સૌંદર્ય શાસ્ત્ર

વિકિપીડિયામાંથી

સૌંદર્ય શાસ્ત્ર (જેની જોડણી અંગ્રેજીમાં આ રીતે પણ થાય છે æsthetics અથવા esthetics ) તે સૌંદર્ય, કલા અને રુચિ તેમજ સૌંદર્યના સર્જન તથા કદર કરતી દર્શનશાસ્ત્રની જ એક શાખા છે.[૧] વૈજ્ઞાનિક રીતે તેને સંવેદના અથવા અનુભૂતિજન્ય ભાવનાત્મક મૂલ્યોના અભ્યાસ તરીકે વધુ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને કયારેક લાગણી અને રુચિના નિર્ણયો તરીકે ગણવામાં આવે છે.[૨] વધુ વિસ્તૃત રીતે કહીએ તો, આ ક્ષેત્રના પંડિતો સૌંદર્ય શાસ્ત્રની વ્યાખ્યા "કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પર ટીકાત્મક પ્રતિભાવ" તેવી આપે છે.[૩][૪] સૌંદર્ય શાસ્ત્ર તત્ત્વજ્ઞાનની એક શાખા ગણાતા એક્સીઓલોજીની એક પેટા-વિદ્યાશાખા છે અને તે કલાના તત્ત્વજ્ઞાન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે.[૫] સૌંદર્ય શાસ્ત્રથી સૃષ્ટિના દર્શન અને તેના જ્ઞાનબોધની નવી નવી પધ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે.[૬]

વ્યુત્પત્તિશાસ્ત્ર[ફેરફાર કરો]

1735માં જર્મન શબ્દ Æsthetik (આધુનિક જોડણી Ästhetik )માંથી એલેકઝાન્ડર બેલમ્ગાર્ટને "aesthetics" (સૌંદર્ય શાસ્ત્ર) શબ્દ બનાવ્યો હતો. આ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ αισθητικός (aisthetikos, જેનો અર્થ “કલા-ભાવુક-સંવેદનશીલ" એમ થાય છે), પરથી આવેલો હતો, જે કાળક્રમે αίσθηση-αισθάνομαι (aisthese-aisthanomai, જેનો અર્થ “ પ્રતીતિ થાય તેવી-લાગણીની અનુભૂતિ થવી” એવો થાય છે) તેના પરથી ઉતરી આવેલો હતો.[૭]

સૌંદર્યની કદર કરવાની નિર્ણયશક્તિ[ફેરફાર કરો]

સૌંદર્યની કદર કરતા મૂલ્યોનો નિર્ણય સંવેદનાત્મક સ્તરે ગુણદોષ પારખવાની આપણી ક્ષમતા પર અવલંબે છે. સૌંદર્ય શાસ્ત્રથી કોઈ વસ્તુ અથવા ઘટનાના પ્રતિભાવરૂપે આપણી અંદરના ભાવક્ષેત્રની પરખ થાય છે.

ઈમેન્યુઅલ કેન્ટે સન 1790માં તેના એક લેખમાં માનવી વિષે તારણ નોંધ્યું છે કે “જો તે કહે છે કે કેનરી વાઈન સ્વીકાર્ય છે તો તેને અત્યંત સંતોષ થયો છે, જો બીજી કોઈ વ્યકિત તેના આ જ શબ્દોને સુધારે તો તેને બદલે એમ કહેશે: કેનેરી વાઈન મને સ્વીકાર્ય છે," કારણ કે “ દરેકને પોતાની એક અલગ રુચિ (સ્વાદ) હોય છે.” “સૌંદર્ય” ની બાબત માત્ર “સમાન મત"થી અલગ પડે છે કારણ કે "કોઈ વ્યકિત કોઈ વસ્તુને સુંદર હોવાનું જાહેર કરે તો તેના માટે તે જરૂરી બની જાય છે કે બીજી વ્યકિત પણ તેજ વસ્તુને પસંદ કરે; ત્યારબાદ તે માત્ર પોતાને માટે જ નહિ પરંતુ દરેકને માટે નક્કી કરે છે, અને સુંદરતા વિષે તેવી રીતે વાત કરે છે કે જાણે તે કોઇ વસ્તુની માલિકી હોય.”

સૌંદર્યલક્ષી સમજ સામાન્ય રીતે સંવેદન ભેદભાવથી પણ આગળ વધે છે. ડેવિડ હયુમના મંતવ્ય પ્રમાણે, રુચિનું માધુર્ય એ માત્ર "રચનાના તમામ ઘટકોને શોધવાની ક્ષમતા જ નથી", પરંતુ "બાકીની માનવજાતિના અનુભૂતિમાં ન આવતી વેદનાઓ અને આનંદ પ્રત્યેની" આપણી સંવેદનશીલતા પણ છે. (એસેઈઝ મોરલ, પોલિટીકલ એન્ડ લીટરરી. ઈન્ડિયાનાપોલીસ, લિટરરી કલાસિકસ 5, 1987.) આવી રીતે, સંવેદનાનો ભેદભાવ આનંદ માટેની ક્ષમતા સાથે સંકળાયેલો છે. કેન્ટના મતે “આનંદ માણવો” એ અનુભૂતિમાંથી ઉદ્ભવતા આનંદનું પરિણામ છે, પણ કોઈ વસ્તુ “સુંદર” હોવાનો નિર્ણય ત્રાહિત જરૂરિયાતનો વિષય છે: અનુભૂતિ દ્વારા વિમર્શાત્મક ચિંતનની આપણી ક્ષમતાઓને કાર્યાન્વિત કરીને આનંદની વૃદ્ધિ થતી હોવી જોઈશે. સૌંદર્યના નિર્ણયો બધી રીતે સંવેદનશીલ, ભાવનાત્મક અને બૌદ્ધિક હોય છે.

સૌંદર્યદ્રષ્ટાના અર્થઘટનો મૂલ્યોની બે સંકલ્પનાઓ દર્શાવે છે: સૌંદર્ય શાસ્ત્ર અને રુચિ. સૌંદર્ય શાસ્ત્ર એ સૌંદર્યની દાર્શનિક કલ્પના છે. રુચિ એ શિક્ષણ અને ઉચ્ચ સાંસ્કૃતિક મૂલ્યોના અવબોધનું પરિણામ છે; તેથી રુચિને જાણી શકાય છે. રુચિ વર્ગ, સાંસ્કૃતિક પશ્ચાદભૂ અને શિક્ષણ અનુસાર ભિન્ન હોય છે. કેન્ટના મંતવ્યાનુસાર, સૌંદર્ય હેતુલક્ષી અને સાર્વત્રિક હોય છે; આમ અમુક વસ્તુઓ તમામને મતે સુંદર હોય છે. સૌંદર્યનો સમકાલીન મત સહજ ગુણો આધારિત નહિ, પરંતુ સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ અને વ્યક્તિગત અર્થઘટનો આધારિત હોય છે.

સૌંદર્યલક્ષી સમજમાં સમાવિષ્ટ પરિબળો[ફેરફાર કરો]

સૌંદર્યલક્ષી મૂલ્યોની સમજ કયારેક અન્ય અનેક પ્રકારના પ્રશ્નોની સાથે સંકળાયેલી હોવાનું જણાય છે. અણગમા જેવા પ્રતિભાવ એવું જણાવે છે કે સંવેદનાલક્ષી સૂચન મુખભાવો અને વિનોદ પ્રતિક્રિયા જેવા વર્તન સાથે પણ સહજવૃત્તિ રીતોથી સંકળાયેલા છે. તેમ છતાં, અણગમો અમુક સમયે જાણી શકાય છે અથવા સાંસ્કૃતિક પ્રશ્નો પણ; ડાર્વિનના જણાવ્યા અનુસાર, સૂપ કે દાઢી બંને પોતે અણગમા કારક વસ્તુ ન હોવા છતાં પણ દાઢી પર ચોંટેલા સૂપને જોઈને આપણને ચીતરી ચઢે છે. સૌંદર્યલક્ષી સમજને લાગણીઓ સાથે અથવા આપણા ભૌતિક અથવા દેખીતા પ્રત્યાઘાતોમાં આંશિક રીતે આકાર લેતી તેના જેવી લાગણીઓ સાથે સાંકળી શકાય. ઉત્કૃષ્ટ દ્રશ્ય જોતાવેંત જ આપણા મનમાં અહોભાવની પ્રતિક્રિયા પેદા થતી હોય છે, જે આપણા હૃદયના વધતા ધબકાર અથવા આશ્ચર્યચકિત થતી આપણી આંખોથી દેખીતી રીતે પ્રગટ થઈ શકે. આ અભાનપણે પ્રગટની પ્રતિક્રિયાઓ, જે ઉત્કૃષ્ટ દ્રશ્ય શ્રેષ્ઠ છે તે આંશિક રીતે પણ નક્કી કરી આપતી હોય છે.

એવી જ રીતે, રસલક્ષી સમજ અમુક અંશે સાંસ્કૃતિક રીતે અનુકૂલન ધરાવતી હોઈ શકે. બ્રિટનના વિક્ટોરિયાનો આફ્રિકન શિલ્પોને અમુક વખત બેડોળ કે કદરૂપા હોવાનું ગણતા, પણ માત્ર થોડા દાયકા વિત્યા બાદ, એડવાર્ડિયન દર્શકોએ એ જ શિલ્પોને સુંદર હોવાનું જણાવ્યું. સૌંદર્યના વિવેકહીન ઉપયોગ, સૌંદર્યના મૂલ્યાંકનોને ઈચ્છનીયતા, કદાચ કામુક ઈચ્છનીયતા સાથે પણ બરાબર જોડી શકાય. આમ, સૌંદર્યલક્ષી મૂલ્યની સમજને આર્થિક, રાજકીય અથવા નૈતિક મૂલ્ય સાથે સંકળાયેલા હોઈ શકે.[૮] આપણે લમ્બોરગીનીને અમુક અંશે સુંદર હોવાનું નક્કી કરી શકીએ કારણ કે તે મોભાના એક પ્રતિક તરીકે ઈચ્છનીય છે, અથવા તેને ઘૃણાકારક તરીકે પણ અમુક અંશે ગણી શકીએ કારણ કે તેનાથી આપણા અતિ-ઉપયોગનો સંકેત આપીને આપણા રાજકીય અથવા નૈતિક મૂલ્યો પર તરાપ મારે છે.[૯]

પ્રાણી અને માનવ વર્તન પર થયેલ અભ્યાસો પર આધારીત "પાર્ટ એન્ડ પાર્સલ ઇન એનિમલ એન્ડ હ્યુમન સોસાયટી", વોલ્યુમ. 2. પૃ. 115–195. કેમ્બ્રિજ, માસ: હાવર્ડ યુપી, 1971 (મૂળ પ્રકાશન 1950.) સૌંદર્યલક્ષી સમજ અમુક વખત અત્યંત સૂક્ષ્મ પ્રકારની અને આંતરિક રીતે વિરોધાભાસી હોઈ શકે. એવી જ રીતે સૌંદર્યલક્ષી સમજ અમુક વખત અમુક અંશે ઓછામાં ઓછી બૌદ્ધિ અને અર્થઘટનાત્મક જણાતી હોય છે. વસ્તુનો અર્થ અથવા સંકેત આપણને મળે તેની પરથી આપણે નક્કી કરીએ છીએ. આધુનિક સૌંદર્યશાસ્ત્રીઓએ સમર્થન આપ્યું છે કે સૌંદર્યલક્ષી અનુભવોમાં ઈચ્છા અને આંકાક્ષા લગભગ સુષુપ્ત રહ્યા હતા છતાં 20મી સદીના અમુક વિચારકોને અગ્રતા અને પસંદગીને મહત્વના સૌંદર્ય શાસ્ત્ર તરીકે જણાયેલી છે. આ મુદ્દો હયુમ દ્વારા અગાઉ ઉઠાવવામાં આવ્યો છે પણ એસ્થેસ્ટિક, 2004ની બ્લેકવેલ ગાઈડમાં મેરી મધરસીલની કૃતિ “બ્યુટી અને ક્રિટીક્સ જજમેન્ટ” જુઓ. આવી રીતે સૌંદર્યલક્ષી સમજ વ્યકિત ચોક્કસ રીતે જે સિધ્ધાંત અપનાવે તેના આધારે, જ્ઞાન, લાગણીઓ, બૌધ્ધિક મંતવ્યો, ઈચ્છા, આકાંક્ષા, સંસ્કૃતિ, પસંદગી, મૂલ્યો, અવચેતન વર્તણૂક, સભાન નિર્ણય, તાલીમ, સહજવૃત્તિ, સામાજિક સંસ્થાઓ અથવા આમાંના અમુક સંકુલ સંયોજનોને આધારિત હોવાનું જણાય છે.

નૃવંશશાસ્ત્ર, ખાસ કરીને ગોર્ડન ઓરિયન્સ અને અન્યોએ સૂચવેલા સવાના હાઈપોથિસિસ થી એવી ધારણા કરી છે કે લોકો જે અમુક હકારાત્મક સૌદર્ય શાસ્ત્ર ધરાવતા હોય છે તે સર્જનાત્મક માનવીઓના સાહજીક જ્ઞાનને આધારિત હોય છે. એવું જણાયું છે કે લોકો કોઈ વૃક્ષને બીજા સ્વરૂપમાં અથવા વૃક્ષ જેવી લાગતી ન હોય તેવી વસ્તુને જોવા કરતા કોઈ ઘટાદાર વૃક્ષને જોવાનું વધુ પસંદ કરે છે અને તેનાથી તે વધુ ખુશ થાય છે;[સંદર્ભ આપો] સારી પોષક ગુણવત્તા ધરાવતી તંદુરસ્ત વનસ્પતિઓને કારણે ઉપસતો ચમકદાર લીલો રંગ ઓછા ચમકદાર લીલા અને નારંગી રંગ સહિત ઓછા ચમકદાર લીલા રંગ ધરાવતા વૃક્ષો કરતા વધુ શાતા આપે છે.

શું કલાના વિવિધ પ્રકારો સુંદર, અરુચિકર અથવા કંટાળાજનક હોય છે?[ફેરફાર કરો]

સૌદર્યલક્ષી સમજના અભ્યાસમાં ત્રીજો મહત્વનો વિષય એ છે કે કલાના વિવિધ રૂપો સમગ્રપણે એકરૂપ કઈ રીતે હોય છે. આપણે કોઈ વ્યકિત, ઘર, સ્વર, સુગંધ અને ગાણિતીક સાબિતીને સુંદર કહી શકીએ. તેમાં એવી કઈ લાક્ષણિકતાઓ હોય છે કે જે તેમને સુંદરતાનું પદ આપે છે? કોઈ ગાણિતીક સાબિતી અને સુગંધ બંન્નેને સુંદર ગણાવી શકાય એવી કોઈ સંભવિત લાક્ષણિકતા તેમાં રહેલી છે? એવી કોઈ વસ્તુથી કોઈ ચિત્રની સુંદરતા એ સંગીતની સુંદરતાથી બિલકુલ ભિન્ન લાગે છે, આ વસ્તુ જ સૂચવે છે કે કલાના દરેક રૂપને સૌંદર્ય શાસ્ત્રની સમજ માટે પોતાની ભાષા હોય છે.[૧૦]

એવી જ રીતે, સૌંદર્ય લક્ષી નિર્ણય કરતી વખતે કોઈને ચોક્કસ રીતે અભિવ્યકત કરવા માટે શબ્દો જ મળતા નથી હોતા. સૌંદર્યલક્ષી સમજ અનુભવજન્ય નિર્ણય હોઈ શકે નહિ. તેથી, ચોકસાઈ માટેની અશ્કયતાને લીધે, સાંસ્કૃતિક દૃષ્ટિએ કયો અર્થઘટનો કરવા તે દ્વિધા પ્રવર્તતી હોય છે. પ્રમાણભૂત અંગ્રેજી ભાષામાં અચોકસાઈને લીધે, જુદી જુદી બે વ્યકિતઓએ સંપૂર્ણ રીતે અનુભવેલી બે જુદી જુદી લાગણીઓને સમાન મૌખિક શબ્દપ્રયોગથી પ્રસ્તુત કરી શકાય છે. સૌંદર્ય શાસ્ત્ર અને ભાષાકીય રમતોના વિષયમાં વિટ્જેન્સ્ટેઈને આ વસ્તુ જણાવેલી.

આપેલા સામાજિક વર્ણપટમાં, જે કદાચ સામાજિક રીતે નક્કી કરેલી ઘટના હોઈ શકે તેમાં સ્વૈચ્છિક સહભાગીઓ સાથે સાંસ્કૃતિક અથવા અન્ય સંદર્ભથી સુંદરતાની સામૂહિક ઓળખ વિષે ચર્ચા યોજવામાં આવેલી. સૌંદર્યલક્ષી સમજને કોઈ અંતર્નિહિત ઐકય હોય છે અને કોઈ સુંદર ઘર, સુંદર સાબિતી અને સુંદર સૂર્યાસ્તની સમાનતા વ્યકત કરવા માટે કોઈ રીત હોય છે?[૧૧] તે નક્કી કરવામાં, વિટ્જેન્સ્ટેઈને સૌંદર્ય શાસ્ત્ર પરના પોતાના વ્યાખ્યાનોમાં દલીલ કર્યા મુજબ સમગ્ર ઘટનાના વર્ણનની જરૂર પડે છે. એવી જ રીતે પ્રાકૃતિક વિશ્વમાં સૌદર્યની વિભાવના, ખાસ કરીને માનવીની સૌંદર્યની વિભાવના કોઈ વસ્તુ સુંદર હોવા તરીકે કઈ રીતે આકાર લે છે તે બાબત કલા અથવા ગુણમાં સૌંદર્યનો અવબોધ કરવાને લગતી હોવાનું ધારી લેવામાં આવે છે. કેન્ટના આ મંતવ્યનો ધ્વનિ સેઈન્ટ બોનાવેન્ચરની વાતમાં પણ અમુક અંશે સંભળાય છે.[સંદર્ભ આપો]

સૌંદર્ય શાસ્ત્ર અને કલાનું દર્શનશાસ્ત્ર[ફેરફાર કરો]

ઢાંચો:Cquote2

સૌંદર્ય શાસ્ત્રએ શબ્દનો ઉપયોગ અમુક વ્યકિતઓ હિગલના મંતવ્યના કારણે કલાના દર્શનશાસ્ત્રના સમાનાર્થી શબ્દ તરીકે કરતી હોય છે, જયારે અમુક અન્ય ચિંતકો ઘનિષ્ઠ રીતે સંકળાયેલા આ બે ક્ષેત્રો વચ્ચે ભેદરેખા આંકવાનો આગ્રહ રાખે છે. વ્યવહારુ રીતે જોઈએ તો, સૌંદર્યલક્ષી સમજથી અનુભૂતિજન્ય ચિંતન અથવા કોઈ પદાર્થના મૂલ્યાંકન (જરૂરી નથી કે તે કલાની વસ્તુ જ હોય) નો ઉલ્લેખ થાય છે જયારે સૌંદર્યલક્ષી સમજ કોઈ કલા અથવા કલાકૃતિની ઓળખ, તેના મૂલ્યાંકન અથવા વિવેચનના સંદર્ભમાં વપરાય છે.

તત્વજ્ઞાન આધારિત સૌંદર્ય શાસ્ત્રથી માત્ર કલા વિષે બોલીને કલાકૃતિઓ વિષે સમજ પેદા કરવી તે પૂરતું નથી તેમાં કલા શું છે તેની વ્યાખ્યા પણ આપવાની હોય છે. કલા તત્વજ્ઞાન માટેનું એક સ્વાયત્ત અસ્તિત્વ છે કારણ કે કલા ઈન્દ્રિયો (એટલે કે સૌંદર્ય શાસ્ત્રની વ્યુત્પતિ) સાથે સંબંધ ધરાવે છે અને કલા કોઈપણ નૈતિક અથવા રાજકીય હેતુથી મુકત હોય છે. આથી, સૌંદર્ય શાસ્ત્રમાં કલાની બે જુદી જુદી વિભાવનાઓ છે : જ્ઞાન તરીકે કલા અથવા ક્રિયા તરીકે કલા, પણ સૌંદર્ય શાસ્ત્ર એ પ્રમાણવાદ અથવા નીતિશાસ્ત્ર બેમાંથી કોઇ પણ નથી[૧૨].

“કલા” શું છે?[ફેરફાર કરો]

“કલા” એ શબ્દની કઈ રીતે ઉત્તમ વ્યાખ્યા કરવી એ સતત વિવાદનો વિષય રહયો છે; “કલા” શબ્દનો આપણે શું અને કેવો અર્થ કરીએ છીએ તેના મૂળભૂત સિદ્ધાંત પર પણ દલીલ કરતા ઘણા બધા પુસ્તકો અને સામયિકો પ્રકાશિત થયા છે.[૧૩] ધિઓડોર અડોર્નોએ સન 1969માં એવો દાવો કરેલો કે "એ સ્વપ્રમાણિત વસ્તુ છે કે કલાને ર્સ્પશતી કોઈપણ વસ્તુ સ્વયંસિદ્ધ નથી."[૧૪][૧૫] કલાકારો, તત્ત્વવિદો, માનવશાસ્ત્ર જ્ઞાતાઓ, મનોવિજ્ઞાનીઓ અને પ્રોગ્રામરો આ તમામ વ્યકિતઓ પોતપોતાના સંબંધિત ક્ષેત્રોમાં કલાની ધારણાનો ઉપયોગ કરતા હોય છે, અને તેને કાર્યલક્ષી વ્યાખ્યાઓ આપતા હોય છે જે નોંધપાત્ર રીતે એકબીજાથી અલગ પડતી હોય છે. વધુમાં, એ સ્પષ્ટ વાત છે કે “કલા” એ શબ્દના મૂળભૂત અર્થમાં પણ સદીઓ વીતતા અમુક વખત પરિવર્તન આવતું હોય છે, અને 20મી સદી દરમિયાન તેમાં ઉત્ક્રાંતિ થતી રહી છે.

“કલા” એ શબ્દનો તાજેતરનો મુખ્ય અર્થ સામાન્યરીતે સર્જનાત્મક કલા અથવા લલિત કલાનું સંક્ષિપ્ત રૂપ છે. અહીં અમારો અર્થ એ કે કલાકારની સર્જનાત્મક અભિવ્યકત કરવા માટે, અથવા પ્રેક્ષકોની સૌંદર્ય લક્ષી સંવેદનાઓને રોકવા માટે અથવા પ્રેક્ષકોનું ધ્યાન વધુ "શુદ્ધ" વસ્તુઓની વિચારણા પ્રત્યે દોરવા માટે કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અમુક વખત, જો કૌશલ્યનો ઉપયોગ કાર્યલક્ષી વસ્તુમાં કરવામાં આવે, તો લોકો તેને કલાને બદલે હુન્નર તરીકે ગણી લેશે, હસ્તકૌશલના ઘણા બધા સમકાલીન વિચારકોએ આ સૂચન પ્રત્યે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે એવી જ રીતે, કોઈ કૌશલ્યનો ઉપયોગ વાણિજ્યક અથવા ઔદ્યોગિક રીતે કરવામાં આવતો હોય તો તેને કલાને બદલે ડિઝાઈન ગણી શકાય, અથવા તેથી ઊલટું, આ તમામને કદાચ પ્રયોજિત કલા તરીકે કહેવાતી કલાના રૂપો તરીકે ઘટાવી શકાય. અમુક વિચારકોએ, તેના દૃષ્ટાંતરૂપે, એવી દલીલ કરી છે કે લલિત કલા અને પ્રાયોજિત કલા વચ્ચેના તફાવતને કોઈપણ સ્પષ્ટ વ્યાખ્યાલક્ષી તફાવત કરતા વસ્તુના વાસ્તવિક કાર્ય સાથે વધુ સંબંધ રહેલો છે.[૧૬] કલાનો સામાન્ય રીતે એવો સૂચિતાર્થ થાય છે કે કોઈ વિચાર અથવા કલ્પનાનું સંપ્રેષણ કરવા પૂરતું જ કોઈ કાર્ય કરવું.

સને 1912ના ઉત્તરાર્ધ સુધી પાશ્ચાત્ય વિચારસરણીમાં એવી એક સામાન્ય ધારણા હતી કે તમામ કલાનો ધ્યેય સૌંદર્ય હોય છે, અને આવી રીતે, સુંદર બનવાનો પ્રયાસ ન કરતી હોય તેવી કોઈપણ વસ્તુને કલા તરીકે ગણાવી શકાય નહિ. ક્યૂબીસ્ટ, ડાડાવાદીઓ, સ્ટ્રાવિન્સ્કી, અને ત્યારબાદની કલા ચળવળોમાં સૌંદર્ય કલાની વ્યાખ્યા કેન્દ્રમાં રહી હતી, ડાન્ટોમાં મંતવ્ય મુજબ, "સૌંદર્ય 1960ની આધુનિક કલામાંથી અદ્રશ્ય થઈ ગયું છે એટલું જ નહિ પરંતુ તે દાયકાની કલાના આધુનિક તત્ત્વજ્ઞાનમાંથી પણ અદ્રશ્ય થઈ ગયું છે."[૧૪] કદાચ, અભિવ્યકિત જેવી (ક્રોસેના સિધ્ધાંતોમાં) અથવા "પ્રતિ-પર્યાવરણ" (મેકલુહાનના સિધ્ધાંતોમાં) ધારણાને સૌંદર્યને તેની પહેલાની ભૂમિકાને બદલે મૂકી શકાય. બ્રાયન મઝૂમીએ “સૌંદર્ય” ને “અભિવ્યકિત” સહિતની કલ્પનામાં મૂકી આપી.[૧૭] અન્ય એક વિભાવના જે કળાના તત્ત્વજ્ઞાન માટે સૌદર્ય જેટલી જ મહત્વની છે તે છે શ્રેષ્ઠતા, જેનું વિસ્તારપૂર્વક વર્ણન વીસમી સદીના પોસ્ટમોર્ડન તત્ત્વચિંતક જીન ફ્રાન્કોઇસ લિઓટાર્ડે દ્વારા કરવામાં આવ્યું હતું.

કદાચ કલાની વધુ કોઈ વ્યાખ્યા (કેનિકના સિધ્ધાંતો મુજબ) શકય જ નથી. કદાચ કલાને વિટ્જેન્સ્ટેઈનિયન પ્રણાલીમાં સંબંધિત વિચારોના સમુચ્ચ તરીકે ગણાતી જોઈએ (વિટ્ઝ અથવા બ્યૂઝ મુજબ). બીજો અભિગમ એમ કહે છે કે “કલા” મૂળભૂત રીતે સામાજિક કક્ષા છે, એટલે કે કલા ભવનો અને સંગ્રહાલયો તથા કલાકારો કલા તરીકે જે કંઈ વ્યાખ્યાયિત કરે તેને ઔપચારિક વ્યાખ્યાઓ ધ્યાનમાં લીધા વગર કલા જ ગણાવી. આ "કલાની સંસ્થાગત વ્યાખ્યા” ને જયોર્જ ડિકીએ પ્રથમ હરોળમાં સ્થાન આપ્યું છે (ઈન્સ્ટીટયુશનલ ક્રિટીકનો સંદર્ભ પણ લેવો). એન્ડી વાર્હોલ અને માર્સેલ દુચેમ્પે (અનુક્રમે) કોઈ બ્રિલો બોક્સના કે યુરિનલ વર્ણનને કલાના સંદર્ભમાં (એટલે કે આર્ટ ગેલેરીના સંદર્ભમાં) મૂકયું ન હતું ત્યાં સુધી મોટાભાગના લોકો તેને કલા તરીકે ગણતા જ ન હતા, ત્યારબાદ, કલાની વ્યાખ્યા કરતા હોય તેવા સાહચર્ય સાથે આ વસ્તુઓને સાહચર્ય આપવામાં આવ્યું.

પ્રક્રિયાવાદીઓ અમુક વખત એવું સૂચવે છે કે જેના દ્વારા કલાની કૃતિનું સર્જન થતું હોય અથવા જેનાથી તે કલા બનતી હોય તે જોવાની એક પ્રક્રિયા હોય છે, પરંતુ કોઈ વસ્તુમાં કલા તરીકેનું સાહજિક લક્ષણ નથી હોતું, અથવા લોકોને તેનો પરિચય કરાવ્યા બાદ કલાજગતની સંસ્થાઓ તેને કઈ રીતે સ્વીકારે છે તે કલા નથી. એટલે કે ભવિષ્યમાં પોતાને વિસ્તૃત લેખ લખવાના આશયથી કોઈ પત્રકાર અમુક ચોક્કસ શબ્દસમૂહ લઘુલિપીમાં લખી રાખે તો તે કવિતા નહીં ગણાય. જયારે બીજી બાજુ, લીઓ ટેલ્સટોય એવો દાવો કરે છે કે કોઈ વસ્તુ કલા છે કે નહિ તે પ્રેક્ષક કે દર્શકને કેવી અનૂભૂતિ થાય છે તેના પર અવલંબે છે, નહિ કે સર્જકના ઉદ્દેશ પર. મનરો બિયર્ડસ્લે જેવા કાર્યવૃત્તિવાદીઓ એવી દલીલ કરી છે કે કોઈ કૃતિ કલા તરીકે ગણાય કે નહિ તે ચોક્કસ સંદર્ભમાં તે શું કાર્ય કરે છે કઈ ભૂમિકા ભજવે છે તેની પર આધાર રાખે છે; કોઈ સુંદર ફૂલદાની કોઈ એક ચોક્કસ સંદર્ભમાં કલાત્મક ન હોય તેવા (એટલે કે વાઈન ભરવાના) કામમાં પણ આવે અને બીજા કોઈ સંદર્ભમાં કલાત્મક કાર્યમાં (એટલે કે માનવાકૃતિની સુંદરતાની પ્રશંસા કરવામાં મદદ કરવા માટે પણ) પ્રયોજી શકાય. '

કલાનું મૂલ્યાંકન કરતી વખતે કઈ વસ્તુઓનું મૂલ્યાંકન કરવું જોઈએ?[ફેરફાર કરો]

કલા પરાભૌતિક અને સત્ત્વમૂલક સ્તરે તેમજ મૂલ્ય સિધ્ધાંત સ્તરે કઠીન હોઈ શકે. જયારે આપણે હેમ્લેટ ભજવાતું જોઈએ છીએ ત્યારે આપણે કલાની કેટલી કૃતિઓ જોઈને કઈ કલાની સમજ ગ્રહણ કરીએ છીએ? કદાચ એક જ સંબંધિત કલાકૃતિ હોય છે, સમગ્ર પ્રસ્તુતિ, જેમાં જુદી જુદી ઘણી બધી વ્યકિતઓએ યોગદાન આપ્યું હોય છે અને ક્ષણિક અસ્તિત્વમાં આવીને તે પ્રસ્તુતિ અદૃશ્ય થઈ જાય છે. શેક્સપિયર દ્વારા લખવામાં આવેલ હસ્તપ્રત કદાચ વૃંદ દ્વારા ભજવાયેલી કલાકૃતિ કરતા ભિન્ન હોય તેવું બની શકે, તથા આ રાતે આ વૃંદ દ્વારા ભજવાયેલા નાયકની પ્રસ્તુતિ કરતા પણ તે કદાચ ભિન્ન હોય, અને આ તમામનું મૂલ્યાંકન થઇ શકે છે, પણ આ મૂલ્યાંકન અલગ અલગ ધોરણ દ્વારા થવું જોઇએ.

નાટકમાં ભાગ લેતી દરેક વ્યકિતને તેના પોતાના ગુણદોષ પર અલગ અલગ રીતે મૂલવવા જોઈએ, અને દરેક વસ્ત્ર કે તેની કિનારી પોતે જ કલાની એક કૃતિ છે (જેની સાથે કદાચ તે તમામને એકરૂપ બનાવવાનું કામ કરતો દિગ્દર્શક સંકળાયેલો હોય છે.) આવી સમસ્યાઓ સંગીત, ફિલ્મ અને ચિત્રમાં પણ ઉદ્ભવતી હોય છે શું કોઈ વ્યકિત ચિત્ર તથા ચિત્રકારના કાર્યનું જ મૂલ્યાંકન કરશે, કે કદાચ સંગ્રહાલયના કર્મચારીએ કરેલી પ્રસ્તુતિના સંદર્ભમાં ચિત્રનું મૂલ્યાંકન કરશે?

1960ના દાયકાથી વિભાવનાત્મક કલાના ઉદ્ભવથી આવી સમસ્યાઓમાં વધુ વધારો થયો છે. વાર્હોલના વિખ્યાત બ્રિલો બોકસ તે સમયના ખરેખર બ્રિલો બોકસથી લગભગ વિશિષ્ટ કહી શકાય તેવા ન હતા. વાર્હોલના આ બ્રિલો બોકસ (જેની ડિઝાઈન સ્ટીવ હાર્વેએ બનાવેલી તેને) માટે તેની પ્રશંસા કરવી ભૂલભરેલું ગણાય; તો પણ બીજા પ્રકારના ચિત્રો સાથે સંગ્રહાલયમાં કલા તરીકે આ બ્રિલો બોકસનું પ્રદર્શન કરવાની સંકલ્પનાઓ પ્રયાસ વાર્હોલનો છે. આપણે કઈ વાર્હોલની વિભાવનું મૂલ્યાંકન કરીશું? સંગ્રહાલયમાં તેની સંકલ્પના મૂકવાનો? આ બોકસ સંગ્રહાલયમાં પ્રદર્શમાં મૂકવા દેવા માટે સંગ્રહાલયના પ્રબંધકની સૂઝનો? સમગ્ર પરિણામનો? આપણા અનુભવ અથવા પરિણામના અર્થઘટનનો? કલાની કૃતિને આપણે સત્વમૂલક રીતે કેવું વિચારીએ છીએ? શું તે ભૌતિક પદાર્થ છે? ઘણા પદાર્થો? પદાર્થોના વર્ગનો? માનસિક ઉદ્દેશયનો? કલ્પિત પદાર્થ? ગૂઢ પદાર્થ? કોઈ પ્રસંગ? કે પછી સાહજિક રીતે કોઈ કૃત્યનો?

કલા કેવી હોવી જોઈએ?[ફેરફાર કરો]

કલા માટે ઘણા બધી દલીલો બતાવવામાં આવી છે, અને સૌંદર્યશાસ્ત્રીઓ અમુક વખત દલીલ કરતા હોય છે કે અમુક ધ્યેય કે બીજા કોઈ ધ્યેય અમુક રીતે શ્રેષ્ઠ હોય છે. આના દૃષ્ટાંતરૂપે, કલેમેન્ટ ગ્રીનબર્ગે 1960 માં એવી દલીલ કરેલી કે કલાવિષયક દરેક માધ્યમ એવું હોવું જોઈએ કે તે તમામ સંભવિત માધ્યમોમાં વિશિષ્ટ બનીને એક સ્વરૂપ તરીકે પોતાની વિશિષ્ટતાની અભિવ્યકિત સિવાયની શુધ્ધતા દર્શાવે.[૧૮] ડાડાવાદી ટ્રિસ્ટેન ત્ઝારા એ તેથી ઊલ્ટું સને 1918માં કલાને મતિભ્રમ સામાજિક વ્યવસ્થાના ખંડ તરીકે ગણેલી. “આપણે શુદ્ધતા અને સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈશે. લૂંટારાઓ સંકજામાં સપડાયેલા જગતના ઉન્માદ એક સંપૂર્ણ આક્રમક ઉન્માદની સ્થિતિ પછી વ્યકિતની શુધ્ધતાની ખાતરી કરવી જોઈએ."[૧૯] ઔપચારિક ધ્યેયો, સર્જનાત્મક ધ્યેયો, સ્વ-અભિવ્યકિત, રાજકીય ધ્યેયો, આધ્યાત્મિક ધ્યેયો, તત્વજ્ઞાન ધ્યેયો, અને આધ્યાત્મિક અને પ્રત્યક્ષજ્ઞાનાત્મક અથવા રસલક્ષી આ તમામ ધ્યેયો કઈ કલા કેવી હોવી જોઈએ તે વિષય પરના પ્રસિધ્ધ ચિત્ર સ્વરૂપમાં આકાર પામ્યા છે.

કલાનું મૂલ્ય[ફેરફાર કરો]

ટોલેસ્ટોયે કલાની વ્યાખ્યા કરીને, અને તેના મૂલ્યનું અપ્રાસંગિક રીતે જ આ પ્રકારનું ચિત્રણ કરેલું: “કલા એક એવી માનવ પ્રવૃત્તિ છે કે જેમાં એક માનવી પોતે જ લાગણીઓ કે અનુભૂતિ હેઠળ પસાર થયો હોય તે લાગણીઓને અમુક ચોક્કસ બાહ્ય સંકેતોના માધ્યમથી બીજી વ્યકિતઓને આપે છે, અને આ લાગણીઓના સંસર્ગમાં આવીને અન્ય લોકો પણ તેનો અનુભવ કરે છે.”

કલાનું મૂલ્ય, ત્યારબાદ સહાનુભૂતિના મૂલ્ય સાથેનું એક મૂલ્ય હોય છે. સંભવિત અન્ય મંતવ્યો આ પ્રમાણે છે: કલા કોઈ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનના માધ્યમ તરીકે કામ કરી શકે. કલા માનવીની સ્થિતિમાં આંતરદર્શન આપી શકે. કલાનો સંબંધ વિજ્ઞાન અને ધર્મ સાથે હોય છે. કલા શિક્ષણ, અથવા સિદ્ધાંત પ્રવેશ કે સંસ્કૃતિ ગ્રહણના એક સાધન તરીકે કામ કરે છે. કલા આપણને વધુ નૈતિક બનાવે છે. કલા આપણો આધ્યાત્મિક ઉત્કર્ષ કરે છે. કલા બીજી રીતે રાજનીતિશાસ્ત્ર છે. કલા કથાર્સિસના ગુણ ધરાવે છે. કોઇપણ કેસમાં, કલાના મૂલ્યથી કોઈપણ રીતે કલાના સ્વરૂપની યોગ્યતા નક્કી કરી શકાય. કલાના સ્વરૂપો તેના મૂલ્યોમાં મહત્વની રીતે અલગ હોય, અથવા (તેમ ન હોય તો) કલાના એકાત્મક મૂલ્ય મેળવવાની તે ક્ષમતામાં અલગ હોય છે?

પરંતુ કલાના મૂલ્ય વિષેના પ્રશ્નમાં પધ્ધતિસરના અભિગમ માટે એવા પ્રશ્નો પૂછવાના રહે: કલાનું મૂલ્ય કોના માટે? કલાકાર માટે? દર્શકો માટે? સોસાયટીના લોકો માટે, અને/અથવા દર્શકો સિવાયની વ્યકિતઓ માટે? શું કલાનું "મૂલ્ય" આ દરેક અલગ અલગ સંદર્ભમાં અલગ હોય છે? કલાના ઉદ્દેશિત મૂલ્ય પરની કામગીરીનો ઉદ્દેશ અને બીજા કાર્યો વચ્ચેના સંબંધોને નક્કી કરવામાં મદદરૂપ થવાનો છે કલા સ્પષ્ટ રીતે ઘણા બધા સંદર્ભમાં આધ્યાત્મિક ધ્યેયો ધરાવે છે, પણ ધાર્મિક કલા અને ધર્મ વચ્ચે ચોક્કસ રીતે આપમેળે કયો તફાવત હોય છે? સત્ય જટીલ છે - કલા કાર્યલક્ષી જ્ઞાનમાં અને મહત્વની માનવપ્રવૃત્તિઓ બે બંનેમાં નિરુપયોગી છે.

કાલ્પનિક કૃતિ “હીછીકર્સ ગાઈડ ટૂ ધી ગલેકસી” કલાના મૂલ્ય માટે પ્રયોજાયેલી એવી દલીલથી શરૂ થાય છે કે પૃથ્વીના સર્વનાશ માટેના બાહ્ય બળોએ પૃથ્વીવાસીઓને પૂછવું જોઈએ કે માવનતા શું કામમાં આવે, માનવતાનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? તેમાં સતત દલીલ ચાલુ રહે છે કે માનવજાતિ પોતાના અસ્તિત્વ માટે જે વાજબી કારણ ધરે છે તેમાં જણાવે છે કે તેમાં ભૂતકાળમાં થયેલા સર્જનો અને શેકસપિયરના નાટકો, રેમ્બ્રેડના ચિત્રો અથવા બાચના સંગીત જેવું કલાનું સર્જન છે. સૂચન એ છે કે આ વસ્તુઓનું મૂલ્ય છે જે માનવતા વર્ણવે છે.[૨૦]

સૌંદર્યલક્ષી સાર્વત્રિક લક્ષણો[ફેરફાર કરો]

તત્ત્વવેત્તા ડેનિસ ડયૂટને માનવ સૌંદર્યશાસ્ત્રમાં સાત સાર્વત્રિક લક્ષણો ઓળાખાવેલા:[૨૧]

  1. કલાવિષેષતા અથવા કલારસિકતા. જેમાં ટેકનિકલ કલાત્મક કૌશલ્યો કેળવીને તેનો પ્રકૃતિ-સ્વભાવ સમજીને તેની પ્રશંસા કરવામાં આવે છે.
  2. બિનઉપયોગીતાવાદી આનંદ. લોકો કલાની માટે કલાને માણે છે અને તેમાં ભૌતિકતાવાદી અભિગમનો આગ્રહ રાખવામાં નથી આવતો.
  3. શૈલી. કલાત્મક વસ્તુઓ અને પ્રસ્તુતિઓને માન્યતા આપી શકાય અથવા ઓળખી શકાય તેવા રચનાના નિયમોનું પાલન કરવામાં આવે.
  4. વિવેચન. લોકો કલાની કૃતિનો નિર્ણય કરીને, કદર કરીને, તેનું અર્થઘટન કરે છે.
  5. અનુકરણ. સૂક્ષ્મભાવ દર્શાવતા ચિત્રો સિવાયના અમુક મહત્વના અપવાદો સિવાય કલાકૃતિથી વિશ્વના અનુભવોનું અનુકરણ થાય છે.
  6. વિષેષ કેન્દ્ર. કલાને સામાન્ય જીવનથી પર રાખીને અનુભવનું નાટયાત્મક ધ્યાનબિંદુ બનાવવામાં આવે છે.

તેમ છતાં, એવો વાંધો ઉઠાવી શકાય કે ડયૂટને જણાવેલા લક્ષણોના વર્ગને ઘણા અપવાદો છે. ઉદાહરણ તરીકે, સમકાલીન કલાકાર થોમસ હિસ્કોર્ને ટેકનિકલ કલારસિકતાનો ઈરાદાપૂર્વક નિષેધ ગણ્યો છે. લોકો પુન:જાગૃતિ યુગના મેડોનાના શિલ્પની સૌંદર્યલક્ષી કારણોથી પ્રશંસા કરી શકે, પણ આવી વસ્તુઓ અમુક વખત ચોક્કસ શ્રદ્ધા કે આસ્થાયુકત કાર્યો હતી (અને હજુ પણ હોય છે). "રચનાના નિયમો" જે દુચેમ્પની કૃતિ ફાઉન્ટેન અથવા જહોન કેજની કૃતિ 4‘33’ માં વાંચવા મળતા રચનાના નિયમો કૃતિઓને માન્યતાપ્રાપ્ત શૈલીમાં મૂકતા નથી (અથવા કૃતિને ગ્રહણ કે આત્મસાતક કરતી વખતે ઓળખી શકાય તેવી શૈલીમાં ચોક્કસ રીતે મૂકતા નથી). વધુમાં, ડયૂટને નક્કી કરેલા કેટલાક વર્ગો વધુ પડતા વિસ્તૃત જણાય છે : ભૌતિકશાસ્ત્રી સિદ્ધાંત ઘડવાની પ્રક્રિયા દરમિયાન પોતાના કલ્પનાના વિશ્વનો આનંદ લઈ શકે.

વધુમાં, વિજ્ઞાનો અને માનવવિદ્યાઓ બંનેના શિક્ષણશાસ્ત્ર એ માનસશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સમજવાના પ્રયત્નમાં ઉત્ક્રાંતિ વિષયક માનસશાસ્ત્ર અને પ્રત્યક્ષ વિજ્ઞાન તરફ દૃષ્ટિપાત કરે છે. આ ક્ષેત્રમાં સંશોધન કરવામાં ડયૂટન સિવાયના તત્ત્વેતાઓમાં ડેવિડ બોર્ડવેલ, બ્રાયન બોયડ, ક્રિસ્ટીન બ્યૂસી-ગ્લુક્સમાન, નોએલ કેરોલ, એલન દિસાનાયક, નાન્સી ઈસ્ટલીન, બ્રાચા એટિન્જર, ડેવિડ ઈવાન્સ, જોનાથન ગોત્શેલ, ટોર્બેન ગ્રોડલ, પોલ હેર્નાડી, પેટ્રિક હોગન, કાર્લ પ્લેટિન્ગા, એલેઈન સ્કેરી, મુરે સ્મિથ, વેન્ડી સ્ટીનર, રોબર્ટ સ્ટોરી, ફ્રેડરિક ટર્નર અને માર્ક ટર્નરનો સમાવેશ થાય છે.

વિવેચન[ફેરફાર કરો]

સૌંદર્યશાસ્ત્રના તત્ત્વજ્ઞાનનું વિવેચન કલા અને સમાજના ક્ષેત્રને લગતા અમૂક સમાજશાસ્ત્રીઓ અને લેખકોએ કરેલું છે. રેમન્ડ વિલિયમ્સની એવી દલીલ છે કે એવી કોઈ સૌંદર્યલક્ષી વિશિષ્ટ વસ્તુ નથી હોતી પણ સામાન્ય વાણીથી શરૂ કરીને અનુભવો સુધીના સાંસ્કૃતિક રૂપોના એવા અખંડ દ્રવ્યો હોય છે જેને કોઈ ઢાંચા, સંસ્થા અથવા ખાસ પ્રસંગ દ્વારા કલા તરીકેની સંજ્ઞા આપવામાં આવે છે. પિયરે બોર્ડયૂ પણ કેન્ટેના સૌંદર્યશાસ્ત્રનો મુદ્દો લઈને એવી દલીલો કરે છે કે સૌંદર્યશાસ્ત્રથી એવા અનુભવોનું નિરૂપણ થાય છે કે જે ઉચ્ચવર્ગની જીવનશૈલી અને વિદ્વાનોના વિશ્વાસની નીપજ હોય.

સૌંદર્ય શાસ્ત્રનો ઇતિહાસ[ફેરફાર કરો]

ઢાંચો:Merge to

એથેન્સના રાષ્ટ્રીય પુરાત્ત્વવિદ્યાના સંગ્રહાલયમાં પીસાઇડન કે જ્યુસની તાંબાની કૃતિ

પ્રાચીન સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

આપણી પાસે પ્રાગૈતિહાસિક કલાના દૃષ્ટાંતો છે, પણ અત્યંત ઓછી સંખ્યામાં છે, અને તેના સર્જનનો સંદર્ભ અને ઉપયોગ સ્પષ્ટ નથી, જેથી તેના સર્જન અને અર્થઘટનને માગદર્શિત કરતા સૌંદર્યલક્ષી સિદ્ધાંતો વિષે અમુક માત્રાથી વધુ અનુમાન કરી શકતા નથી.

પ્રાચીન કલા સાત મહાન પ્રાચીન સભ્યતાઓ : ઈજિપ્ત, મેસોપોટેમિઆ, ગ્રીસ, રોમ, પર્શિઆ, ભારત અને ચીન પૂરતી વ્યાપ્ત હતી તેમાં સમગ્રતા કે પૂર્ણતા ન હતી. પ્રાચીન સભ્યતાના આ દરેક કેન્દ્રમાં પોતાની કલામાં એક વિશિષ્ટ અને લાક્ષણિક શૈલીનો વિકાસ થયેલો. ગ્રીસની સભ્યતાએ પશ્ચિમમાં સૌદર્યશાસ્ત્રના વિકાસ પર સૌથી વધુ પ્રભાવ ઊભો કરેલો. ગ્રીક કલાના આ યુગમાં માનવદેહના સ્વરૂપો પ્રત્યે પરમ આદર અને સ્નાયુબધ્ધ શરીર, દેહસૌષ્ઠવ, સુંદરતા અને ચુસ્ત શારીરિક સપ્રમાણતા દર્શાવવા માટે અનુરૂપ કૌશલ્યોનો વિકાસ જોવા મળતો. તેથી વિષેષ, એવી જ ઘણી બધી પાશ્ચત્ય અને પૌર્વાન્ય સંસ્કૃતિઓમાં શારીરિક સૌંદર્ય સાથે સંબંધ ધરાવતી શરીર પરના વાળ જેવી લાક્ષણિકતાઓનું ભાગ્યે જ વર્ણન કરવામાં આવે છે.[સંદર્ભ આપો] આ ગ્રીક પાશ્ચાત્ય સૌંદર્યલક્ષી રુચિના વિરોધાભાસમાં વિરુપતાની શૈલી વધુ છે.[૨૨]

ગ્રીક તત્વેતાઓને પ્રારંભમાં એવું જણાયું કે સૌંદર્યલક્ષી આકર્ષક વસ્તુઓ આંતરિક અને બાહ્ય રીતે પોતે જ સુંદર હોય છે. પ્લેટોને એવું લાગ્યું કે સુંદર પદાર્થોમાં સપ્રમાણતા, સુમેળ અને એકરૂપતા તેના અવયવોમાં હોય છે. એવી જ રીતે, પરાભૌતિકશાસ્ત્ર માં એરિસ્ટોટલને એવું જણાયું કે સૌંદર્યના સાર્વત્રિક ઘટકો વિન્યાસ, સમરૂપતા અને સુનિશ્ચિત છે.

ઈસ્લામિક સૌદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

ઈસ્લામિક કલા, યોગ્ય રીતે કહીએ તો, માત્ર ધર્મને લગતી જ કલા નથી. “ઈસ્લામઇક” શબ્દથી માત્ર ધર્મ જ નહિ પણ ઈસ્લામિક સંસ્કૃતિ અથવા ઈસ્લામિક સંદર્ભમાં સર્જન કરેલી કલાના કોઈપણ સ્વરૂપનો ઉલ્લેખ થાય છે. ધર્મપાલનમાં કલાના ઉપયોગ, સમાજમાં કલાના ચોક્કસ સ્થાન, અથવા ધર્મનિરપેક્ષ કલા અને ધર્મબોધને અનુરૂપ બનાવવા માટેની ધર્મ નિરપેક્ષ સંસાર પર મૂકાયેલી માગણીઓ વચ્ચેના સંબંધોમાં તમામ મૂસ્લીમો એકમત છે એવું માની લેવું પણ ભૂલભરેલું ગણાશે. ઈસ્લામિક કલામાં અવારનવાર ધર્મનિરપેક્ષ તત્ત્વોને અને અમુક ઈસ્લામિક અધ્યાત્મવાદીઓએ અસ્વીકૃત કરેલા પણ જો ધર્મનિષેદ્ધ ન હોય તો તેવા તત્વો અપનાવવામાં આવતા હોય છે.[૨૩]

ઈસ્લામ અનુસાર, માનવનિર્મિત કલાકૃતિઓ દૈવી કલાકૃતિની તુલનામાં સાહજિક રીતે અપૂર્ણતા ધરાવતી હોય છે; આવી રીતે ઈસ્લામમાં ઘણા એવું માને છે કે ખુદાના વાસ્તવદર્શી રૂપો કોઈ પ્રાણી કે મનુષ્યનું ચિત્રણ કરવાનો પ્રયાસ ખુદાની અવમાનતા કે તિરસ્કાર છે. અરબી, મોઝેઈક, ઈસ્લામિક સુલેખન, અને ઈસ્લામિક શિલ્પશાસ્ત્ર જેવા કલાના રૂપો તેમ જ વધુ સામાન્યરીતે કહીએ તો બિનરૂપાત્મક કલાના સ્થાનનો દાવો કરી શકે તેવી સૂક્ષ્મતાના કોઈ રૂપોની કલાત્મક સંભવિતતાના ક્ષેત્રની સંકીર્ણતાની અસર ધરાવે છે. કલાકારોએ કલાત્મક અભિવ્યકિતતા બહિમાર્ગ તરીકે સીમિત શકયતાઓ શોધી છે અને ભૌમિતિક આકૃતિઓ, ફૂલવેલની આકૃતિઓ અને વેલ-કોતરણી જેવા બિન-પ્રતિરૂપાત્મક રૂપોથી કલાના સજાવટલક્ષી અથવા ધાર્મિક કાર્યને મહત્વ આપીને તેને વિધેયાત્મક શૈલી અને પરંપરા બનાવવા માટે કેળવવામાં આવી છે.

ઈસ્લામિક સંસ્કૃતિઓમાં મનુષ્ય અને પ્રાણીનું ચિત્રણ કરવું સામાન્ય રીતે ધર્મનિષિદ્ધ છે કારણ કે તે આખરે આવી શિલ્પકૃતિઓ અથવા “ મૂર્તિ ”ની પૂજામાં પરિણમે છે. પૂર્વ-ઈસ્લામિક સંસ્કૃતિઓમાં માનવાકૃતિઓનું ચિત્રકામ ધર્મતંત્રોએ જુદી જુદી માત્રામાં આપેલી સ્વીકૃતિમાં જોવા મળે છે. શરીયત ના કાનૂન મુજબ બંદગી માટે થતું માનવાકૃતિનું નિરૂપણ બૂતપરસ્તી (મૂર્તિપૂજા) ગણવામાં આવે છે જેનો નિષેધ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક ઈસ્લામિક કલામાં ઈસ્લામના પયંગબર મહમ્મદના ઘણા બધા ચિત્રણો છે.[૨૪][૨૫]

કુરાનના અધ્યયન પ્રત્યે પોતાનો ભકિતભાવના પ્રયાસરૂપે સુલેખન કલાઓનો ઉદ્ભવ થયો. પાઠના દરેક શબ્દને ધીરજપૂર્વક નકલ કરીને, લેખકને તેના અર્થનું ચિંતન કરાવવામાં આવતું. કાળક્રમે, આવા પાઠના અલંકારન અને શૈલીમાં વધુ ને વધુ શ્રમ પડવાને કારણે સુલેખનની આવી કૃતિઓને બક્ષિસ એનાયત કરવાનું શરૂ થયું. આવી સજાવટશૈલીઓ કુરાન સિવાયની અન્ય કૃતિઓ પણ પ્રયોજવામાં આવી અને પરિણામે કલાના એક આદરપાત્ર રૂપ તરીકે સ્થાન પામી.

ભારતીય સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

વિશિષ્ટ આધ્યાત્મિક અથવા દાર્શનિક અવસ્થાઓ પ્રત્યે પ્રેરિત થવાના મહાત્મય અથવા આવી અવસ્થાઓનું સાંકેતિક રીતે નિરૂપણ કરવાના ઉદ્દેશથી જનસમુદાયમાં ભારતીય કલાનો ઉદ્ગમ થયો. કપિલ વાત્સ્યાયનના મતાનુસાર, "ક્લાસિકલ ભારતીય વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, ચિત્ર, સાહિત્ય (કાવ્ય ), સંગીત અને નૃત્યમાં પોતપોતાના સંબંધિત માધ્યમોએ અનુકૂલન કરેલા પોતાના નિયમોનો વિકાસ થયો પરંતુ તે તમામમાં માત્ર ભારતીય સામાજિક દાર્શનિક માનસની અંતનિર્હિત આધ્યાત્મિક માન્યતાઓનું જ નહીં, પરંતુ જેના દ્વારા સંકેત અને આધ્યાત્મિક અવસ્થાના સંબંધો જેના દ્વારા સંકેત અને આધ્યાત્મિક અવસ્થાના સંબંધો જેના દ્વારા વિસ્તૃત રીતે ઘડવામાં આવતી હોય તેવી પ્રણાલીઓનું પણ આદાનપ્રદાન થતું રહેતું."

ભારતીય નાટય અને સાહિત્યના ચોક્કસ સંબંધનો શબ્દ રસ સામાન્યરીતે રચયિતાએ તૈયાર કરેલી કૃતિમાં ભાવરસનો અને ’ભાવુક શ્રોતા’ અથવા સહૃદય દ્વારા ચિદાનંદના સંદર્ભમાં પ્રયોજાય છે. કાલિદાસ જેવા કવિઓ પૂર્ણ વિકસિત સૌંદર્યલક્ષી પધ્ધતિથી વિકસેલા રસ પ્રત્યે ધ્યાન રાખતા. સમકાલીન ભારતમાં પણ રસ ના વાચ્યાર્થમાં વપરાતા શબ્દ “રસ” નો ઉપયોગ ફિલ્મોમાં રસાત્મક અનુભૂતિઓનું વર્ણન કરવા માટે વ્યવહાર રીતે થાય છે; “મસાલા મિકસ” માં લોકપ્રિય હિન્દી સિનેમા ફિલ્મો દર્શાવવામાં આવે છે એવી કે જેમાં સંતુલિત ભાવરસ પીરસવામાં આવે છે અને દર્શકો તેનું ભાવમાધુર્ય માણતા હોય છે.

રસસિધ્ધાંત ભરત મુનિ રચિત કૃતિ નાટયશાસ્ત્ર (નાટય નો અર્થ "નાટક" અને શાસ્ત્ર નો અર્થ "નું વિજ્ઞાન") એ સંસ્કૃત ગ્રંથથી શરૂ થઈને વિકસ્યો છે જેમાં દેવો એ એવી ઘોષણા કરે છે કે નાટક “પાંચમો વેદ” છે કારણ કે સતત પતન પામતા યુગને ધાર્મિક શિક્ષણના શ્રેષ્ઠ રૂપ તરીકે તે સૌથી વધુ અનૂકૂળ છે. નાટયશાસ્ત્રની રચનાના સમય વિષે પ્લેટો અને એરિસ્ટોટલથી શરૂ કરીને સાતમી સદીના વિદ્વાનોમાં વિવાદ પ્રવર્તે છે. નાટયશાસ્ત્રના પ્રકરણો છ અને સાતમાં રસની સૌંદર્યલક્ષી સંકલ્પનાઓ અને તેના સંલગ્ન ભાવોનું નિરૂપણ કરે છે જે પોતે જ સમગ્ર રીતે એક સ્વતંત્ર કૃતિ તરીકે છે. આઠ રસો અને સંલગ્ન ભાવોને નામ આપવામાં આવ્યા છે અને પ્રસ્તુતિને રસદાર બનાવીને આનંદને સમૃધ્ધ બનાવવામાં આવે છે: રસ અને સ્વાદનો એવો આનંદ છે જે ઘટકોના યોગ્ય નિર્માણ અને ઘટકોની ગુણવત્તામાંથી નિષ્પન્ન થાય છે. સૈદ્ધાંતિક જ્ઞાનમાં, રસ ખરેખર શું છે, તેની ચર્ચા કરવામાં નથી આવી અને નાટયશાસ્ત્રના સુગઠિત શબ્દો મુજબ, તેમાં મૂળ લેખક(કો)ની ચોક્કસ સૂઝ તે સ્પષ્ટ રીતે જાણી શકાય તેમ નથી.

રસના સિદ્ધાંતોનો વિકાસ કાશ્મીરી સૌંદર્યશાસ્ત્ર આનંવવર્ધનની કાવ્યશાસ્ત્ર પરની શિષ્ટકૃતિ ધ્વન્યલોક થયો છે, જેમાં નવ રસોનો પરીચય આપવામાં આવ્યો છે, શાંત રસને નિશ્ચિત રીતે શાન્તા(શાંતિ )ની ધાર્મિક અનુભૂતિ જે તેના ભાવ એટલે કે સાંસારિક આનંદના ઉદ્વેગમાંથી ઉદ્ભવે છે તેવું વર્ણન કરવામાં આવ્યું છે આ ગ્રંથનો મૂળ ઉદ્દેશ શબ્દ, વાકય અથવા સમગ્ર કૃતિ સહિત પ્રાથમિક રીતે સંસ્કૃત સ્વરૂપમાં રસ ધ્વનિ ના અસ્તિત્વ માટે સબળ બનાવીને વાસ્તવિક જગતની ભાવઅવસ્થા અથવા ભાવને “ઈગિત” કરીને ધ્વનિ અથવા કાવ્યાત્મક વ્યંજનોની સાહિત્યિક સંકલ્પનાને શુદ્ધ બનાવવાનો છે, પરંતુ રસલક્ષી ભેદનો જ આભાર માનવો ઘટે કે ભાવુક શ્રોતા કે દર્શક રસને એટલે કે કરુણાંતિકા, વીરરસ અથવા શૃંગારસના રસાસ્વાદને માણે છે.

9મી-10મી સદીમાં "કાશ્મીરના અદ્વૈત શૈવવાદી" (અથવા "કાશ્મીર શૈવવાદી") તરીકે વિખ્યાત ધર્મપરંપરાના સ્વામી અને સૌંદર્યવેતા અભિવનગુપ્તે ધવન્યલોક પરની પોતાની સ્વતંત્ર ટિપ્પણીઓમાં રસના સિદ્ધાંતોને સર્વોચ્ચ સ્થાને મૂકયા છે, ધવન્યલોક-લોકાના (જેનો અનુવાદ ઈન્ગાલ્સ, મેસન અને પટવર્ધને સને-1992માં કર્યો છે) અને નાટયશાસ્ત્ર પરના તેના વિવરણ અભિનવભારતીનો અનુવાદ નોલી અને મેસન અને પટવર્ધન કરેલો છે. અભિનવગુપ્ત સૌ પ્રથમ વખત રસની ટેકનિકલ વ્યાખ્યા આપે છે, રસ એટલે નાટકના ભાવપ્રધાન ધ્વનિથી આચ્છાદિત સ્વ અથવા આત્માનો સર્વવ્યાપી પરમાનંદ છે. શાંતિ-રસ રસોના સમુચ્ચયનો જ એક સમાન સભ્ય છે પણ તે સૌંદર્યલક્ષી પરમ આનંદના સૌથી વધુ સ્પષ્ટરૂપ બનવામાં તે જ સમયે વિશિષ્ટતા ધરાવે છે. અભિનવગુપ્ત તેને રત્નજડિત હારની દોરીથી સમૃધ્ધ બનાવે છે; રત્નજડિત હારની દોરી મોટાભાગના લોકો માટે વધુ આકર્ષક ન બની શકે, પણ અન્ય આઠ રસોનો રત્નોને હારના સ્વરૂપમાં માણવા માટે તે દોરીનું કામ કરે છે. રસનો આસ્વાદ અને તેમાં ખાસ કરીને, શાંત રસનો આસ્વાદ યોગીઓ દ્વારા અનુભૂત સાક્ષાત્કારના પરમાનંદની સમાન કયારેય ગણવામાં નથી આવતો.

ચાઈનીઝ સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

ચાઈનીઝ કલા ભિન્ન શૈલીઓ અને મહિમાનો સુદીર્ધ ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન કાળમાં, તત્વવેતાઓ સૌંદર્ય શાસ્ત્ર વિષે તર્ક-વિતર્ક કરતા હતા. કન્ફયુશિયસ માનવપ્રકૃતિને વિશાળ બનાવવામાં અને માનવતાના વિષયમાં અનિવાર્ય તત્ત્વો સુધી આપણને પરત લાવવામાં “લી” (શિષ્ટાચાર, ધાર્મિક વિધિ)માં મદદરૂપ થવામાં કલા અને માનવવિદ્યા શાખાઓ (ખાસ કરીને સંગીત અને કાવ્ય)ની ભૂમિકાને મહત્વ આપતા. તેમ છતાં, તેના પ્રતિસ્પર્ધી મોઝી એવો તર્ક કરતા કે સંગીત અને લલિત કલાઓ એક ચોક્કસ વર્ગની અને નિરર્થક છે, જેનાથી માત્ર સમૃદ્ધ લોકોને જ લાભ થાય છે પરંતુ સામાન્ય લોકોને લાભ થતો નથી.

ચોથી સદી એ.ડી. સુધીમાં, કલાકારો કલાના ચોક્કસ ધ્યેયો પર લેખ લખીને ચર્ચા કરતા હતાં. તેના ઉદાહરણરૂપે, ગુ કેઈઝી ચિત્રના આ સિધ્ધાંતો વિષે 3 સ્મૃતિગ્રંથો ધરાવે છે, અને કલાના સર્જક હોય તેમ જ કલાસર્જન વિષે લેખ લખવાની એમ બંને પ્રવૃત્તિ કરતા હોય તેવા કલાકારો/વિદ્વાનો દુર્લભ નથી. કલા પર ધાર્મિક અને દાર્શનિક પ્રભાવ સામાન્ય (અને વૈવિધ્યસભર) હતો પરંતુ તે પ્રભાવ કયારેય સાર્વત્રિક ન હતો; લગભગ દરેક ચાઈનીઝ કાલખંડમાં તત્વજ્ઞાન અને ધર્મની મહદ્ અંશે અવગણના થતી હોય તેવા દૃષ્ટાંત શોધવા સરળ છે.

આફ્રિકન સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

મહાન મસ્જિદની ઓળખ સમાન ત્રણ મિનારાઓથી ડિઝેની મુખ્ય બજારનો ઉપરથી નજરો.યુનિક મેલિએન એસ્થેટિક

આફ્રિકન કલા ઘણા સ્વરૂપો અને શૈલીમાં અસ્તિત્વ ધરાવે છે, અને આફ્રિકાની બહાર પણ તેનો થોડો ઘણો પ્રભાવ રહયો છે. તેના મોટાભાગના પરંપરાગત સ્વરૂપો અને સૌંદર્યલક્ષી ધોરણો મૌખિક તેમજ લિખિત સ્વરૂપમાં હસ્તાંરિત કરવામાં આવતા. જેમાં શિલ્પશાસ્ત્ર અને પ્રસ્તુતિ કલા અગ્રેસર છે, અને આંશિક સૂક્ષ્મ સ્વરૂપોનું મૂલ્ય થતું રહયું છે, અને યર્થાથ રૂપમાં પાશ્ચાત્ય પરંપરા શરૂ થઈ તે સમયની તેની પર પડેલા પ્રભાવની પહેલા ઘણા લાંબા સમયથી થતું હતું. નોક સંસ્કૃતિ આનું એક પ્રમાણ છે. ટિમ્બુકટુનો મકબરા પરથી જણાય છે કે આફ્રિકાના અમુક ચોક્કસ વિસ્તારોમાં વિશિષ્ટ સૌંદર્ય શાસ્ત્રનો વિકાસ થયો હતો.

પાશ્ચાત્ય મધ્યયુગનું સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

અવશિષ્ટ મધ્યયુગની કલા મહદ્અંશે ધાર્મિકતાને કેન્દ્રસ્થાને રાખે છે, અને સામાન્યરીતે તેને રાજય, ઓર્થોડોકસ અથવા રોમન કેથોલિક ચર્ચ, ધર્મતંત્ર સાથે સંકળાયેલી શકિતશાળી વ્યકિતઓ, અથવા ધર્મનિરેપક્ષ સમૃધ્ધ આશ્રયદાતાઓ દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવતી હતી. દેવપ્રસાદ અથવા દેવળ જેવા કર્મકાંડી કે વિવિવિધાન જેવા કાર્યોને ઉદ્દેશ રહેતો. મધ્યયુગની કલાની ચીજવસ્તુઓ સોના અને નીલમ જેવી દૂર્લભ અને મૂલ્યવાન સામગ્રીમાંથી બનતી, જેનો ખર્ચ કયારેય તેના કારીગરના વેતન કરતા પણ વધુ આવતો.

કલા અને સૌંદર્ય લક્ષી તત્ત્વજ્ઞાન સ્પષ્ટ આધ્યાત્મિક શ્રેણીઓનો વિષેષ ઉપયોગ કરીને પ્રાચીન વિચારસરણીઓના ભાગરૂપે ચાલુ રહી હતી. સેઈન્ટ બોનાવેન્ચરની કૃતિ “રિટ્રેસીંગ ધ આર્ટસ ટૂ થિયોલોજી”માં માનવસર્જિત વસ્તુઓની સૃષ્ટિને પ્રગટ કરતી યંત્રકલામાં કૌશલ્યની જયોત, પ્રાકૃતિક સ્વરૂપના વિશ્વને પ્રગટ કરતી જ્ઞાનગૃહણની જયોત, બૌદ્ધિક સત્યના વિશ્વને પ્રગટ કરતા તત્વજ્ઞાનની જયોત, સત્યની રક્ષા કરતા વિશ્વને પ્રગટ કરતી દિવ્ય પ્રજ્ઞાની જયોત, એવી ચાર “જયોત” થકી માનવજાતિ સમક્ષ ઈશ્વરના પ્રાગટયના હેતુ માટે કલાકારોના કૌશલ્યોની ઈશ્વરદત્ત બેટ તરીકે ચર્ચા કરી છે.

સેઈન્ટ થોમસ એકિવનાનો સૌંદર્યલક્ષી સિદ્ધાંત મધ્યયુગના સૌંદર્ય શાસ્ત્રત્મક સિદ્ધાંતોમાં વધુ વિખ્યાત અને પ્રભાવહારી છે, વિખ્યાત લેખક જેમ્સ જોયસ તેમજ 20મી સદીના પ્રભાવશાળી અન્ય ઘણા લેખકોના લેખમાં તેનો સ્પષ્ટ રીતે ઉપયોગ થયેલો છે. થોમસે મધ્યયુગના અન્ય લેખકોની જેમ જ “સૌંદર્ય”ને કયારેય મહત્વ આપતા નથી, પરંતુ કૃતિઓની વિસ્તૃત રચનામાં તદ્ન ભિન્ન ટિપ્પણીઓના આધારે સિદ્ધાંતની પુનરર્ચના કરવામાં આવે છે. તેના સિદ્ધાંતમાં એરિસ્ટોટલનો શિષ્ટ ઢાંચો અનુસરવામાં આવે છે, પણ તેમાં “સુંદર વસ્તુ પરમોત્કૃષ્ટ છે,” અથવા "સત્ય" અને "સુજનતા" જેવા અન્ય ઉત્કૃષ્ટ તત્ત્વોમાંના અસ્તિત્વની સાથે પરિવર્તનીય હોય તે રીતે સુંદરતાની સ્પષ્ટ રચનાર્થ અનુસરવામાં આવે છે. એમ્બેર્ટો ઈકોની કૃતિ "ધ એસ્થેટિક્સ ઓફ થોમસ એક્વિનાસ" થી એકિવનાના તત્ત્વજ્ઞાનમાં સુંદર વસ્તુઓના ત્રણ મુખ્ય ગુણધર્મો અખંડિતતા, સમસંવાદિતતા અને શુચિતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. એરિસ્ટોટલે પ્લેટોનિક/નિઓ-પ્લેટોનિક અને ઓગસ્ટાઈનિયન ચિંતનની દૃષ્ટિએ ત્રીજા ગુણધર્મને એકિવનાઝના “નવ-સર્જન” તરીકે ગણીને તે સહિત પ્રથમ બે ગુણધર્મોની ઓળખ આપી છે. આખરે, મધ્યયુગના સૌંદર્ય શાસ્ત્ર, એકરૂપ પ્રણાલી ન હોય તો પણ સૌંદર્યના એવા અપ્રિતમ દૃશ્યની પ્રસ્તુતિ કરે છે જે કલાના ઇતિહાસમાં ગહન નિરૂપણને પાત્ર છે.કોલરિજ બે યુગ્મ શબ્દપદનો ઉપયોગ કરે છે : અનેકતા અને એકતા, જે અન્ય બેમાંથી આર્વિભાવ પામીને દિપ્તી (એકિવનાઝની શુચિતા તરફ) લઈ જાય છે, અને ત્યારબાદ ધ્યેતામાં "આહલાદનું નિર્ગમન" થાય છે. જિરાર્ડ મેન્લે હોપકિન્સે આ અસરોનું વર્ણન કરવા માટે આંતરિક ગુણ અને બાહ્યગુણ એવા શબ્દો પ્રયોજયા.

લોર્સ ગોસ્પેલ્સ 778–820. ચાર્લ્સમેગ્નેસ કોર્ટ સ્કૂલ.

મધ્યયુગના વિશ્વ નવજાગૃતિમાં પરિવર્તન પામવાની સાથે કલા આ વિશ્વને કેન્દ્રબિંદુમાં રાખીને માનવજીવનના ધર્મનિરપેક્ષ મૂલ્યો તરફ પુનરાગમન કરતી હોય છે. પ્રાચીન ગ્રીક અને રોમનોની કલાની તત્ત્વજ્ઞાનનો પુનવિર્નિયોગ કરવામાં આવે છે.

આધુનિક સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

17મી સદીના ઉત્તરાર્ધથી 20મી સદીના પૂર્વાધ સુધી પાશ્ચાત્ય સૌંદર્ય શાસ્ત્ર મંથર ગતિની ક્રાંતિ હેઠળ પસાર થતી રહી જેને અમુક વખત આધુનિકતાવાદ તરીકે ઓળખાવવામાં આવે છે જર્મન અને બ્રિટીશ ચિંતકોએ સૌંદર્યને કલાના અને સૌંદર્યલક્ષી અનુભવના ચાવીરૂપ ઘટક તરીકે મહત્વ આપીને કલાને સૌંદર્યના આવશ્યક ધ્યેય તરીકે ગણી.

બોમ્ગાર્ટનના મતાનુસાર સૌંદર્ય શાસ્ત્ર એ તર્કની નાની બહેન સમાન ઈન્દ્રિયમૂલક અનુભવોનું વિજ્ઞાન છે, અને આવી રીતે સૌંદર્ય ઈન્દ્રિયમૂલક અનુભવોથી મેળવી શકાય તેવા જ્ઞાનનો સૌથી વધુ પૂર્ણ પ્રકાર છે. કેન્ટના મતાનુસાર સુંદરતાનો સૌંદર્યલક્ષી અનુભવ એ વિષયનિષ્ઠ પણ સાર્વત્રિક અને સનાતન સત્યનો નિર્ણય છે, કારણ કે જો ગુલાબ વાસ્તવમાં સુંદર હોય તો જ તમામ લોકો સહમત થાય કે “ આ ગુલાબ સુંદર છે.” તેમ છતાં, સુંદરતાનું તેના ગુણધર્મોના પ્રાથમિક સમુચ્ચ્યથી વધુ પ્રમાણમાં અલ્પીકરણ કરી શકાય નહિ. શીલરના મતાનુસાર સૌંદર્યની સૌંદર્યલક્ષી સ્તુતિ માનવ સ્વભાવના ઈન્દ્રિયજન્ય અને બૌદ્ધિક હિસ્સાઓનું સૌથી સંપૂર્ણ સમાધાન છે.

સ્કિલીંગના મતાનુસાર કલાનું તત્ત્વજ્ઞાન એ તત્ત્વજ્ઞાનની “તર્કશૈલી” છે. સૌંદર્ય શાસ્ત્ર હવે કલાની તત્ત્વજ્ઞાનનું નામ છે. ફ્રેડરિક વોન સ્કલેગલ, ઓગસ્ટ વિલ્હેમ સ્કલેગલ, સ્કેલેઇરનેશેર અને હિગલ પણ સને 1800 પછી સૌંદર્ય શાસ્ત્રના વિષય પર કલાની તત્ત્વજ્ઞાન તરીકે વ્યાખ્યાનો આપ્યા છે. હિગલના મતાનુસાર સમગ્ર સંસ્કૃતિ "પરમ કેવળ ચિત્ત"નું એવું દૃવ્ય છે કે જે તબક્કાવાર સ્વંયભૂ પ્રગટ થતું હોય છે. કલા એવો પ્રથમ તબક્કો છે જેમાં પરમ કેવળ ચિત્ત જ્ઞાનાનુભૂમિમાં તરત પ્રગટ થાય છે, અને આવી રીતે તે સૌંદર્યના વિષયનિષ્ઠા આવિભાર્વને બદલે હેતુલક્ષી છે.

શોપનહેઅરના મતાનુસાર ઈચ્છાઓના સૌંદર્યલક્ષી ચિંતન જ કેવળ પ્રજ્ઞા છે જે પણ પ્રકારના ઐહિક કાર્યો વગર સ્વરૂપની પૂર્ણતાનું ધ્યાન ધરીએ છીએ; અને આવી રીતે, ઉપયોગિતા અથવા રાજનીતિના પ્રવેશથી સૌંદર્યનું સ્થાન નષ્ટ થાય છે.

બ્રિટીશ એ અંત:સ્ફૂરણાવાદીઓ અને વિશ્લેષણવાદીઓ એવા જૂથમાં વહેંચાઈ ગયા હતાં. અંત:સ્ફૂરણાવાદીઓ એવું માનતા કે સૌંદર્યલક્ષી અનુભવ અમુક પ્રકારની એક મનોશકિતથી પ્રગટ થાય છે. અર્લ ઓફ શેફરૂસબરીના મતાનુસાર, સૌંદર્યલક્ષી અનુભવ નૈતિક સમજબુદ્ધિ અનુસાર તાદૃશ થાય; સૌંદર્ય એ નૈતિક સુંદરતાનું ઈન્દ્રિયમૂલક રૂપાંતર માત્ર છે. વિટ્જેન્સ્ટેઈનના મતાનુસાર, સૌંદર્ય શાસ્ત્ર સમગ્ર સંસ્કૃતિ જેમાં ભાષાકીય અશ્કયતા હોય તેના વર્ણનથી બને છે. આવી રીતે રચના થયેલી સૌંદર્ય શાસ્ત્ર શબ્દરમતના ક્ષેત્ર બહાર રહેતી હોય છે.

ઓસ્કર વાઈલ્ડના મતાનુસાર, સૌંદર્યને ખાતર સૌંદર્યનું ચિંતન તેની સાહિત્યક કારર્કિદીનો પાયો છે એટલું જ નહિ પણ તેના ટાંકેલા વિધાન મુજબ “સૌંદર્યશાસ્ત્રવાદ સુંદર હોવાના સંકેતો પછીની શોધ છે. તે સુંદરતાનું એવું વિજ્ઞાન છે કે જેના મારફત માનવી કલાના સહસંબંધ શોધે છે. વધુ નિશ્ચિત રીતે કહીએ તો જીવનના રહસ્ય પછીની શોધ. ” 36%

વાઈલ્ડે સને 1882માં પ્રખ્યાત યુનાઈટેડ સ્ટેટસનો પ્રવાસ ખેડયો. તેણે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવાસ કર્યો અને “ ઈંગ્લિશ રિનેસા ” નામના પ્રવચનમાં સૌંદર્ય શાસ્ત્રનો વિચારનો પ્રસાર કર્યો. પોતાના પ્રવચનમાં તેણે એવું સૂચવ્યું કે સૌંદર્ય અને સૌંદર્ય શાસ્ત્ર મ્લાન નહિ" પણ ઊજાર્વાન છે. જીવનના બાહ્ય પાસાઓને સુંદર બનાવીને, કોઈ વ્યકિત પોતાના આંતરિક પાસાઓને સુંદર બનાવે છે." તેના કહેવા મુજબ, ઈંગ્લિશ નવજાગૃતિ, "ઈટાલિયન નવજાગૃતિની જેમ જ માનવચેતનાનો એક પ્રકારનો પુનર્જન્મ છે."[૨૬]

વિલિયમ હોગેર્થ, પોતાનું ચિત્ર, 1745

હચીસનના મતાનુસાર સૌંદર્ય આંતરિક સૂઝથી પ્રગટ થાય છે, પણ તે હેતુલક્ષી કરતા વિષયનિષ્ઠ હકીકત વધારે છે. લોર્ડ કેમ્સ, વિલિયમ હોગાર્થ અને એડમેન્ડ બર્ક જેવા વિશ્વલેષણાત્મક સિદ્ધાંતવાદીઓ સુંદરતાનો તેના ગુણધર્મોની યાદીના પ્રમાણ સુધી ન્યૂન કરવાનો આગ્રહ રાખતા. ઉદાહરણ તરીકે, હોગાર્થ એવું માને છે કે સૌંદર્ય: (1) અમુક પ્રકારની સરંચનાના ભાગોની ચુસ્તતા અથવા યોગ્યતા; (2) શકય તેટલા પ્રમાણમાં વૈવિધ્ય; (3) એકરૂપતા, નિયમિતતા અથવા સામંજસ્ય, જે યોગ્યતાની લાક્ષણિકતાના ગુણધર્મનું જતન કરવામાં મદદરૂપ થાય ત્યારે જ સુંદર હોય; (4) સરળતા અથવા વિશિષ્ટતા જે પોતે આનંદ નથી આપતી પણ તેના મારફત આપણી આંખો વૈવિધ્યને સરળતાપૂર્વક માણવા સમક્ષ બને છે; (5) જટિલતા-જે આપણી સક્રિય ઊજાર્ઓને કામે લગાડીને અનિયંત્રિત અનુસરણ કરવામાં પ્રેરે છે; અને (6) પ્રમાણ અથવા માત્રા જે આપણું ધ્યાન ખેંચીને પ્રશંસા અને અહોભાવનું સર્જન કરે છે. ત્યારપછીના વિશ્લેષણાત્મક સૌંદર્યશાસ્ત્રીઓએ સૌંદર્યને માનસશાસ્ત્રના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે (જેમ્સ મિલની જેમ) અથવા જીવ વિજ્ઞાનના સિદ્ધાંતો (હબર્ટ સ્પેન્સરની જેમ) પ્રયત્ન કર્યો.

આધુનિકોત્તર સૌંદર્ય શાસ્ત્ર અને મનોવિશ્લેષણ[ફેરફાર કરો]

વીસમી સદીના આરંભમાં, કલાકારો, કવિઓ અને રચયિતાઓએ એવી ધારણાને વિવાદ ઉઠાવ્યો કે સૌંદર્ય એ કલા અને રસલક્ષિતાના કેન્દ્રવર્તી સ્થાને હતું. આધુનિકોત્તર સૌંદર્ય શાસ્ત્રની વ્યાખ્યા કરવા માટે તે સમયથી ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે.

મૌલિક તરીકે ગણાતો, આ વિવાદ પ્રસ્તુત, જુના સૌંદર્ય શાસ્ત્રત્મક સિદ્ધાંતોની સાથે જ ચાલુ રહ્યો છે; પોતાના નાટયશાસ્ત્રને લગતા સિદ્ધાંતો મુજબ "સૌંદર્ય"ને તેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં એરિસ્ટોટલ પાશ્ચાત્ય પરંપરામાં પ્રથમ ચિંતક હતો, અને અને કેન્ટ એ સુંદરતા અને ઉત્કૃષ્ટતા વચ્ચેનો ભેદ આંકી દર્શાવ્યો. એમાં નવી વસ્તુ એટલી જ હતી કે જેમાં વર્ગીકરણશાસ્ત્રથી કરુણાંતિકા અને ઉત્કૃષ્ટ સુખાંતિકા અને અલંકારિક સ્થાપત્યશૈલી માટે પસંદગી સૂચવાતી હોય એવા અમુક ચોક્કસ પ્રકારોને ઉચ્ચ સ્થાન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો.

ક્રોસનું સૂચન એવું છે કે “ અભિવ્યકિત ” એવી રીતે કેન્દ્રસ્થાને હોય છે કે સુંદરતાને કેન્દ્રસ્થાને હોય તે રીતે એક વખત માની લીધેલું હોય છે. જયોર્જ ડિકીએ એવું સૂચવ્યું છે કે કલા-જગતની સમાજશાસ્ત્રીય સંસ્થાઓ કલા અને સંવેદન-ગ્રહણ શકિતને એકરૂપતામાં જકડી રાખે છે. માર્શેલ મેકલુહને એવું સૂચન કર્યું છે કે કલા હંમેશા સમાજમાં જે વસ્તુ સામાન્ય રીતે અદૃશ્ય હોય તેને દૃશ્ય બનાવવા માટે રચેલા એક "પ્રતિ-પર્યાવરણ" તરીકે કામ કરતી હોય છે.[પાનાં ક્રમાંક જરૂરી છે] થિઓડોર અડોર્નો ને એવું જણાયું કે સૌંદર્ય શાસ્ત્ર કલા અને રસલક્ષી અનુભવોના વાસ્તવીકરણમાં સંસ્કૃતિ ઉદ્યોગની ભૂમિકા સાથે સંઘર્ષમાં આવ્યા વગર શરૂ થઈ શકે નહિં. હેલ ફોસ્ટર નામના કલાવિવેચકે એન્ટી-એસ્થેટિક : એસેયઝ ઓન પોસ્ટમોર્ડન કલ્ચર માં સુંદરતા અને આધુનિકતાવાદી કલાની સામે પ્રતિક્રિયા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આર્થર દાન્તોએ આ પ્રતિક્રિયાને “ સૌંદર્યભીતિ ” તરીકે વર્ણવી છે (ગ્રીક ભાષામાં સૌંદર્ય માટે - “કાલોસ” શબ્દ પ્રયોજાય છે.[૨૭] એન્ડ્રી મેલરોક્સ એ એવી સ્પષ્ટતા કરે છે કે સુંદરતાની ધારણા નવજાગૃતિ સાથે ઉદય પામેલી કલાની ચોક્કસ વિભાવના સાથે સંકળાયેલી છે અને અઢારમી સદીમાં પણ અગ્રેસર રહી (પણ ત્યારબાદ વિસ્થાપિત થઈ હતી). અઢારમી સદીમાં પણ ઉદ્ગમ પામેલી, સૌંદર્ય શાસ્ત્રની વિદ્યાશાખામાં કલાની શાશ્વત પ્રકૃતિના સાક્ષાત્કાર માટે આને ક્ષણભંગુર સ્થિતિ માનવાની ભૂલ કરવામાં આવી. બ્રાયન મઝૂમી એ ડીલ્યુઝ અને ગ્યૂઆટેરીના તત્ત્વજ્ઞાનમાંના સૌંદર્ય લક્ષી વિચારોને અનુસરીને સુંદરતા વિષે પુનર્વિચાર કરવાનું સૂચન કરે છે.[૨૮]

ડેનિયલ બેર્લિને સને 1970ના દાયકામાં પ્રયોગશીલ સૌંદર્ય શાસ્ત્રના ક્ષેત્રનું સર્જન કર્યું, જેના માટે તેના મૃત્યુ બાદના દાયકાઓ પછી પણ વ્યકિતગત રીતે સૌથી વધુ તેના વિધાનો ટાંકવામાં આવે છે.[૨૯] પ્રાણાત્મ્વાદી સૌંદર્ય શાસ્ત્રવાદ કલાનો એક સિદ્ધાંત અને સૌંદર્યશાસ્ત્રની ઐતિહાસિક પૂર્વસંકલ્પનાઓને નકારતો એક અતિઉચ્ચ પ્રયોગશીલ અભિગમ છે.

જીન ફ્રોન્કોઈસ લ્યોટોર્ડ રુચિ અને ઉત્કૃષ્ટતા વચ્ચેના કેન્ટવાદી ભેદ માટે પુન:આવાહન કરે છે. ઉત્કૃષ્ટ ચિત્રને મૂલ્ય-વિહીન વાસ્તવવાદની જેમ" .. દર્શન અશ્કય બનાવીને તેને આપણે અલગ રીતે જોઈ શકીએ; વેદનાનું સર્જન કરીને જ તેનો આનંદ લેવાનો રહે."[૩૦][૩૧]

સિગ્મન્ડ ફ્રોઈડે મનોવિશ્લેષણમાં મુખ્યત્વે "અલૌકિક"થી સૌંદર્ય લક્ષી વિચારસરણીનું ગૂઢ સ્થાપન કરેલું.[૩૨] ફ્રોઈડ અને મેર્લી-પોન્ટીને અનુસરીને,[૩૩] જેકસ લેકેને ઉદાત્તીકરણ અને વસ્તુ અનુસાર સૌંદર્ય શાસ્ત્રનો સિદ્ધાંત ઘડયો છે.[૩૪]

સૌંદર્ય શાસ્ત્ર અને માહિતી[ફેરફાર કરો]

મેન્ડેલબ્રોટની પ્રારંભિક છબી જેને રંગીન વાતાવરણમાં સતત અનુક્રમે મોટી કરવા આવી છે.

સને-1970ના દાયકામાં, અબ્રાહમ મોલે અને ફ્રિડેર નેકે સૌંદર્ય શાસ્ત્ર, માહિતી પ્રક્રિયા અને માહિતી સિદ્ધાંત વચ્ચેની કડીઓનું વિશ્લેષણ સૌ પ્રથમ વખત કરેલું[૩૫][૩૬].

સને 1990ના દાયકામાં, જર્જેન સ્કિમ્દૂબર સૌંદર્યના ગાણિતિક સિદ્ધાંતનું વર્ણન કર્યું છે જેમાં અવલોકનકર્તાની વિષયલક્ષિતા અને ચોક્કસ વિષયલક્ષી અવલોકનકર્તા દ્વારા તુલનાપાત્ર હોય તે પ્રમાણે : વર્ગીકૃત કરેલા અમુક અવલોકનમાંથી ઉપધારણાઓ લેવામાં આવે છે, આપેલા અવલોકનકર્તાના પૂર્વજ્ઞાન અને માહિતીના સંકેતીકરણ માટેની તેની ચોક્કસ પધ્ધતિ અને સંક્ષિપ્ત વર્ણન સૌંદર્યલક્ષી રીતે સૌથી વધુ આનંદદાયી ઉપધારણા હોય છે.[૩૭][૩૮] ગાણિતિક માહિતી સિદ્ધાંત અને લઘુત્તમ વર્ણન લંબાઇના સિદ્ધાંતો સાથે આ વસ્તુ ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે તેનું એક ઉદાહરણ : ગણિતશાસ્ત્રીઓ તેમની ઔપચારિક ભાષામાં સંક્ષિપ્ત વર્ણન ધરાવતી સરળ સાબિતીઓની મજા માણતા હોય છે. બીજા સંગીન ઉદાહરણોમાં, લીઓનાર્ડો દ વિન્સી અને આલ્બ્રેટ ડયૂરેર દ્વારા થયેલા 15મી સદીના વિસ્તૃત અભ્યાસોમાંથી પ્રેરણા લઈને, માહિતીના માત્ર થોડા હિસ્સાથી[૩૯][૪૦] સૌંદર્યલક્ષી આનંદદાયક માનવચહેરાનું વર્ણન કરવામાં આવે છે. સ્કિમીદયૂબેરના સિદ્ધાંતમાં, વિષય-નિષ્ઠ રીતે ગ્રહણ કરેલી સુંદરતાની પ્રથમ ઉત્પતિને અનુસાર રસપ્રદતા હોય છે એમ જણાવીને શું સુંદર અને શું રસપ્રદ છે તેની વચ્ચેનો સ્પષ્ટ ભેદ આંકવામાં આવ્યો છે. અહીં અવકાશ એવો રહે છે કે અવલોકનકર્તા પુનરાવર્તન અને સપ્રમાણતા અને વિભાજીત સ્વ-સપ્રમાણતા જેવી નિયમિતતાઓ પ્રગટ કરીને અવલોકનોની અનુમાન ક્ષમતા અને સંક્ષિપ્તક્ષમતાની સુધારણા કરવાનો સતત પ્રયત્ન કરે છે. જયારે પણ અવલોકનકર્તાની અધ્યયન પ્રક્રિયા (જે અનુમાનિત ન્યુરલ નેટવર્ક હોઇ શકે- ન્યૂરોસ્થેટિક્સ પણ જુઓ) સુધારેલી માહિતી સંક્ષિપ્તતા એવી રીતે પરિણમે છે કે અવલોકનની શ્રેણીને અગાઉના થોડા બીટસથી વર્ણવી શકાય છે, માહિતીની કામચલાઉ રસપ્રદતા વધેલા બીટસની સંખ્યા અનુસાર હોય છે. આ સંઘનનતા પ્રગતિ અવલોકનકર્તાના આંતરિક વિચારોના પ્રમાણમાં હોય છે, તેને કુતુહલવૃત્તિ પણ કહેવામાં આવે છે. અજ્ઞાન હોય તેવી વધારાનો રસપ્રદ અંતનિર્વેશ પેદા કરે તેવી કાર્યશ્રેણીઓને કાર્યાન્વિત કરવા માટેના અધ્યયનથી ભાવિ અપેક્ષિત વૃત્તિને મહત્તમ બનાવવામાં ઉપયોગ થાય છે. પરંતુ તેમાં શીખી શકાય તેવી ધારણાક્ષમતા અથવા નિયમિતતા હોય છે. કૃત્રિમ ઉદીપકો પર આ સિદ્ધાંતનો પ્રયોગ કરી શકાય જે ત્યારબાદ કૃત્રિમ જિજ્ઞાસાના એક સ્વરૂપનું પ્રદર્શન કરે છે[૪૧][૪૨][૪૩][૪૪].

પ્રાયોજિત સૌંદર્ય શાસ્ત્ર[ફેરફાર કરો]

કલાની સાથોસાથ, સૌંદર્ય શાસ્ત્રને સાંસ્કૃતિક વસ્તુઓ પર પ્રયોજી શકાય. કલાની વસ્તુઓ અને તબીબી વિષયો વચ્ચેનું રસાત્મક સંઘાન યુએસ ઈન્ફર્મેશન એજન્સી માટે કામ કરતા વકતાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું[૪૫], અંગ્રેજીભાષી વકતાઓ પોતાના દેશના શ્રોતાઓને સંબોધવા માટે અનુવાદકોનો ઉપયોગ કરતા ત્યારે દૃષ્ટાંતના પ્રતિરૂપ શીખવવામાં સુદૃઢીકરણ માટે આ સંઘાનનો ઉપયોગ કરવામાં આવતો. આ શ્રોતાગણ સામાન્યરીતે અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતો ન હતો. ગણિત ગેસ્ટ્રોનોમી અને ફેશન ડિઝાઈન જેટલા જ વૈવિધ્યસભર વિષયોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય.

સૌંદર્ય લક્ષી નીતિશાસ્ત્ર[ફેરફાર કરો]

સૌંદર્ય લક્ષી નીતિશાસ્ત્રથી એવી સંકલ્પનાનો સંદર્ભ છે કે માનવ વર્તણૂક અને વ્યવહારનું સંચાલન આકર્ષક અને સુંદર વસ્તુઓથી થવું જોઈએ. જોહન ડેવી[૪૬] એ એવો નિર્દેશ કર્યો છે કે સૌંદર્ય શાસ્ત્ર અને નીતિશાસ્ત્રની એકતા વાસ્તવમાં "સરળ" હોય તેવી વર્તણૂકની આપણી સમજમાં એટલે કે આકર્ષક અને નૈતિક રીતે સ્વીકાર્યના બેવડા અર્થ ધરાવતા શબ્દમાં પ્રતિબિંબિત થાય છે. તાજેતરમાં, જેમ્સ પેજે[૪૭] એવું સૂચન કર્યું છે કે શાંતિના શિક્ષણ માટે તાત્વિક તર્ક ઘડવા માટે સૌંદર્યલક્ષી નીતિશાસ્ત્રને લઈ શકાય.

સૌંદર્ય ગણિતશાસ્ત્ર, વિશ્લેષણાત્મક તત્વજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર તરીકે સત્ય[ફેરફાર કરો]

સૈદ્ધાંતિક સૌંદર્યશાસ્ત્રમાં વિશ્લેષણ માટે સમમિતિ અને જટિલતા જેવી ગાણિતીક વિચારણાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગાણિતિક સૌંદર્યના અભ્યાસમાં વપરાતી પ્રાયોજિત સૌંદર્ય શાસ્ત્રની સૌંદર્ય લક્ષી વિચારણાથી આ વસ્તુ ભિન્ન છે. અનુભવજન્ય વિચારણાઓથી પર થઈને, સત્ય નક્કી કરવા માટે નીતિશાસ્ત્ર અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અને વિશ્વ શાસ્ત્ર જેવા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં સમમિતિ અને સરળતા જેવી સૌંદર્ય લક્ષી વિચારણાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. સૌંદર્ય અને સત્ય એકબીજાના પર્યાયવાસી હોવાનો તર્ક કરવામાં આવે છે.[૪૮]

સૌંદર્ય શાસ્ત્રની સંગણનાત્મક અનુમીતિ[ફેરફાર કરો]

2005થી, કોમ્પ્યુટર વિજ્ઞાનીઓએ કૃતિઓની સૌંદર્યલક્ષી અનુમીતિ કાઢવા માટે સ્વચાલિત પધ્ધતિઓ વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. કયા દ્રશ્ય ગુણધર્મો કે લક્ષણો સૌંદર્યલક્ષી ગુણાની સાથે સુંસગતતા ધરાવે છે તે વિષે કોમ્પ્યુટરોને "શીખવવા" માટે મેન્યુઅલ રેટિંગ આપેલા વિશાળ સંખ્યામાં ઓનલાઈન ફોટોગ્રાફસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેન સ્ટેટ યુનિવર્સિટી ખાતે વિકસાવેલા એકિવને એન્જિનથી યુઝરો દ્વારા અપલોડ થયેલા કુદરતી ફોટોગ્રાફને મૂલ્યનિર્ધારણ ક્રમાંક આપવામાં આવે છે.[૪૯]

આ ક્ષેત્રમાં રુત્જર્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક મીશેલ લિટનનું યોગદાન નોંધપાત્ર ગણાય છે. લિટન એ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર મેથેમેટિકલ એન્ડ કોમ્પ્યુટેશનલ એસ્થેટિક્સ અને ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ગ્રુપ થીઅરી ઈન કોગ્નિટિવ સાયન્સના પ્રમુખ છે અને તેમણે આકારનો સ્વત:જનક સિદ્ધાંત વિકસાવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. મેરિઅમ-વેબ્સ્ટર ડિકશનરી ઓનલાઈન પરથી સૌંદર્યશાસ્ત્ર ની વ્યાખ્યા 1.
  2. ઝેન્ગિવલ, નિક. "એસ્થેટિક જજમેન્ટ", સ્ટેન્ફોર્ડ એન્સાયકલોપિડીયા ઓફ ફિલોસોફી , 02-28-2003/10-22-2007. 07-24-2008 એ પુન:પ્રાપ્ત કર્યું.
  3. કેલી (1998) પૃ. ix
  4. ટોમ રિડેલ દ્વારા સમીક્ષા સંગ્રહિત ૨૦૧૭-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન (રિજીસ યુનિવર્સિટી)
  5. બ્રૂયન, પ્રોફેસર સેવરીન ટી. "આર્ટ એન્ડ એસ્થેટિકસ ઈન એકશન સંગ્રહિત ૨૦૧૦-૦૪-૨૦ ના રોજ વેબેક મશિન", બોસ્ટન કોલેજ, 2002. 07-22-2008 એ પુન:પ્રાપ્ત કર્યું..
  6. ફ્રિમેન લિન્ડસે (પી.એચ.ડી.) રિમેમ્બરીંગ ડેબોર્ડ cannon-beach.net
  7. ઓનલાઈન એટમોલોજી ડિકશનરી ઓનલાઈન પરથી સૌંદર્યશાસ્ત્ર ની વ્યાખ્યા.
  8. હોમ આઈવર (2006). આઈડિયાઝ એન્ડ બીલીફસ ઈન આર્કિટેકચર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન : હાઉ એટિટયૂડસ, ઓરિએન્ટેશન્સ, એન્ડ અન્ડરલાઈંગ એઝમશન્સ શેપ ધ બિલ્ટ એન્વાર્યન્મેન્ટ . ઓસ્લો સ્કુલ ઓફ આર્કિટેકચર એન્ડ ડિઝાઈન. આઇએસબીએન 8254701741.
  9. કોર્સમેર, કેરોલીન એડી. એસ્થેટિકસ : ધ બીગ કવેશ્ચન્સ 1998
  10. કન્સીડર કલીમેન્ટ ગ્રીનબર્ગ્સ આર્ગ્યુમેન્ટસ ઈન "ઓન મોડર્નિસ્ટ પેઈંન્ટિગ" (1961), રિપ્રિન્ટેન્ડ ઈન એસ્થેટિકસ : એ રિડર ઈન ફિલોસોફી ઓફ આર્ટસ.
  11. ઈમેન્યુઅલ કેન્ટ, ધ ક્રિટીક ઓફ જજમેન્ટ.
  12. એનીમેરી ગ્રેથમેન-સિફેર્ટ, ઈન્ટ્રોડકશન ટૂ એસ્થેટિકસ (Einführung in die Ästhetik ), મ્યુનિક, વિલ્હેમ ફિન્ક, 1995, પૃ. 7.
  13. ડેવીસ, 1991, કેરોલ, 2000, એટ એલ.
  14. ૧૪.૦ ૧૪.૧ ડાન્ટો, 2003
  15. ગુડમેન,
  16. નોવિત્ઝ, 1992
  17. બ્રાયન મઝુમી, ડિલ્યુઅસ, ગ્યૂએટેરી એન્ડ ધ ફિલોસોફી ઓફ એકસપ્રેશન , સીઆરસીએલ (CRCL), 24:3, 1997.
  18. કલેમેન્ટ ગ્રીનબર્ગ, “ઓન મોડર્નિસ્ટ પેઈન્ટિંગ”.
  19. ટ્રિસ્ટેન ત્ઝારા, સેપ્ટ મેનિફેસ્ફેટસ્ટસ ડાડા.
  20. ડગ્લાસ એડમ્સ દ્વારા ધ હીશીકર્સ ગાઈડ ટૂ ધ ગેલેકસી
  21. બ્લેન્ક સ્લેટ માં સ્ટિવન પિન્કર દ્વારા ડેનીસ ડયૂટન્સ એસ્થેટિકસ યુનિવર્સલ્સ સમરાઈઝડ
  22. ગ્રોટેસ્ક એન્ટ્રી ઈન કેલી 1998, પાનાં.338-341
  23. ડેવીઝ, પેનેલોપ જે.ઈ. ડેની, વોલ્ટર બી. હોફ્રિચટર, ફ્રિમા ફોક્સ. જેકબ્સ, જોસેફ. રોબર્ટસ, એન એમ. સિમોન, ડેવિડ એલ. જેન્સન્સ હિસ્ટરી ઓફ આર્ટ, પ્રેન્ટિસ હેલ; 2007, અપર સેડલ રિવર, ન્યૂ જર્સી. સેવન્થ એડિશન, આઇએસબીએન 0131934554 પીજી. 277
  24. ધ આરબ કન્ટ્રિબ્યુશન ટૂ ઈસ્લામિક આર્ટ : ફ્રોમ ધ સેવન્થ ટૂ ફિફટીન્થ સેન્ચુઅરીઝ , વિગ્ડેન અલી, અમેરિકન યુનિવ ઈન કેરો પ્રેસ, ડિસેમ્બર 10, 1999, આઇએસબીએન 9774244761
  25. ફ્રોમ ધ લિટરલ ટૂ ધ સ્પિરિચ્યુઅલ : ધ ડેવલપમેન્ટ ઓફ ધ પ્મુરોફેટ મુહમ્મદ (એસ.એ.ડબલ્યુ.)(s.a.w) પ્રોટ્રેયલ ફ્રોમ 13થ સેન્ચુઅરી ઇલખનિદ મિનિએચર્સ ટૂ 17થ સેન્ચુઅરી ઓટોમેન આર્ટ સંગ્રહિત ૨૦૦૪-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન, વિગ્ડેન અલી, ઇજેઓએસ (EJOS) (ઈલેકટ્રોનિક જર્નલ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ), વોલ્યુમ 4, અંક 7, પૃ. 1-24, 2001.
  26. એલ્મેન, પૃ 164
  27. આર્ટ જર્નલ માં 'કેલીફોબિયા ઈન કન્ટેમ્પરરી આર્ટ' વી. 63 નં. 2 (સમર 2004) પૃ. 24-35
  28. મઝુમી, બ્રાયન, (એડી.) અ શોક ટૂ થોટ. એકસપ્રેસન આફટર ડિલ્યૂઝ એન્ડ ગ્યૂએટેરી લંડન એન્ડ ન્યૂયોર્ક: રૂટલેજ, 2002. આઇએસબીએન 0-312-25391-5
  29. ડેનિયલ બેરિલીન (1924-1976): બાયોગ્રાફિકલ એનાલીસીસ. http://www.psych.utoronto.ca/users/furedy/daniel_berlyne.htm
  30. લિઓટાર્ડ, જિન ફ્રાન્કોઈસ, વ્હોટ ઈઝ પોસ્ટ મોડર્નિઝમ? , ઇન ધ પોસ્ટમોર્ડન કન્ડિશન , મિનેસોટા એન્ડ માન્ચેસ્ટર, 1984.
  31. લિઓટાર્ડ જિન ફ્રાન્કોઈસ, સ્ક્રિપ્ચર્સ: ડિફ્રેકટેડ ટ્રેસીસ , ઈન થિઅરી, કલ્ચર એન્ડ સોસાયટી, વોલ્યુમ 21, નંબર 1, 2004.
  32. ફ્રોઈડ, સિગ્મંડ, "ધ અન્કેની" (1919). સ્ટાન્ડર્ડ એડિશન ઓફ ધ કમ્પલીટ સાયકોલોજિકલ વર્ક ઓફ સિગ્મંડ ફ્રોઈડ, 17:234-36. લંડન : ધ હોગેર્થ પ્રેસ
  33. મેર્લી-પોન્ટી, મોરિસ (1964), "ધ વિઝીબલ એન્ડ ધ ઈન્વિઝીબલ". નોર્થવેસ્ટન યુનિવર્સિટી પ્રેસ. આઇએસબીએન 0-664-22359-1
  34. લેકેન-જેકિસ, ધ એથિકસ ઓફ સાયકોએનાલિસીસ (ધ સેમિનાર ઓફ જેકિસ લેકેન બૂક 7), ન્યૂયોર્ક : ડબલ્યૂ. ડબલ્યૂ. નોર્ટન એન્ડ કંપની, 1992.
  35. એ. મોલ્સ: Théorie de l'information et perception esthétique , પેરિસ, ડિનોએલ, 1973 (ઈન્ફર્મેશન થિયરી એન્ડ એસ્થેટિકલ પર્સેપ્શન)
  36. એફ નેક (1974). Ästhetik als Informationsverarbeitung. (એસ્થેટિકસ એસ ઈન્ફોર્મેશન પ્રોસેસિંગ). Grundlagen und Anwendungen der Informatik im Bereich ästhetischer Produktion und Kritik. સ્પ્રિંગર, 1974, આઇએસબીએન 3211812164, આઇએસબીએન 9783211812167
  37. જે સ્કિદયૂબેર. લો-કોમ્પ્લેકિસટી આર્ટ. લિઓનાર્ડો, જર્નલ ઓફ ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ધ આર્ટસ, સાયન્સિસ એન્ડ ટેકનોલોજી, 30(2):97–103, 1997. http://www.jstor.org/pss/1576418
  38. જે. સ્કિદયૂબેર. 1994 થી પેપર્સ ઓન ધ થિઅરી ઓફ બ્યૂટી એન્ડ લો કોમ્પ્લેકિસટી આર્ટ : http://www.idsia.ch/~juergen/beauty.html
  39. જે. સ્કિમ્દયુબેર. ફેશ્યિલ બ્યૂટી એન્ડ ફ્રેકટલ જયોમેટ્રી. કોગ્પ્રીન્ટ આર્કાઈવ: http://cogprints.soton.ac.uk સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન , 1998
  40. જે. સ્કિમ્દયુબેર. સિમ્પલ અલ્ગોરિધમિક પ્રિન્સીપલ્સ ઓફ ડિસ્કવરી, સબ્જેકટીવ બ્યૂટી, સિલેકટીવ એટેન્શેન, કયૂરિયોસિટી એન્ડ ક્રિએટીવીટી . પ્રોક. 10થ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિસ્કવરી સાયન્સ (ડીએસ 2007) પૃ. 26-38, એલએનએઆઇ (LNAI) 4755, સ્પ્રિંજર, 2007. ઓલ્સો ઇન પ્રોક. 18થ ઇન્ટર. કોન્ફ. ઓન અલ્ગોરિધમિક લર્નિંગ થિયરી (ઈએલટી (ALT) 2007) પૃ. 32, એલએનએઆઇ (LNAI) 4754, સ્પ્રિંજર, 2007. ડીએસ (DS) 2007 અને એએલટી (ALT) 2007 માટે સંયુક્ત આમંત્રિત લેક્ચર, સેન્ડાઇ, જાપાન, 2007. http://arxiv.org/abs/0709.0674
  41. જે. સ્કિમ્દયુબેર. કયુરિઅસ મોડેલ બિલ્ડીંગ કન્ટ્રોલ સિસ્ટમ્સ. ઈન્ટરનેશનલ જોઈન્ટ કોન્ફરન્સ ઓન ન્યુરલ નેટવર્કસ, સિંગાપોર, વોલ્યુમ 2, 1458–1463. આઇઇઇઇ (IEEE) પ્રેસ, 1991
  42. જે. સ્કિમ્દયુબેર. 1990 થી પેપર્સ ઓન આર્ટિફિશયલ કયુરિઓસિટી: http://www.idsia.ch/~juergen/interest.html
  43. જે. સ્કિમ્દયુબેર. ડેવલપમેન્ટ રોબોટિકસ, ઓપ્ટિમલ આર્ટિફિશિયલ કયુરિઓસિટી, ક્રિએટીવીટી, મ્યુઝીક, એન્ડ ધ ફાઈન આર્ટસ. કનેકશન સાયન્સ, 18(2):173–187, 2006
  44. જર્મન ટીવી શોમાં સ્કિમ્દયુબેર્રસ થિઅરી ઓફ બ્યૂટી એન્ડ કયૂરિઓસિટીS: http://www.br-online.de/bayerisches-fernsehen/faszination-wissen/schoenheit--aesthetik-wahrnehmung-ID1212005092828.xml સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૩ ના રોજ વેબેક મશિન
  45. Giannini AJ (1993). "Tangential symbols: using visual symbolization to teach pharmacological principles of drug addiction to international audiences". Journal of clinical pharmacology. 33 (12): 1139–46. PMID 7510314. Unknown parameter |month= ignored (મદદ)
  46. ડેવી, જહોન. (1932)જેન્સ ટફ્રટસ સાથે 'એથિક્સ'. ઇન: ધ કલેકટેડ વર્કસ ઓફ જહોન ડેવી, 1882-1953 જો એન બોયસ્ટોન દ્વારા સંપાદિત: કાર્બનસ્ડેલ: સઘર્ન ઈલિનોઈસ યુનિવર્સિટી પ્રેસ. પૃ. 275.
  47. પેઈજ, જેમ્સ એસ. (2008) પીસ એજયુકેશન : એકસપ્લોરિંગ એથિકલ એન્ડ ફિલોસોફિકલ ફાઉન્ડેશન્સ. શાર્લોટ : ઈન્ફર્મેશન એજ પબ્લિશિંગ. આઇએસબીએન 978-983-43773-1-1 [૧] સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન[૨] સંગ્રહિત ૨૦૧૮-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન
  48. વ્હાય બ્યૂટી ઈઝ ટ્રુથ : ધ હિસ્ટરી ઓફ સિમેન્ટ્રી, ઈઆન સ્ટુઅર્ટ, 2008
  49. "Aesthetic Quality Inference Engine - Instant Impersonal Assessment of Photos". Penn State University. મૂળ માંથી 9 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2009.

ઢાંચો:No footnotes

વધુ વાંચન[ફેરફાર કરો]

  • થિઓડોર ડબલ્યૂ અડોર્નો, એસ્થેટિક થિઅરી , મિનીપોલીસ, યુનિવર્સિટી ઓફ મિનેસોટા પ્રેસ, 1997
  • ડેરિક એલન, આર્ટ એન્ડ હયુમન એડવેન્ચેર, એન્ડ્રી મેલરોક્સ થિઅરી ઓફ આર્ટ , રોડોપી, 2009
  • ઓગ્રોઝ, રોબર્ટ એમ., સ્ટેન્સી, જયોર્જ એન., ધ ન્યૂ સ્ટોરી ઓફ સાયન્સ : માઈન્ડ એન્ડ ધ યુનિવર્સ , લેક બ્લફ, ઇલ, : રેગ્નેરી ગેટવે સી 1984. આઇએસબીએન 0895268337 (જેમાં કલા, વિજ્ઞાન અને તેની તત્વજ્ઞાન પર મહત્વનું સાહિત્ય છે)
  • જહોન બેન્ડર અને જેન બ્લોકર કન્ટેમ્પરરી ફિલોસોફી ઓફ આર્ટ : રિડીંગ્ઝ ઈન એનાલીટિક એસ્થેટિકસ 1993.
  • ક્રિસ્ટાઈન બ્યૂસી-ગ્લુક્સમન (2003), એસ્થેટિક ડી લ’એફમેરે , ગેલીલી. (ફ્રેન્ચ)
  • નોએલ કેરોલ (2000), થિઅરીઝ ઓફ આર્ટ ટુડે , યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીન પ્રેસ.
  • બેનીડિટો ક્રોસ (1922), એસ્થેટિક એઝ સાયન્સ ઓફ એક્સપ્રેસન એન્ડ જનરલ લિંગ્વિસ્ટિક .
  • ઈ. એસ. ડલ્લાસ (1866), ધ ગે સાયન્સ , 2 વોલ્યુમ્સ, ઓન ધ એસ્થેટિકસ ઓફ પોએટ્રી.
  • ડાન્ટો, આર્થર (2003), ધ એબ્યુઝ ઓફ બ્યુટી : એસ્થેટિકસ એન્ડ ધ કન્સેપ્ટ ઓફ આર્ટ , ઓપન કોર્ટ.
  • સ્ટિફન ડેવીસ (1991), ડેફિનેશન્સ ઓફ આર્ટ .
  • ટેરી ઇગલટન (1990), ધ આઈડિયોલોજી ઓફ ધ એસ્થેટિક. બ્લેકવેલ. આઇએસબીએન 0-631-16302-6
  • ફિજીન એન્ડ મેનાર્ડ (1997) એસ્થેટિકસ. ઓકસફર્ડ રિડર્સ.
  • પેની ફલોરેન્સ એન્ડ નિકોલા ફોસ્ટર (એડી.) (2000), ડિફરન્શ્યલ એસ્થેટિકસ . લંડન : એશ્ગેટ. આઇએસબીએન 0-7546-1493-એક્સ.
  • બેરિઝ ગાઉટ એન્ડ ડોમિનિડ મેકલેવર લોપેઝ (એડી.), "રુટલેજ કમ્પેનિયન ટુ એસ્થેટિકસ". લંડન : રુટલેજ, 2005. આઇએસબીએન 0415214483.
  • એનીમેરી ગેથમેન-સીફર્ટ (1995), આઈન્ફરન્ગ ઈન ડાઈ એસ્થેટિક , મ્યુનીક ડબલ્યુ. ફિન્ક.
  • ડેવિડ ગોલ્ડબ્લેટ અને લી બ્રાઉન, આવૃત્તિ. (1997), એસ્થેટિકસ : એ રિડર ઈન ધ ફીલોસોફી ઓફ આર્ટસ.
  • ગ્રીનબર્ગ, કલીમેન્ટ (1960), "મોડર્નિસ્ટ પેઈન્ટિંગ", ધ કલેકટેડ એસેઈઝ એન્ડ ક્રિટીસિઝમ 1957-1969 , ધ યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, 1993, 85-92
  • એવલીન હેશેર (એડી.), આર્ટ એઝ કલ્ચર : એન ઈન્ટ્રોડકશન ટૂ ધ એન્થ્રોપોલોજી ઓફ આર્ટ. 1999
  • જયોર્જ વિલ્હેમ ફ્રેડસ્કિ હિગલ (1975), એસ્થેટિકસ .લેકચર્સ ઓન ફાઈન આર્ટ , અનુવાદક. ટી. એમ. નોક્સ, 2 વોલ્યુમ્સ. ઓક્સફર્ડઃ ક્લેરેન્ડસન પ્રેસ.
  • હાન્સ હોફમેન અને સારા ટી વિકસ; બર્ટલેટ એચ હેયસ; એડિસન ગેલેરી ઓફ અમેરિકન આર્ટ; સર્ચ ફોર ધ રિઅલ, એન્ડ અધર એસેયઝ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન (કેમ્બ્રિઝ, માસ., એમ.આઈ.ટી પ્રેસ 1967), ઓસીએલસી (OCLC)1125858
  • મિશેલ એન હોલી એન્ડ કીથ મોકિસ (એડી.) આર્ટ હિસ્ટરી એન્ડ વિઝયુઅલ સ્ટડીઝ . યેલ યુનિવર્સિટી પ્રેસ, 2002. આઇએસબીએન 0-300-09789-1
  • કેન્ટ, ઈમેન્યુઅલ (1790), ક્રિટીક ઓફ જજમેન્ટ, વેર્નર એસ. પ્લૂહર દ્વારા અનુવાદ, હેકેટ પબ્લિશીંગ કંપની, 1987.
  • કેલી, માઈકલ (એડિટર ઈન ચીફ) (1998) એન્સાયકલોપિડીયા ઓફ એસ્થેટિકસ ન્યૂયોર્ક, ઓકસફર્ડ, ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ. 4 વોલ્યુમ, પાના. XVII-521, પાના 555, પાના 536, પાના 572; 2224 કુલ પાના; 100 બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફસ; આઇએસબીએન 978-0-19-511307-5. જેમાં કલા અને સૌંદર્ય શાસ્ત્રના વિશ્વવ્યાપી દાશર્નિક, ઐતિહાસિક, સામાજિક અને ચરિત્રાત્મક પાસાને આવરી લેવામાં આવ્યા છે.
  • એલેકઝાન્ડર જે કેન્ટ, "એસ્થેટિકસ : અ લોસ્ટ કોઝ ઈન કાર્ટોગ્રાફિકસ થિઅરી?" ધ કાર્ટોગ્રાફિકસ જર્નલ, 42(2) 182-8, 2005.
  • પીટર કીવી (એડી.), ધ બ્લેકવેલ ગાઈડ ટૂ એસ્થેટિકસ. 2004
  • કેરોલિન કોર્સમેયર (એડી.), એસ્થેટિકસ : ધ બીગ કવેશ્ચન. 1998
  • લિઓટાર્ડ, જિન ફ્રાન્કોઈસ (1979), ધ પોસ્ટમોર્ડન કન્ડિશન , માન્ચેસ્ટર યુનિવર્સિટી પ્રેસ,1984.
  • મેર્લી-પોન્ટી, મોરિસ (1969), ધ વીઝીબલ એન્ડ ધ ઈન્વીઝીબલ , નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટી પ્રેસ.
  • મેર્ટિનસ નિઝોફ, એ હિસ્ટરી ઓફ સિકસ આઈડિયાઝ : એન એસે ઈન એસ્થેટિકસ , ધ હેગ, 1980.
  • Novitz, David (1992), The Boundaries of Art. નોવિત્ઝ, ડેવીડ (1992), ધ બાઉન્ડરીઝ ઓફ આર્ટ.
  • મારિઓ પેર્નિઓલા, ધ આર્ટ એન્ડ ઈટસ શેડો , હયુ જે. સિલ્વરમેન દ્વારા ફોરવર્ડ કર્યું, મેઝિમો વેર્ડિકસિઓ દ્વારા અનુવાદ કર્યું, લંડન-ન્યૂયોર્ક, કન્ટિન્નમ, 2004.
  • રોબર્ટ પિરઝિગ, Zen and the Art of Motorcycle Maintenance: An Inquiry into Values , 1974, પેપરબેક, અથવા હાર્ડબેક ફર્સ્ટ એડિશન આઇએસબીએન 0-688-00230-7
  • ગ્રિસીલ્ડા પોલોક, "ડઝ આર્ટ થિન્ક ?" ઈન : ડેના આર્નોલ્ડ એન્ડ માર્ગારેટ ઈવરસન (એડી.) આર્ટ એન્ડ થોટ . ઓકસફોર્ડ : બેઝિલ બ્લેકવેલ, 2003. 129-174. આઇએસબીએન 0-631-22715-6.
  • ગ્રિસીલ્ડા પોલોક, એન્ડકાઉન્ટર્સ ઈન ધ ર્વચ્યુઅલ ફેમિનિસ્ટ મ્યુઝિયમ : ટાઈમ, સ્પેસ એન્ડ ધ આર્કાઈવ. રુટલેજ, 2007. આઇએસબીએન 0415214483.
  • જ્યોર્જ સેન્ટેયાન (1896), ધ સેન્સ ઓફ બ્યુટી. બીઈંગ ધ આઉટલાઈન્સ ઓફ એસ્થેટિક થિઅરી. ન્યૂયોર્ક, મોર્ડન લાઈબ્રેરી, 1955.
  • એલેઈન સ્કેરી, ઓન બ્યુટી એન્ડ બીઇંગ જસ્ટ. પ્રિન્સટોન, 2001. આઇએસબીએન 9780691089591.
  • ફીર્ડેરીચ શીલ્લેર, (1795), ઓન ધ એસ્થેટિક એજ્યૂકેશન ઓફ મેન . ફ્રેડરિક શીલર, (1795), ઓન ધ એસ્થેટિક એજયુકેશન ઓફ મેન. ડોવર પબ્લિકેશન્સ, 2004.
  • એલન સિંગર એન્ડ એલન ડન (એડી.), લિટરરી એસ્થેટિકસ : અ રિડર. બ્લેકવેલ પબ્લિશીંગ લિમિટેડ, 2000. આઇએસબીએન 978-0631208693.
  • વ્લાદીસ્લે ટેટેર્કિવીઝ, હિસ્ટરી ઓફ એસ્થેટિકસ , 3 વોલ્યુમ્સ. (1–2, 1970; 3, 1974), ધ હેગ, માઉટન.
  • લિઓ ટોલ્સટોય, વ્હોટ ઈઝ આર્ટ? પેન્ગિવન કલાસિકસ1995.
  • લંડન ફિલોસોફી સ્ટડી ગાઈડ સંગ્રહિત ૨૦૦૯-૦૯-૨૩ ના રોજ વેબેક મશિનમાં સૌંદર્ય શાસ્ત્ર સંગ્રહિત ૨૦૧૧-૦૬-૨૩ ના રોજ વેબેક મશિન વિષય સાથે વિદ્યાર્થીઓની પરિચિતતાને આધારે શું વાંચવું તે વિષે ઘણા સૂચનો આપવામાં આવ્યા છે.
  • જહોન એમ. વેલેન્ટાઈન, બિગીનીંગ એસ્થેટિકસ : એન ઈન્ટ્રોડકશન ટૂ ધ ફિલોસોફી ઓફ આર્ટ. મેકગ્રો-હીલ, 2006. આઈએસબીએન 978-0073537542.
  • થોમસ વાર્ટનબર્ગ, નેચર ઓફ આર્ટ. 2006.
  • જોન વ્હાઈટહેડ, ગ્રાસ્પિંગ ફોર ધ વાઈન્ડ. 2001).
  • લ્યૂડવિગ વિટજેન્સ્ટેઈન, લેકચર્સ ઓન એસ્થેટિકસ, સાયકોલોજી એન્ડ રિલિજિયસ બીલીફ , ઓકસફર્ડ, બ્લેકવેલ1966.
  • રિચાર્ડ વોલ્હેમ, આર્ટ એન્ડ ઈટ્સ ઓબ્જેકટસ , બીજી આવૃત્તિ, 1980, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, આઈએસબીએન 0521 29706 0

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]