સુરેશ દલાલ

વિકિપીડિયામાંથી
સુરેશ પુરૂષોત્તમદાસ દલાલ
સુરેશ દલાલ, મુંબઈ ખાતે, ૨૦૦૬
સુરેશ દલાલ, મુંબઈ ખાતે, ૨૦૦૬
જન્મ(1932-10-11)11 October 1932
થાણા, મહારાષ્ટ્ર, બ્રિટિશ ભારત
મૃત્યુ 10 August 2012(2012-08-10) (ઉંમર 79)
મુંબઈ, ભારત
ઉપનામકિશત, વકીલ, રથિત,શાહ
વ્યવસાયકવિ, નિબંધકાર, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ.એ.,
  • પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનોઅખંડ ઝાલર વાગે
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૫), નરસિંહ મહેતા એવોર્ડ, નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૮)
સહી
વેબસાઇટ
suresh-dalal.in

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ) પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પીએચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે. જે. સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.[૧][૨][૩][૪]

ઉપરાંત તેઓ કવિતા માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે.

૧૦ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.[૧]

સર્જન[ફેરફાર કરો]

કાવ્યસંગ્રહો[ફેરફાર કરો]

  • એકાન્ત (૧૯૬૬)
  • તારીખનું ઘર (૧૯૭)
  • અસ્તિત્વ (૧૯૭૩)
  • નામ લખી દઉં (૧૯૭૫)
  • હસ્તાક્ષર (૧૯૭૭)
  • સિમ્ફની (૧૯૭૭)
  • રોમાંચ (૧૯૭૮)
  • સાતત્ય (૧૯૭૮)
  • પિરામિડ (૧૯૭૯)
  • રિયાઝ (૧૯૭૯)
  • વિસંગતિ (૧૯૮૦)
  • સ્કાઈસ્ક્રેપર (૧૯૮૦)
  • ઘરઝુરાપો (૧૯૮૦)
  • એક અનામી નદી (૧૯૮૨)
  • ઘટના (૧૯૮૪)
  • રાધા શોધે મોરપિચ્છ (૧૯૮૪)
  • કોઈ રસ્તાની ધારે ધારે (૧૯૮૫)
  • પવનના અશ્વ (૧૯૮૭)

એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને કાવ્યસૃષ્ટિ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.

બાળકાવ્ય સંગ્રહ[ફેરફાર કરો]

  • ઈટ્ટા-કિટ્ટા (૧૯૬૧)
  • ધીંગામસ્તી (૧૯૬૩)
  • અલકચલાણું (૧૯૬૪)
  • ટિંગાટોળી (૧૯૯૭)
  • ભિલ્લું
  • છાકમ છલ્લો (૧૯૭૭)
  • બિન્દાસ (૧૯૮૦)

વાર્તાસંગ્રહ[ફેરફાર કરો]

  • પિનકુશન (૧૯૭૮)

એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે.

નિબંધસંગ્રહો[ફેરફાર કરો]

  • મારી બારીએથી -ભા.-૨ (૧૯૭૫)
  • સમી સાંજના શમિયાણામાં (૧૯૮૧)
  • ભૂરા આકાશની આશા (૧૯૮૨)
  • મોજાને ચીંધવા સહેલાં નથી (૧૯૮૪)
  • અમને તડકો આપો (૧૯૮૭)

વિવેચન ગ્રંથ[ફેરફાર કરો]

  • અપેક્ષા (૧૯૫૮)
  • પ્રક્રિયા (૧૯૮૧)
  • સમાગમ (૧૯૮૨)
  • ઈમ્પ્રેશન્સ (૧૯૮૪)
  • કવિપરિચય (૧૯૮૬)
  • કવિતાની બારીએથી (૧૯૮૭)

સંપાદનગ્રંથો[ફેરફાર કરો]

  • કાન્ત વિષયક ઉપહાર (૧૯૫૭)
  • ઉમાશંકર વિષયક કવિનો શબ્દ (૧૯૫૮)
  • સુન્દરમ્ વિષયક તપોવન (૧૯૫૯)
  • વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક સહવાસ (૧૯૭૫)
  • જયંત પાઠક વિષયક વગડાનો શ્વાસ (૧૯૭૮)
  • મકરંદ દવે વિષયક અમલપિયાલી (૧૯૮૦)

અનુવાદો[ફેરફાર કરો]

  • નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂં (૧૯૬૭)
  • મરાઠી કવિતા (૧૯૭૭)
  • ત્રિરાત (૧૯૮૫)

આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોર સાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

પુરસ્કારો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Noted Gujarati poet no more - The Times of India". The Times of India. ૧૨ ઓગસ્ટ ૨૦૧૨. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ "Sanskrit Sahitya Akademi Awards 1955-2007". Sahitya Akademi Official website. મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-21.
  3. Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ ૮૩૮. ISBN 978-81-260-1803-1.
  4. "Suresh Dalal, 1932-". New Delhi: The Library of Congress Office.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]