સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના

વિકિપીડિયામાંથી

ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય તથા સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ ગામમાં થતાં કામો[ફેરફાર કરો]

  1. સમગ્ર પંચાયતમાં ગંદકીવાળી જગ્યાઓ ગટર લાઇન અને માર્ગો ઉપર દવા છંટકાવવાની કામગીરી હાથ ધરવી.
  2. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું અને તે માટે ગામ બહાર જગ્યા નક્કી કરવી.
  3. ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો દાખલ કરી ગ્રામ સફાઇ વ્યવસ્થા સઘન બનાવવી.
  4. ગામમાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મકાનો, શાળાઓ પંચાયત ઘર આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે તમામ સ્થળોએ શૌચાલયનો પ્રબંધ કરાવવો.
  5. ગામના વ્યક્તિગત અને સામુહિક સૌચાલયોની વ્યવસ્થા કરવી.
  6. ગ્રામ વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનનું નિર્માણ કરવું.
  7. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુ જાળવણી સુનિશ્ચિત કરવી.

યોજના હેઠળ મળતી સહાય[ફેરફાર કરો]

જે ગામ જેટલો સફાઇ વેરો ઉઘરાવશે તેટલી રકમ રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશે. જે ગામ ૧૦૦ ટકા સફાઇ વેરો ઉઘરાવે છે , તેને ૧૧૦ ટકા લેખે રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવે છે. આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન રૂ.૨૦૦.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.