉદ્યોગો
મુખ્ય ઉદ્યોગ બેરીંગ ,મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને દસાડામાં મીઠાંના મુખ્ય ઊદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉદ્યોગો આવેલ છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.
[ફેરફાર કરો] કૃષિ, પશુપાલન અને ડેરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૯૫,૦૭૬ હેકટર પૈકીના કુલ ૧,૫૭,૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમીન છે. આ જિલ્લાની મહદ્અંશે જમીન સમતલ અને ગોરાડું છે. આ જીલ્લા નો મુખ્ય પાક કપાસ છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ,મરચા વગેરે પાકો થાય છે.
ઇ.સ. ૧૯૯૭ની ગણતરી મુજબ કુલ ૨,૭૧,૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલાદનાં છે. તેમજ ભેંસો - ૧,૬૫,૧૯૭, ઘેંટાં ૯૯,૫૭૨, બકરાં ૧૬,૪૪૫૮, ગધેડા ૨,૦૯૫, ઊંટ ૪૪૬ એ રીતનું પશુધન આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ડેરી નીચે કુલ ૧૭૮ દૂધ મંડળીઓ ઊભી કરી સમગ્ર જિલ્લામાંથી દૂધ સુરેન્દ્રનગર શહેર ખાતે મુખ્ય ડેરી ખાતે લાવી શ્વેતક્રાંતિનું સર્જન કરેલ છે.
[ફેરફાર કરો] મુખ્ય ખનીજ
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ આવેલ છે.
[ફેરફાર કરો] શિક્ષણ
- પ્રાથમિક શાળાઓ - ૪૮૯૧
- માધ્યમિક શાળાઓ - ૧૫૨૨
- ઉચ્ચ માધ્યમિક શાળાઓ - ૧૪૯
- કોલેજો - ૬૦
- પોલિટેક્નિક કોલેજ - ૧
ઉપરાંત પી.ટી.સી., ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિકલ, બી.એડ. કોલેજ પણ આવેલી છે.
[ફેરફાર કરો] શાસકીય
સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંચાયત અને ૬૧૭ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી અને ચોટીલા એમ કુલ ૭ નગરપાલિકાઓ આવેલ છે. તેમજ દસાડા, ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ ૬ વિધાનસભા મત વિસ્તાર આવેલ છે અને એક લોકસભા મત વિસ્તાર છે.
[ફેરફાર કરો] તાલુકા
પાટડી
[ફેરફાર કરો] કલાકારો
[ફેરફાર કરો] સાહિત્યકારો
કવિ દલપતરામ, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ પંચોળી, કુમારપાળ દેસાઇ, કુન્દનિકા કાપડિયા, જયંત કોઠારી, લાભશંકર ઠાકર, ભાનુભાઇ શુક્લ, મીનપિયાસી, પ્રજારામ રાવળ, લાભશંકર રાવળ "શાયર", અમૃત ત્રિવેદી "રફિક", દિલીપ રાણપુરા, દેવશંકર મહેતા, રમેશ આચાર્ય,એસ.એસ.રાહી, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, બકુલ દવે, ગિરીશ ભટ્ટ, વિગેરે ખ્યાતનામ સાહિત્યકારોનાં નામ સુરેન્દ્રનગર સાથે જોડાયેલાં છે
[ફેરફાર કરો] લોક કલાકારો
બાબુભાઈ રાણપુરા, બચુભાઈ ગઢવી,વશરામભાઈ પરમાર, શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઢવી, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, મનુભાઈ ગઢવી, હેમુ ગઢવી, પુંજલભાઈ રબારી, સુરેશ રાવળ, ભીખાલાલ મોજીદડવાળા વગેરે સુરેન્દ્રનગરના લોક-સાહિત્યકાર છે.
[ફેરફાર કરો] અન્ય
આ ઉપરાંત અભિનેત્રી ડીમ્પલ કાપડીયા, ગાયક - કલાકારો પંકજ ઉધાસ અને મનહર ઉધાસ, સંજય ગઢવી વગેરે સુરેન્દ્રનગર સાથે સંબંધીત કલાકારો છે. તસવીરકાર ઝવેરીલાલ મહેતા પણ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની છે.
[ફેરફાર કરો] ઝાલાવાડ
સુરેન્દ્રનગરને ઝાલાવાડના નામે પણ ઓળખવામાં આવે છે.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો] તિર્થ ધામ
- મહાવિર સ્વામિના પગલા વઢવાણ
- સ્વામિનારાયણ મંદિર, વઢવાણ
- રાણકદેવીનું મંદિર, વઢવાણ
- ચામુંડા માતાનું મંદિર, ચોટીલા
- ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, તરણેતર
- મેલડી માતાનું મંદિર, સરા
- જૈનતિર્થ, ડોળીયા અને શીયાણી
- સામુદ્રી માતાનું મંદિર, સુંદર ભવાની
- લાલજી મહારાજની જગ્યા, સાયલા
- માંડવરાયજી મંદિર, મુળી
- સ્વામિનારાયણ મંદિર, મુળી
- રાજરાજેશ્વરી માતાનું મંદિર,ઝીંઝુવાડા
- ધામા (શાક્તિ માતાજી પ્રાચિન્ મંદિર)
- દુધરેજ (શ્રી વડવાળા દેવ)
- સાપકડા (બુટભવાની મંદિર)
- સ્વામિનારાયણ મંદિર ચરાડવા
- બ્રાહ્મણી ડેમ મેરુપર
- વણા (શાક્તિ માતાજી પ્રાચિન્ મંદિર)
- નથુરામ શર્મા (ગુરુદેવ) નો આશ્રમ મોજીદડ
- ગુરુકુળ,ધ્રાંગધ્રા
- જોગાસર,ધ્રાંગધ્રા
- ઞણપતિ ફાટસર, [વઢવાણ]
- રામદેવપીર મદિર [પીપલી]
[ફેરફાર કરો] પર્યટન સ્થળો
- ધોળીધજા ડેમ
- નાયકા ડેમ(ગોતમ ગઢ)
- શ્રી શાલીગ્રામ આશ્રમ, મુળી
- શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલા
- ઘુડખર અભયારણ્ય
- બ્રાહ્મણી ડૈમ [સુર્યાનગર]
- નવલખો [સેજકપર]
- માત્રીમાંનીવાવ[રામપરા]
[ફેરફાર કરો] લોક મેળાઓ
- તરણેતરનો મેળો
- લીંખડીનો મેળો
- અષાઢી બીજનો મેળો
- વિસત માતાનો દિવાસાનો મેળો-આદરીયાણા
- ચરમારિયા દાદાનો મેળો - સુન્દરગઢ (સુર્યાનગર)
- દેરિયાળિ મેળો - રણિજતગઢ
- નારીચાણા મેળો - નારીચાણા
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
![]() |
કચ્છ જિલ્લો | પાટણ જિલ્લો | અમદાવાદ જિલ્લો | ![]() |
| રાજકોટ જિલ્લો | અમદાવાદ જિલ્લો | |||
| રાજકોટ જિલ્લો | ભાવનગર જિલ્લો | અમદાવાદ જિલ્લો |
| ગુજરાતના જિલ્લાઓ |
|---|
| અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
