સ્વયં-સહાયક જૂથ (નાણાં વ્યવસ્થા)

વિકિપીડિયામાંથી
ઉત્તર પ્રદેશમાં ચાલતુ-ફરતું સ્વયં-સહાયક બેંકિગ જૂથ, ભારત.

સ્વયં-સહાયક જૂથ (એસએચજી (SHG)) એ ગ્રામ્ય-આધારિત નાણાંકીય મધ્યસ્થી છે, જે સામાન્ય રીતે તે 10-12 સ્થાનિક મહિલાઓ વચ્ચે રચાય છે. મોટા ભાગના સ્વયં-સહાયક જૂથ ભારતમાં આવેલા છે, જોકે અન્ય દેશોમાં પણ એસએચજી (SHG) જોવા મળ્યા છે, ખાસ કરીને દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં. જૂથના સભ્યો નિયમિત ધોરણે એક નાનો બચત ફાળો આપે છે, ત્યાર બાદ થોડા મહિનાઓ સુધીમાં પૂરતુ ભંડોળ એકઠું થતા જૂથમાં તે વ્યાજ પર આપવામાં આવે છે. આ ભંડોળ કોઈ પણ હેતુસર જૂથના જ કોઈ સભ્ય અથવા ગામના અન્ય લોકોને આપવામાં આવે છે. ભારતમાં ઘણા એસએચજી (SHG) લઘુ ધિરાણ આપવા માટે બેંકો સાથે સંકળાયેલા છે. એસએચજી (SHG) એ સભ્ય આધારિત લઘુ ધિરાણ આપતા મધ્યસ્થી જૂથ છે, જે અનઔપચારિક નાણાંકીય બજારકર્તાઓ વચ્ચે ગોઠવાયેલી બાહ્ય તકનિકી સહાયથી પ્રોત્સાહિત હોય છે, જેવા કે નાણાધિરનાર, અધિકારીઓ, અને આરઓએસસીએ (ROSCA), બીજી તરફ અનઔપચારિક કર્તાઓ જેવા કે લઘુ ધિરાણ સંસ્થાઓ અને બેંક તેમજ અન્ય. આ પરિવર્તન ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓ જેવી કે નાણાંકીય બજાર વિકાસની સીવીઈસીએ (CVECA) અને એએસસીએ (ASCA)નો સમાવેશ થાય છે.

સ્વયં સહાયક જૂથ સ્વયં-સહાયક જૂથ (SHG) એ સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિક તરીકે નોંધાયેલુ અથવા નહિં નોંધાયેલ જૂથ છે, જે માનવીય, સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે, જેમાં સ્વૈચ્છિક રીતે લોકો જોડાય છે અને એક સામાન્ય ભંડોળ ફાળવે છે, તેમજ તેમની પરસ્પર મદદની અધારે તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરે છે. તે એવા લોકોનું જૂથ પણ છે, જેઓ જૂથમાંથી એકત્ર કરેલા નાણાંમાંથી લોન મેળવીને તે દ્વારા પોતાના સ્રોતોને નાણાંકીય રીતે સક્ષમ બનાવે છે, અને જૂથના દરેક સભ્યને સ્વયં-રોજગાર આપે છે. પૂરતુ અને સમયસર ધિરાણ અને વળતર મેળવવા માટે જૂથના સભ્યો સંકલિત જ્ઞાન અને સૂક્ષ્મ દબાણનો ઉપયોગ કરે છે, આ વ્યવસ્થા સામૂહિક જરૂરિયાતોને બાકાત રાખે છે અને વ્યક્તિગત ધિરાણ સાથે ખૂબ નજીકથી સંબંધ ધરાવે છે, લઘુ ધિરાણ સંસ્થાઓમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે.[૧] સભ્યોને આપવા માટેની પુસ્તિકાને ખૂબ સરળ રાખવા માટે મોટા ભાગની લોન પર બિન શરતી સમાન વ્યાજના દરો લાગુ કરવામાં આવે છે.

ધ્યેયો[ફેરફાર કરો]

બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ(NGOs)) દ્વારા આવા સ્વયં-સહાયક જૂથોની શરૂઆત કરવામાં આવી હતી, જેઓ સામાન્ય રીતે મોટા પાયે ગરીબી વિરોધી એજન્ડા (કાર્યસૂચિ) ધરાવે છે. મહિલા સશક્તિકરણ, ગરીબ લોકોમાં નેતૃત્વના ગુણ વિકસાવવા, શાળા નોંધણીમાં વધારો કરવો, અને પોષણમાં સુધાર અને વસ્તી નિયંત્રણ જેવા વિવિધ ધ્યેયો સાથે કામ કરતા સ્વયં-સહાયક જૂથોને એક સક્ષમ સાધન તરીકે જોવામાં આવે છે. નાણાંકીય મઘ્યસ્થીકરણ ને સામાન્ય રીતે અન્ય ધ્યેયોના વિકાસ માટેના પ્રવેશદ્વાર તરીકે જોવામાં આવે છે, નહિ કે પ્રાથમિક હેતુ તરીકે.[૨] ગામના નાણાંકીય સ્રોતના વિકાસને તે અવરોધી શકે છે, સાથો સાથ ધિરાણ આપનારા સંઘ દ્વારા તેમના પ્રયાસો મૂડીના સ્રોતોને નિયંત્રિત કરી એકત્ર કરે છે, જે ઐતિહાસિક સમયમાં ધિરાણ સંઘો દ્વારા હસ્તગત હતું.

નાબાર્ડ (NABARD)નો એસએચજી (SHG) બેંક જોડાણ કાર્યક્રમ [ફેરફાર કરો]

ખાસ કરીને ભારતમાં ઘણા સ્વયં-સહાયક જૂથો નાબાર્ડ (NABARD)ની એસએચજી (SHG) બેંક જોડાણ કાર્યક્રમ અંતર્ગત કાર્યરત છે. તેઓ એક વાર બેંક પાસેથી ધિરાણ મેળવે છે, જેમાં તેઓ પોતાની મૂડીનો એક આધાર જમા કરાવે છે, અને આમ નિયમિત ભરપાઈનો પ્રસ્થાપિત સિરસ્તો તૈયાર કરે છે. સીધા બેંક અથવા અન્ય ધિરાણ સંસ્થાઓ સુધી ન પહોંચી શકતા ગરીબ લોકોમાં લઘુ ધિરાણની જરૂરિયાત પૂર્ણ કરીને શક્યત: આ મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કુલ વ્યક્તિગ બચતોને એક જ ડિપોઝિટ તરીકે જમા કરીને, સ્વયં-સહાયક જૂથો બેંક દ્વારા થતા અન્ય ફેરફાર ખર્ચ ઓછા કરે છે, અને તે દ્વારા એક આકર્ષક થાપણ એકઠી કરે છે. બેંકો સ્વયં-સહાયક જૂથો દ્વારા નાના ગ્રામીણ થાપણદારોની સેવા કરતા, તેમને બજાર કિંમતે વ્યાજદર ચૂકવી શકે છે."[૩]

નાબાર્ડ (NABARD)ના અંદાજ મુજબ ભારતના 2.2 મિલિયન એસએચજી (SHG) 33 મિલિયન પ્રિતિનિધિ સભ્યો ધરાવે છે, જેઓ આજની તારીખમાં પણ બેંક સાથેના જોડાણ કાર્યક્રમ અંતર્ગત લોન મેળવે છે. જોકે એસએચજી (SHG) જૂથોએ ઋણ નથી લીધું તેમ કહી શકાય નહીં.[૪]. એસએચજી (SHG) બેંકિંગ જોડાણ કાર્યક્રમ તેની શરૂઆતથી જ કેટલાક રાજ્યોમાં સર્વાધિક જોવા મળે છે, જેમાં દક્ષિણના પ્રાંતોમાં સ્થાનિક પ્રાથમિકતાઓ વિશેષ રૂપે જોઈ શકાય છે- આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટક. નાણાંકીય વર્ષ 2005-2006માં આ રાજ્યોમાં કુલ 57% લોન એસએચજી (SHG) દ્વારા આપવામાં આવી હતી.[૫] .

એસએચજી (SHG) દ્વારા નાણાં વ્યવસ્થાને થતા ફાયદા[ફેરફાર કરો]

જૂથના ભાગ તરીકે આર્થિક રીતે ગરીબ લોકો સક્ષમ બને છે. બીજી તરફ એસએચજી (SHG) ધિરાણ દ્વારા ધીરનાર અને ઋણલેનાર બંને માટે વધારાના ખર્ચમાં ઘટાડો થાય છે. આ વ્યવસ્થામાં ધીરનારે મોટી સંખ્યામાં નાના વ્યક્તિગત બેંક ખાતાઓને બદલે માત્ર એક જ એસએચજી (SHG) ખાતુ સંભાળવાનું રહે છે, એસએચજી (SHG) જૂથના ભાગ તરીકે ઋણલેનારાઓએ કાગળિયા કરવા માટે થતો વાહનવ્યવહાર ખર્ચ (શાખા સુધી આવાનો તેમજ અન્ય સ્થળ સુધી જવાનો) અને ઋણ પાસ કરવા માટે પાડવા પડતા ચાલુ દિવસો બચી જાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "(રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)". મૂળ માંથી 2008-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-18.
  2. સ્ટુર્ટ રુથરફોર્ડ. લઘુ ધિરાણ પૂરુ પાડનાર તરીકે સ્વયં-સહાયક જૂથ: તેઓ કેટલું સારું મેળવી શકે છે? મિમેઓ, 1999, પેજ. 9
  3. રોબર્ટ પેક ક્રિસ્ટન, એન. શ્રિનિવાસન અને રોજર વુર્હેઇસ, નીચા જતા બજાર માટેનું વ્યવસ્થાન: નાણાંકીય સંસ્થાઓનું નિયમન અને સૂક્ષ્મ બચતો તરફનો ઝૂકાવ . માન્ડેલાઇન હિર્કલેન્ડ(ઈડી.) 'ગરીબ લોકો માટેની બચત સેવા: માર્ગદર્શિકા', કુમારિયન પ્રેસ, બ્લુમફિલ્ડ, સીટી, 2005, પેજ. 106.
  4. ઈડીએ અને એપીએમએએસસેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ ઈન ઇન્ડિયા: અ સ્ટડી ઓફ ધી લાઇટ એન્ડ સે઼ડ્સ , કેર, સીઆરસી, યુએસએડ એન્ડ જીટીઝેડ, 2006, પેજ. 11
  5. ફોયુલ્લેટ સી. એન્ડ અગ્સબર્ગ બી. 2007. સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન"ભારતમાં સ્વયં-સહાયક જૂથના બેક જોડાણ કાર્યક્રમનો પ્રસાર", ગ્રામીણ ધિરાણ સંશોધન સંદર્ભેની આંતરરાષ્ટ્રીય કોન્ફરેન્સ: ગતિમાન પરિણામો, એફએઓ (FAO), અને આઈએફએડી (IFAD) દ્વારા આયોજીત, રોમ, માર્ચ 19-21. સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]