સ્વામિનારાયણ ભગવાન
|
|
આ લેખની નિષ્પક્ષતા વિવાદગ્રસ્ત છે. કૃપયા ચર્ચાનાં પાનાં પર સંબંધિત ચર્ચા જુઓ. અને જ્યાં સુધી વિવાદ થાળે પડે નહીં ત્યાં સુધી આ સંદેશ હટાવશો નહીં. |
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] પ્રાગટ્ય
આજથી સવા બસો વર્ષ પહેલાં આ ભારતીય સંસ્કૃતિને તોડનારાં અનેક પરિબળો ઉભાં થયાં હતાં. વહેમ, અજ્ઞાન, અંધશ્રદ્ધા, નિરક્ષરતા અને કુરિવાજોનાં જાળાં બંધાઇ ગયાં હતાં. ચારે તરફ અંધાધૂંધી હતી એ સમયે અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ -૯ને સોમવાર તા. ૩-૪-૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટય થયું. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.
છપૈયાપુરમાં અનેક પ્રકારની બાળલીલાઓ કરી અનેક નરનારીને પોતાની તરફ આકર્ષ્યા. કાલીદત્ત જેવા મોટા-મોટા અસુરોનો નાશ કરી નગરજનોની રક્ષા કરી. નાની વયે ઘર ત્યાગ કરી વનમાં ૭ વર્ષ ૧ માસ ૧૧ દિવસ સુધી આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને તા. ૨૮-૧૦-૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.
સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી તા. ૧૬-૧૧-૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી ત્યારે સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે બે વરદાનો માગ્યાં. (૧) તમારા ભકતને એક વીંછીનું દુ:ખ થવાનું હોય, તેને બદલે એ દુ:ખ રુવાંડે, રુવાંડે અમને થાઓ પણ તમારા ભકતને ન થાઓ. (૨) તમારા ભકતને કર્મમાં રામપાતર આવવાનું લખ્યું હોય તો તે રામપાતર અમને આવે, પણ તમારો ભકત અન્ન, વસ્ત્રે દુ:ખી ન થાય. આવાં પરોપકારી વરદાનો રામાનંદ સ્વામીએ રાજી થઇને આપ્યાં.
[ફેરફાર કરો] સંપ્રદાય સ્થાપન
સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. ત્યારથી સમગ્ર અનુયાયી વર્ગ સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યો અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સારાંય જગમાં પ્રસિદ્ધ થયો.
પછી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં દીવો ત્યાં દાતણ નહીં એ ન્યાયે ચારિત્ર્યશીલ સમાજ ઘડવા માટે સુકાન સંભાળ્યું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઇ મુખ્ય ગણાતા. ધોળા દિવસે વડોદરાનું રાજય તેઓ લૂંટી લેતા. તલવારની ધાર કેવી નીકળી તે જોવા માટે ભરબજારે એકસાથે સો-બસો માણસોને પીંખી નાખતા અને હસતાં-હસતાં કહેતા શું તલવારની ધાર નીકળી છે!
આવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ ભગવાને હાથમાં માળાઓ આપી દીધી. કપાળમાં નયનરમ્ય તિલક-ચાંદલા કરતા કરી દીધા અને સંતોની સાથે ગામડે-ગામડે ફરી અનેક સત્સંગ કરાવતા કરી દીધા અને જનસમાજને ડાકુઓથી બચાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે સ્વામિનારાયણ ભગવાને લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરી. પતિની પાછળ પત્નીને પણ પરાણે ભડભડતી ચિત્તામાં નાળિયેર હોમે તેમ હોમી દેવામાં આવતી આવા ભયાનક અને ક્રૂર કુરિવાજોને સ્વામિનારાયણ ભગવાને જાકારો દીધો.
હિંસામય યજ્ઞોમાં અનેક નિર્દોષ પશુઓને હોમી દેવામાં આવતાં. આવા હિંસાયમ યજ્ઞનો નિષેધ કરી અહિંસામય યજ્ઞો જેતલપુર અને ડભાણ આદિ અનેક સ્થળોએ કરીને જનસમાજને શાસ્ત્રોકત રીતે આવા અહિંસામય યજ્ઞો કરવાની પ્રેરણા આપી. વહેમ, અંધશ્રદ્ધાનાં જાળાં તોડયાં અને દારૂ, માંસ, ભાંગ, તમાકુ, ગાંજૉ આદિ વ્યસનોથી પીડાતા જનોને મુકિત આપી આર્થિક રીતે પણ સુખી કર્યા.
આવી રીતે અનેકાનેક ઉપાયો કરીને સ્વામિનારાયણ ભગવાને ઘોર અંધકારમય વાતાવરણમાં જે સમાજ જીવતો હતો તેને ભારતીય સંસ્ક્રુર્તિ શું છે? આપણા વેદ અને ધર્મશાસ્ત્રો કેવી રીતે જીવન જીવવાનું કહે છે તે સમજાવ્યું અને હળાહળ કળિયુગમાં સત્યુગધર્મની સ્થાપના કરી.
માત્ર ૨૮-૨૯ વર્ષના નાના ગાળામાં આખા ભારતદેશની રોનક બદલાઇ ગઇ. સત્સંસ્કારો વૃદ્ધિને પામે તે અર્થે સ્વામિનારાયણ ભગવાને ૧૨૦૦થી પણ વધુ સંતો બનાવ્યા. ગામે-ગામે ફરી અનેકને સદાચારી જીવન જીવતા કર્યા.
[ફેરફાર કરો] ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના
[ફેરફાર કરો] ઉદ્ધવજીનું પ્રાગટ્ય
ભગવાનનાં અવતાર લેવાની પુર્વે ધર્મ સ્થાપનાની પુર્વ તૈયારી કરવાનાં નિમિત્તે ઉદ્ધવજીનું પ્રાગટ્ય થયું જેઓ આ પૃથ્વિ પર રામાનંદ સ્વામી તરીકે ઓળખાયા.
રામાનંદ સ્વામીનો જન્મ વિ.સં. 1795 (ઇ.સ. 1735) માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થઓ હતો. તેમનું નાનપણનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ માટેની તાલાવેલીને કારણે તેમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. આત્માનંદ મુનિ બ્રહ્મનિષ્ઠ યોગી હતા. તેમની પાસેથી રામાનંદ સ્વામી યોગકળા શીખ્યા અને સમાધિ પણ સાધી. પરંતુ તેમાં બ્રહ્મતેજ દેખાયું.. જ્યારે તેમને સાકાર શ્રીક્રુષ્ણના દર્શનની તાલાવેલી હતી. આથી માત્ર તેજથી સંતોષ ન થયો. તેઓ શ્રીરંગમમાં શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં.
સંપ્રદાય એટલે? કોઇ જ્ઞાતિ-જાતિ વગેરેને ધ્યાનમાં લીધા વગર સમ પ્રદાન કરવું - સમાન રીતે રહેવું અને વહેચવું ! === ભગવાનનાં ધર્મ સ્થાપનના કાર્યનું ક્ષેત્ર નિર્માણ-ઉદ્ધવજી દ્વારા શુદ્ધ સંપ્રદાયની સ્થાપના === આ પછી રામાનંદ સ્વામીએ ક્રુષ્ણ ભક્તિનો ઉપદેશ કરવા માંડ્યો. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યોથી આ નવો ઉપદેશક સહન થયો નહીં. વિખવાદ ટાળવા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યા અને વ્રુંદાવન આવ્યા. અહીં તેમને ભગવાન શ્રીક્રુષ્ણનો સાક્ષાત્કાર થયો અને ભગવાનની આજ્ઞાનુસાર પોતાને મળેલા જ્ઞાન-ભક્તિનાં પ્રચાર માટે તેઓ ફરવા લાગ્યા અને મુમુક્ષુ જનોને શુદ્ધ કૃષ્ણ ઉપાસનાનો માર્ગ બતાવવા લાગ્યાં. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા પણ તેમને વૃંદાવનમાં જ મળ્યા અને તેમની પાસેથી દિક્ષા લઈ તેમના શિષ્ય બન્યા.
રામાનંદ સ્વામી કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરતાં કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવીને સ્થિર થયાં. ભગવાન શ્રી નારાયણ પોતે પ્રગટીને આ પૃથ્વિ પર ધર્મનું સ્થાપન કરશે એમ તેઓ આગાહી કરતા. ભગવાનની શુદ્ધ સંપ્રદાયની સંસ્થાપનાની પૃષ્ઠ ભૂમિ તેઓ તૈયાર કરવા લાગ્યા.
તેમણે વૈષ્ણવ સંપ્રદાયની અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કર્યું. શ્રી રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હોવાથી તેમણે પ્રવર્તાવેલો આ નવો સંપ્રદાય “ઉદ્ધવ સંપ્રદાય” તરીકે ઓળખાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને મળતા સંપ્રદાયની ધૂરા તેમને સોંપી ઉદ્ધવજીએ દેહત્યાગ કર્યો.
[ફેરફાર કરો] ભગવાનના અવતાર ધારણ કરવાની પશ્ચાદભૂમિ
[ફેરફાર કરો] શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણનાં અવતાર વિષેની આગાહી
ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતાર અંગેની આગાહીઓ આપણાં અનેક શાસ્ત્રોમાં કરવામાં આવી છે. જેમકે,
- પદ્મ પુરાણ:
પાખંડ બહુલે લોકે સ્વામિનામ્ના હરિ: સ્વયમ્ |
પાપપંક નિમગ્નં તજ્જગદુદ્વારયિષ્યતિ ||
અર્થ: જ્યારે લોકમાં પાખંડ વધી જશે ત્યારે સ્વયં શ્રી હરિ સ્વામિનારાયણ નામ ધારણ કરીને પાપરૂપ કાદવમાં ખુંચેલા જગતનો ઉદ્ધાર કરશે.
- બ્રહ્માંડ પુરાણ:
દત્તાત્રેય: કૃતયુગે ત્રેતાયાં રઘુનંદન: |
દ્વાપરે વાસુદેવ: સ્યાત્ કલૌ સ્વામિવૃષાત્મજ: ||
અર્થ: સતયુગમાં દત્તાત્રેય ભગવાન, ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન, દ્વાપરયુગમાં વાસુદેવ ભગવાન અને કળિયુગમાં ભગવાન ધર્મના પુત્ર શ્રી સ્વામિનારાયણ તરીકે પ્રગટ થશે.
- વિશ્વસેન સંહિતા:
ભૂમ્યાં કૃતાવતારોયં સ્ર્વાનેતાન જનાનહમ્ |
પ્રાપયિષ્યામિ વૈકુંઠં સહજાનંદ નામત: ||
અર્થ: હું સહજાનંદ નામથી ભૂમિ ઉપર અવતાર ધારણ કરી આ સર્વ લોકોને માયાના સર્વ અવરોધોથી પાર અક્ષરધામને પમાડીશ.
[ફેરફાર કરો] ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કળીયુગમાં ધર્મ સ્થાપન અર્થે અવતાર લેવાનો આપેલો કોલ
એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંધની સાથે યુદ્ધસમય આવતા શ્રી કૃષ્ણે પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતાં, આ રીતે પોતાના પ્રાદુર્ભાવના ધારણની પ્રતિજ્ઞા કરી હતી:
"અન્યો: અપિ ધર્મરક્ષાયૈ દેહ સંભ્રિયતે મયા |
- વિરામાયાપ્યધર્મસ્ય કાલે પ્રભવત: કચિત્ ||"
અર્થ: ધર્મ રક્ષણ માટે અને વૃદ્ધિ પામતા અધર્મનો નાશ કરવા માટે કોઇક સમયમાં હું બીજો અવતાર ધારણ કરીશ. માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામગમન સમયે પોતાના બીજા પ્રાદુર્ભાવના સંબંધમાં ‘સમગ્ર જીવોના કલ્યાણને કરનારૂં મારૂં જ્ઞાન ધારવા કોણ સમર્થ થાય?’ એમ વિચાર કરતા તેવા ગુણવાળા ઉદ્ધવજીને જાણીને, તેમને આચાર્યપદવી આપવાપૂર્વક પોતાની જ્ઞાનરૂપ ધૂરા સોંપી હતી. જેમકે,
“અસ્માલ્લોકાદુપરતે મયિ જ્ઞાનં મદાશ્રયમ્ |
- અર્હત્યુદ્ધવ એવાદ્ધા સંપ્રત્યાત્મવતાં વર: ||
નોદ્ધવો: અણ્વપિ મન્ન્યૂનો યદ્ગુણૈર્નાર્દિત: પ્રભુ: |
- અતો મદ્વયુનં લોકં ગ્રાહયન્નિહ તિષ્ઠતુ ||’’
ઉદ્ધવજીને કહ્યું કે આ અવતારમાં તો અધર્મનો નાશ થઇ શક્યો છે. પણ ધર્મનાં સ્થાપનને અર્થે હું કળીયુગમાં ફરીથી અવતાર લઇશ. તમે મારી પહેલાં અવતાર લઇને ધર્મ સ્થાપનની તૈયારી કરજો. આ ઉદ્ધવજી અવતાર લઇને રામાનંદ સ્વામી તરીકે ઓળખાયા અને શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી.
[ફેરફાર કરો] વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મદેવનાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાની કરેલી વાત
વળી વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કળીયુગમાં થનારા અવતાર વિષે આગાહી કરતા કહે છે કે,
“મયા કૃષ્નેન નિહતા: સાર્જુનન રણેષુયે.|
- પ્રવર્તયીષ્યં ત્યસુરા: તત્ત્વધર્મં યદાક્ષિતૌ ||
ધર્મદેવાત તદાભૂમૌ નરનારાયણાત્મના |
- પ્રવૃતતે અતિ કલૌ બ્રહ્મન ભુત્વાહં સામગોદ્વિજ: ||
મુનિશાપનૃતાં પ્રાપ્તં સર્ષિ જનકમાત્મન:
- તત: અવિતા ગુરુભ્યો: અહં સદ્ધર્મં સ્થાપયન્નજ!”
કૃષ્ણ ભગવાન કહે છે, હે બ્રહ્મન, “ અર્જુનની સાથે મારા વડે યુદ્ધ ભૂમિમાં જે લોકો મરાયા હતા તે અસુરો જ્યારે પૃથ્વી ઉપર અધર્મ ફેલાવશે તથા કળીયુગનો જ્યારે પ્રારંભ થશે ત્યારે હું ધર્મ દેવ થકી અને તેમના પત્ની મૂર્તિ અર્થાત્ ભક્તિદેવી દ્વારા સામવેદી બ્રાહ્મણ કુળમાં પ્રાદુર્ભાવ પામીશ અને દુર્વાસા મુનિના શાપથી મનુષ્યભાવને પામનારા મરીચ્યાદિ મુનિઓ સહિત સર્વની તે અસુરાંશ ગુરુઓ તથા રાજાઓ થકી રક્ષા કરીશ અને સદ્ધર્મની સ્થાપના દ્રઢ કરીશ.” વા મ. અ. ૧૮, શ્લોક.૪૨/૪૩/૪૪
પોતાના આ વચન સત્ય કરવાનો સમય ભારતવર્ષમાં અઢારમી સદીમાં આવ્યો......
ઓગણીસમી સદીનાં પૂર્વાર્ધમાં ભારતવર્ષની ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ અત્યંત દયનીય હતી. પ્રજા સતત યુદ્ધો, લૂંટ, રાજકીય હકૂમતની વારંવાર ફેરબદલી તથા રાજકીય અસ્થિરતાને કારણે પારાવાર મુશ્કેલીઓનો ભોગ બની હતી.
ધાર્મિક ક્ષેત્રે જોઇએ તો ધર્મ બાહ્યાચર અને સંકુચિત વિધિ વિધાનોની સાંકળી નળીમાં પૂરાઇ ગયો હતો. વહેમ અને અંધશ્રદ્ધા આ સદીમાં લોકોની ધાર્મિક વૃત્તિનાં આગળ પડતાં લક્ષણો હતાં. બલી, જાદુમંતર, દોરાધાગા અને મલીન દેવોની ઉપાસના સમાજનાં દરેક વર્ગમાં ઘર કરી ગયાં હતા. ધર્મને નામે અનેક ગેરરતિઓ અને અનૈતિકના પણ પ્રવેશ્યાં હતાં. મંદિરોમાં દેવદાસીઓ અને નાસનારીઓની પ્રથાને કારણે ઘણી જગ્યાએ વ્યભિચાર થતો. હીણપતભરી તાંત્રિક વિધિઓ દ્વારા ધનિક અને શક્તિશાળી વર્ગનાં બધાં સામાજિક-ધાર્મિક ગુનાઓ વ્યાજબી ગણાઇ જતા.
ભારતમાં વિવિધ સંપ્રદયોના સંન્યાસીઓના અનેક પ્રકારો હતા. જેવા કે, યોગી, પરમહંસ, નાગા, અતીત, ખાખી, વગેરે. તેમાનાં કેટલાંક સંગઠનો નશાકારક પીણાં પીતાં તથા માનવબલી પણ ચડાવતા. નાગા બાવાઓ શસ્ત્ર ધારણ કરતા અને પ્રજાને રંજાડતા.
ધર્મમાં હિંસા પ્રવેશી હતી. યજ્ઞોમાં બકરા, આદિક જીવોની હિસા ધર્મિક વિધિનું અનિવાર્ય અંગ ગણાતી. વેદ આદિક શાસ્ત્રોનાં અર્થ અવળા કરીને ધર્મગુરુઓ પાંખંડને પોષતા. ગુજરાતમાં તે સમયે પ્રચલિત ધર્મોમાં શક્તિના વિવિધ સ્વરૂપોની ઉપાસનામાં સાત્વિક પૂજાનું સ્થાન હિંસામય પૂજાએ લીધું હતું. એટ્લું જ નહીં પણ વામમર્ગનું દૂષણ પ્રગટ્યું હતું તેમાં પાંચ મકાર: મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું પ્રતિપાદન થતું હતું.
ટૂંકમાં,અધર્મનો સારી રીતે હ્રાસ થયો હતો અને ચોમેર અધર્મનો વ્યાપ થયો હતો...
[ફેરફાર કરો] ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત:
ધર્મની આવી દૂર્દશાથી વ્યથિત થઇ દિવ્યદેહે પૃથ્વિ પર વિચરતાં ઋષિમુનિઓ પ્રજાને આ દૂર્દશામાંથી મુકાવવાની પ્રાર્થના કરવા બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નરનારાયણ પાસે એકઠાં થયાં અને ત્યાં પ્રભુઇચ્છથી જ ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત આ રીતે બની આવ્યું.......
બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણદેવ મુનિઓ સાથે બિરાજેલા હતા. ત્યાં મરીચિ, શુક, ગર્ગ, ગૌતમ વગેરે અનેક ઋષિઓ ભગવાન નરનારાયણનાં દર્શનાર્થે આવ્યા. નરનારાયણે તેમને ભરતખંડમાં લોકો ધર્મનું પાલન કેવુંક કરે છે તેમ પૂછતાં ઋષિઓએ અધર્મનું જોર વધી ગયું હોવાનું અને ધર્માચરણમાં ચોમેર શિથિલતા પ્રવેશી હોવાનું વર્ણન કર્યું. આ સમયે તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને નારાયણ ઋષિ ભરતખંડમાં વ્યાપેલા અધર્મની વાત કહેવા લાગ્યા. તેમને સાંભળવામાં બધાં એક ધ્યાન થઇ બેઠાં હતાં, તે સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. તેમનાં પ્રત્યે કોઇનું ધ્યાન ન જતાં ક્રોધે ભરાઇ તેમણે શાપ આપ્યો કે “તમો બધાં મનુષ્ય દેહને ધરો અને અસુરજનો તરફથી પીડાને પામો.”
શાપથી ભય પામીને બધાંએ નમ્રતાથી અપરાધની ક્ષમા માગી ત્યારે દુર્વાસાએ કહ્યું કે “મારો શાપ મિથ્યા નહિ થાય પરંતુ હું એટલો અનુગ્રહ કરું છું કે તમે ધર્મ અને ભક્તિ બંને પતિ-પત્નિ રૂપે અવતરશો અને આ ભગવાન નારાયણ ઋષિ તમારા પુત્ર થશે ત્યારે શાપનો તાપ ટળશે.” તે જ રીતે ઉદ્ધવજી સહિત બધા ઋષિઓને પણ કહ્યું કે તમે સૌ જુદા જુદા વર્ણોમાં અવતાર લેશો અને મૂર્તિ ધર્મનાં પુત્રરૂપે પ્રગટ થયેલા શ્રીહરિ પાસે ખેંચાઇ આવશો. તેમના પ્રત્યેના અતિશય સ્નેહથી તમે શાપથી મુકાશો અને દિવ્ય ગતિ પામશો.
આ રીતે શાપના નિમિત્તે મનુષ્ય દેહ ધારણ કરનારાઓમાં ભગવાન શ્રી નારાયણ તે જ સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન, તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ તે જ માતા પ્રેમવતી ને પિતા હરિપ્રસાદ પાંડે અને ઉદ્ધવજી તે જ ગુરુ રામાનંદ સ્વામી.
પ્રાગટ્ય:
ભગવાન શ્રી સ્વામિનારાયણનાં પિતા શ્રી હરિપ્રસાદ પાડેં ઇટારપુરનાં સરવરિયા બ્રાહ્મણ બાળશર્માનાં પુત્ર હતા. તેમના માતા પ્રેમવતી છપૈયાના શ્રી કૃષ્ણ શર્મા ના પુત્રી હતાં. હરિપ્રસાદ અને પ્રેમવતી બંને પરિત્ર અને ધર્મપરાયણ હોવાને કારણે તેઓ ધર્મદેવ અને ભક્તિદેવીના નામથી ઓળખાવા લાગ્યા. તેમનાં પ્રથમ પુત્ર રામપ્રાપનો જન્મ છપૈયામાં થયો, જેઓ ભગવાન શેષનારાયણનો અવતાર હતા.
દુર્વાસા મુનિનાં શાપને લિધે ધર્મ-ભક્તિને અસુરોનો સતત ત્રાસ રહ્યા કરતો. આથી ધર્મદેવ છપૈયાથી સપરિવાર અયોધ્યા આવ્યા. ત્યાં પણ અસુરોનો ત્રાસ નહિ ઓસરતાં ધર્મદેવ અને ભક્તિમાતા યાત્રા અર્થે કાશી અને પ્રયાગ ગયા. પ્રયાગમાં તેમને ઉદ્ધવજીનાં અવતાર રામાનંદ સ્વામીનો મેળાપ થયો. તેમની પાસેથી બંનેએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છપૈયા પાછા આવ્યા. તેમનું સાત્વિક જીવન અને ધર્મનિષ્ઠા જોઇને લોકો તેમને સન્માનતા થયાં.પરંતું ફરી અસુરોએ તેમનું ધન લુંટી હેરાન કર્યા.
અસુરોના ત્રાસ નિવારણાર્થે ધર્મદેવ અને ભક્તિમાતાએ વૃંદાવન જઇ શ્રી કૃષ્ણની આરાધના કરી. શ્રી કૃષ્ણે તેઓને દર્શન આપ્યા અને તેમનાં ઘરે અવતરી અસુરોનું દુ:ખ દૂર કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું વચન આપ્યું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનાં વરદાન સાથે ધર્મદેવ અને ભક્તિમાતા છપૈયામાં રહીને ભક્તિ કરવા લાગ્યા અને મુમુક્ષુ જીવોને ઉદ્ધવ સંપ્રદાયની દિક્ષા આપવા લાગ્યા.
અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1837નાં ચૈત્ર સુદ નોમ (3 ઍપ્રિલ, 1781)નાં રોજ રાત્રિનાં દશ વાગ્યે ભક્તિમાતાનાં પુત્ર રૂપે થયું.
માર્કંડેય મુનિએ ભક્તિ-ધર્મનાં પુત્રનાં હરિ, હરિકૃષ્ણ અને ઘનશ્યામ એમ ત્રણ નામ પાડ્યાં.
છપૈયામાં ભગવાનનાં પ્રાગટ્યથી દૈવી જીવો પ્રસન્ન થયાં. પરંતુ, અસુર જનોએ ભગવાનને નાનપણમાં જ મારી નાંખવા માટે અનેક ઉપદ્રવો શરૂ કર્યા. અસુરોમાં મુખ્ય કાળીદત્ત નામનાં રાક્ષસે બાળ ઘનશ્યામને મારી નાખવા માટે કૃત્યાઓ મોક્લી પરંતુ તેઓ ભગવાનને કંઇ પણ કરી ના શકી અને ભગવાનનાં અનન્ય ભક્ત હનુમાનજીએ બધી કૃત્યાઓને મારી મારીને અધમુઇ કરી નાખી! આ પછી ખુદ કાળીદત્ત ભગવાનને મારી નાખવાનાં ઇરાદા સાથે બાળકનું રૂપ લઇને આવ્યો અને પોતાની માયાવી શક્તિઓનો પ્રયોગ કર્યો. પણ ભગવાને એને પણ પોતાના પ્રતાપથી માર્યો . આ રીતે વારંવાર ઉપદ્રવોથી ત્રાસીને અંતે ધર્મદેવ ફરીથી અયોધ્યામાં આવીને વસ્યા. બાળ ઘનશ્યામ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવન વગેરે પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મ્રુતિ વગેરે ભણ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.
ગૃહત્યાગ અને વનવિચરણ :
માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ માત્ર અગિયાર વર્ષની કુમળી વયે બાળ ઘનશયામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નિકળી પડ્યા. ગૃહ ત્યાગ વખતે તેમની સાથે જે વસ્તુઓ લીધી હતી તેમાં કોપીન તથા તેનું આચ્છદન વસ્ત્ર, મુંજની કટીમેખલા, પલાશ દંડ, મૃગચર્મ, જળગળણું, ભિક્ષાપાત્ર, કમંડલું, શલીગ્રામ અને બાલમુકુંદનો બટવો, જપમાળા તથા સત્ શાસ્ત્રોનો સાર લખેલા ગુટકાનો સમાવેશ થતો હતો
વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠ વર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાં છ માસ સુધી એક પગે ઉભા રહી તપ કર્યું. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ગોપાળ યોગીને પોતાનાં ભગવાન પણાંનો નિશ્ચય કરાવી પોતાનાં ધામની પ્રાપ્તિ કરાવી.
ત્યાંથી નીલકંઠ વર્ણી આદિવરાહ તીર્થમાં આવ્યા. ત્યાંથી વંગ દેશમાં સીરપુર નામનાં શહેરમાં આવ્યા. અહીંના રાજાએ સોએક જેટલા વિવિધ પંથ અને મતના સિદ્ધોને ચાતુર્માસ કરવા માટે આશ્રય આપ્યો હતો. તેમાંના ઘણા દંભી અને બડાઇખોર હતા. નીલકંઠને પણ રાજાએ આશ્રય આપ્યો. પરંતુ વર્ષાઋતુનાં તાંડવમાં બધા સિદ્ધો તપમાંથી ઉઠી ગયાં. માત્ર નીલકંઠ બેઠા રહ્યા. આને કારણે પેલા સિદ્ધોને અસૂયા થઇ અને નીલકંઠને મારી નાખવા તાંત્રિક ઉપાયો કર્યા. પરંતુ સફળ ન થયા તેથી તેઓ પણ નીલકંઠ પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા લાગ્યા.
સીરપુરથી નીલકંઠ સિદ્ધો સાથે કામાક્ષી દેવીના મંદિર પાસેના એક ગામ નજીક આવી પહોંચ્યા. ત્યાં પિબેક નામે કોઇ વામપંથી બ્રાહ્મણ મલિન ઉપાસનામાં રત રહેતો. પોતાની મલિન સિદ્ધિઓથી મદમાં આવીને તેણે નીલકંઠની સાથે આવેલાં બધા સિદ્ધોને પોતાના શિષ્યો બનવા અથવા મૃત્યું માટે તૈયાર રહેવા જણાવ્યું. સિદ્ધો ડરીને તાબે થવા તૈયાર થઇ ગયા ત્યારે નીલકંઠે તેમને વાર્યા અને આવા અતિ ક્ષુદ્ર તથા દુરાચારીથી ભય ન પામવા જણાવ્યું. તેમણે પહેલાં પોતાને શિષ્ય બનાવવા પિબેકને કહ્યું. પિબેકે નીલકંઠ પર કરેલા તમામ અભિચારો નિષ્ફળ ગયા. આખરે નીલકંઠના પ્રભાવથી મલિન ઉપાસના છોડીને પિબેક સાચે માર્ગે વળીયો.
આ પછી નીલકંઠ વર્ણી નવલખા પર્વત પર ગયા અને ત્યાં તપ કરતાં નવ લાખ યોગીને તેટલા જ રૂપ ધરીને એકસાથે મળ્યા. ત્યાંથી બાલવા કુંડ નામે તીર્થમાં જઇને ગંગાસાગર પહોંચ્યા. ત્યાંથી કપિલાશ્રમ થઇ જગન્નાથ પુરી પહોંચ્યા. અહીં લગભગ દસ માસ રહ્યા.
આ મોટું તીર્થસ્થાન હોવાથી અનેક પ્રકારના સાધુઓ, ખાખી બાવાઓ, વેરાગીની જમાતો વગેરે રહેતા હતા. તેમાંના ઘણા માંસ, મદિરા, મૈથુન, મંત્રતંત્ર વગેરેમાં માનનારા તો કેટલાક હથિયારો ધારણ કરનારા જનૂની ટોળા હતાં. તેઓ ધર્મૌનું જે વિકૃત ચિત્ર ઉપસાવતા હતા તેની સામે કિશોર વયના નીલકંઠ પોતાના ત્યાગ અને શીલને કારણે લોકોના આદરને પાત્ર બન્યા. તેથી આ વેરાગીઓને ઇર્ષા થઇ. તેમાંથી તેઓ અંદરો અંદર હથિયારોથી લડ્યા અને આશરે દસ હજાર જેટલા આસુરી વૈરાગીઓ માર્યા ગયા.
જગન્નાથપુરીથી તેઓ દક્ષિણ તરફ ગયા. ગુપ્ત પ્રયાગ, સુંદરરાજ થઇ કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી વળતાં પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ થઇને મલયાચલમાં દર્શન કરીને, કિષ્કિંધા થઇને પંપા સરોવર આવ્યા. ત્યાંથી પંઢરપુર, દંડકારણ્ય થઇને નાસિક પહોંચ્યા. છેલ્લે માંગરોળથી નજીક લોજ ગામે રામાનંદ સ્વામીના સાધુનો મેળાપ થતાં તીર્થાટનની સમાપ્તિ થઇ.
રામાનંદ સ્વામી સાથે મેળાપ:
સંવત 1856ના શ્રાવણ વદ છઠ્ઠના રોજ (તા. 21-8-1799) નીલકંઠ લોજ મુકામે આવ્યા. અહીં રામાનંદ સ્વામીના સાધુઓનું મથક હતું. રામાનંદ સ્વામી તે સમયે કચ્છમાં હતા. મુક્તાનંદ સ્વામીના વડપણ નીચે તેમના કેટલાક શિષ્યો અહીં સદાવ્રત ચલાવતા હતા. તેમાંના એક સુખાનંદ નામના સાધુ લોજ ગામની વાવની કાંઠે ધ્યાનમાં બેઠેલા કિશોર વયનાં નીલકંઠ વર્ણીને મળ્યા અને તેમને પોતાનાં સ્થાનમાં લઇ આવ્યા.
નીલકંઠનાં શીલ, કાંતિ અને સૌમ્ય્ આકૃતિ જોઇને મુક્તાનંદ સ્વામી ઉપરાંત બધા સાધુઓ પ્રભાવિત થયા. તે જ રીતે સાધુઓનો સદાચાર અને વિનય જોઇને નીલકંઠને પણ ગોઠ્યું. અત્યાર સુધી તેઓ કોઇ શહેર કે ગામમાં જઇને રહ્યા ન હતા. અહીં મુક્તાનંદ સ્વામી સાથેની વાતચીતમાં રામાનંદ સ્વામી વિષે સાંભળીને તેમને યાદ આવ્યું કે તેમના માતાપિતાએ રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા હતા. આથી તેમને મળવાની ઉત્કટ ઇચ્છા થઇ આવતાં તેઓ અહીં રોકાયા
રામાનંદ સ્વામીનો જન્મ વિ.સં. 1795 (ઇ.સ. 1735) માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ માટેની તાલાવેલીને કારણે ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્ક્રુત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. આત્માનંદ મુનિ બ્રહ્મનિષ્ઠ યોગી હતા. તેમની પાસેથી રામાનંદ સ્વામી યોગકળા શીખ્યા અને સમાધિ પણ સાધી. પરંતુ તેમાં બ્રહ્મતેજ દેખાયું.. જ્યારે તેમને સાકાર શ્રીકૃષ્ણના દર્શનની તાલાવેલી હતી. આથી માત્ર તેજથી સંતોષ ન થયો.
તેઓ શ્રીરંગમમા શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે સ્વપ્નમા શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં. આ પછી રામાનંદ સ્વામીએ કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરવા માંડ્યો. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યોથી આ નવો ઉપદેશક સહન થયો નહીં. વિખવાદ ટાળવા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યા અને વૃંદાવન આવ્યા. અહીં તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો આ પછી પોતાને મળેલા જ્ઞાન-ભક્તિનાં પ્રચાર માટે તેઓ ફરવા લાગ્યા. જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા તેમના શિષ્ય બન્યા.
રામાનંદ સ્વામી કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરતાં કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવીને સ્થિર થયાં. તેમણે વૈષ્ણવ સંપ્રદાયની અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કર્યું. શ્રી રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હોવાથી તેમણે પ્રવર્તાવેલો આ નવો સંપ્રદાય “ઉદ્ધવ સંપ્રદાય” તરીકે ઓળખાયો.
આત્માનંદ સ્વામીએ દેહત્યાગ કર્યો તે પહેલાં પોતાના શિષ્યોને રામાનંદ સ્વામીને ગુરુ માનવાનું કહ્યું હતું. તેમણે શુદ્ધ, સદાચારી સાધુઓ તથા શિષ્યોનો એક સારો એવો વર્ગ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉભો કર્યો હતો. તેમના પચાસેક સાધુઓ લોજ મુકામે રહેતા હતા. દેશભરમાં પગપાળા પ્રવાસ કરીને વિવિધ સંપ્રદાયો, પંથો વગેરેના સારાનરસાં પરિચયો મેળવનાર નીલકંઠને આ સાધુઓ પ્રત્યે ભાવ થયો તેમ જ તેમના ગુરુ રામાનંદ સ્વામીને મળવાની આતુરતા વધી પડી. મુક્તાનંદજીએ રામાનંદ સ્વામી આવે ત્યાં સુધી તેમને પોતાની સાથે રહેવા જણાવ્યું. તેથી નીલકંઠ લોજમાં રોકાયા.
લોજમાં નીલકંઠ નિર્માનીપણે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા. આશ્રમનાં નાનાં મોટા અનેક કામો જેવાંકે પતરાવળાં માટે ખાખરાનાં પાન લાવી આપવાં, રસોઇ માટે લાકડાં લાવવાં, છાણાં વીણવાં, પાણી ભરી લાવવું, અનાજ સાફ કરવું, વાસણ સાફ કરવાં, અન્નસત્રમાં આવનારને અન્ન આપવું અગેરે કામો નિર્માની બનીને કરતા હતા. વળી કોઇ સાધુ માંદા હોય તો તેને માફક આવે તેવી રસોઇ કરવી, ઔષધ આપવું, સેવા કરવી વગેરે કાર્યોમાં પણ તેમની અભિરૂચી જણાઇ આવતી. તેમનાં આ ગુણોએ મુક્તાનંદ આદિ સાધુઓનાં હ્રદયને જીતી લીધા હતાં.
નીલકંઠ પાસેથી ત્યાં રહેલા સાધુઓ યોગ શીખવા લાગ્યા. નીલકંઠે અહી કેટલાક નોંધપાત્ર ફેરફાર કર્યા. તેમાં બે ઘણા પ્રસિદ્ધ છે.
સાધુ આશ્રમમાં મુક્તાનંદ સ્વામી રોજ કથા કરતા. તેમાં સ્ત્રીઓ તથા પુરુષો સાથે બેસતાં. આ પ્રથામાં ધર્મમાં શિથિલતા પ્રવેશવાની શક્યતા હોઇ નીલકંઠે સ્ત્રી-પુરુષોની અલગ સભા યોજવાનો ચાલ શરુ કર્યો, જે મુક્તાનંદ સ્વામીએ પણ સ્વીકાર્યો. પાછળથી સ્વામિનારાયણ સંપ્રદાયની આ નોંધપાત્ર વિશેષતા બની ગઇ.
આ જ વિચારને અનુસરીને એક બીજો ફેરફાર કરાવ્યો. સાધુઓના આશ્રમની બાજુમાં એક ગૃહસ્થીનું ઘર હતું. તે બે ઘરની દિવાલમાં એક ગોખલા જેવું રાખેલું. જેનાં દ્વારા પડોશની સ્ત્રીઓ સાધુઓને દેવતા આપતી. આ પ્રકારનો સ્ત્રી સંસર્ગ પણ ત્યાગીને શોભે નહી, તેમ તેમને લાગ્યું. તેમણે કહ્યું કે આ દિવાલમાં છિદ્ર નથી પરંતુ ધર્મની મર્યાદામાં છિદ્ર છે માટે એ ગોખલો તેમણે પૂરાવી દીધો.
રામાનંદ સ્વામી બે કે ત્રણ માસમાં આવશે એવી ધારણા મુક્તાનંદ સ્વામીને હતી પરંતુ આઠેક માસ વીતવા છતાં તેઓ લોજમાં ન આવ્યા ત્યારે નીલકંઠની ઉત્કંઠા વધી પડી. તેઓ પોતે ભુજ જવા તૈયાર થયા. પરંતુ મુક્તાનંદ સ્વામીએ સૂચવ્યું કે આટલા કૃશ શરીરે એટલે દૂર સુધી જવા કરતાં એક પત્ર લખીને ભુજ મોકલીએ. તે મુજબ મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનો પરિચય આપતો પત્ર લખ્યો. તેમાં તેમનાં ત્યાગ, સાધુતા, તપ અને રામાનંદ સ્વામીને મળવાની તેમની ઉત્કંઠા જણાવ્યાં. તે સાથે નીલકંઠે પણ “સરજુદાસ” નામે પત્ર લખ્યો. ( સરયુ નદીને કિનારેથી આવ્યા હોવાથી અહીં બધા તેમને સરજુદાસ કહેતા.)
આ બંને પત્રો લઇને મયારામ ભટ્ટને મુક્તાનંદ સ્વામીએ કચ્છ મોકલ્યા. ભુજમાં ગંગારામ મલ્લને ઘેર રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. ત્યાં જઇને મયારામ ભટ્ટે બંને પત્રો આપ્યા. પત્ર વાંચી રામાનંદ સ્વામીએ ઉદગાર કાઢ્યા કે “જેમની હું રાહ જોતો હતો તે આવી પહોંચ્યા છે.” તે વખતે લાલજી સુથાર (પાછળથી નિષ્કુળાનંદ સ્વામી) ત્યાં બેઠા હતા. તેમણે રામાનંદ સ્વામીને પૂછ્યું કે “એ નવા આવનાર, સ્વામી રામદાસ (સંપ્રદાયના એક અગ્રણી સાધુ) જેવા છે?” રામાનંદ સ્વામી કહે, “રામદાસ તો શું? એથીય બહુ મોટા.” ત્યારે લાલજીએ પુછ્યું કે “ મુક્તાનંદ સ્વામી જેવા?” તો સ્વામી કહે, “એથીય બહુ મોટા.” ફરી લાલજીએ પુછ્યું કે “આપ જેવા?” ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે “ અમે પણ એમની આગળ શું? અમારાથી પણ બહુ મોટા.” પાછળથી દિક્ષા લઇને નિષ્કુળાનંદ બન્યા ત્યારે લાલજી સુથારને આ વાતની ખાતરી થઇ અને ત્યારે તેઓ બોલ્યા કે “એ વાત આજે સમજાઇ.”
રામાનંદ સ્વામીએ બંને પત્રોના પ્રત્યુત્તર પાઠવ્યાં અને વૈશાખ મહીનામાં પોતે સોરઠ આવશે તેમ જણાવ્યું. નીલકંઠને જણાવ્યું કે શરીરનું જતન કરવું તથા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું.
નીલકંઠે સ્વામીની આજ્ઞા માથે ચડાવી. આખરે વિ.સં 1856 નાં જેઠ વદ બારસ (તા. 19-06-1800) ને દિવસે પીપલાણામાં રામાનંદ સ્વામી તથા નીલકંઠ વર્ણીનું મિલન થયું અને સંવત 1857 કાર્તિક સુદી એકાદશી(તા. 28-10-1800)ને દિવસે રામાનંદ સ્વામી પાસે મહાદીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ તેમને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો અને સહજાનંદ સ્વામી તથા નારાયણમુનિ એમ બે નામ પાડ્યાં.
સંપ્રદાયની ધુરા સંભાળી:
ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને વિ.સં. 1857 કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા. 28-10-1800) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં. 1858 કાર્તિક સુદી એકાદશી (તા. 16-11-1801) નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું.સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વર માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન માગ્યાં:
- તમારા ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને ભલે રુંવાડે રુંવાડે કોટિગણું થાઓ પણ તે ભક્તને ન થાઓ.
- તમારા ભક્તનાં કર્મમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો પણ તે ભક્ત અન્નવસ્ત્રે દુ: ખી ન થાઓ.
રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને સહજાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા બાદ પોતે એક મહિના બાદ સ્વધામ સિધાવ્યા. (સં 1858 માગશર સુદ તેરસ તા. 17-12-1801)
ધર્મ સંસ્થાપના:
ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની ધુરા પોતાનાં હાથમાં લીધા પછી સનાતન વૈદિક ધર્મનું સ્થાપન કરવા અને અહિંસા આદિક સદાચારની સમાજનાં દરેક વર્ગમાં પુન:પ્રતિષ્ઠા કરવા અનેકવિધ માધ્યમો દ્વારા લોક સંપર્ક સાધ્યો. સૌ પ્રથમ તેમણે લોકોમાં શ્રદ્ધા પ્રગટાવી, સાત્વિક ભક્તિ તરફ અભિમુખ કરવા અને વધુમા વધુ લોકોનું આત્યંતિક શ્રેય થાય એ હેતુથી સમાધિ પ્રકરણ ચલાવ્યું.
સંપ્રદાયના પ્રવર્તનમાં માંગરોળમાં મહારાજે ચલાવેલું સમાધિ પ્રકરણ ખાસ નોંધપાત્ર છે. સમાધિ યોગવિદ્યા શીખનારને યમ, નિયમ, આસન, પ્રાણાયામ પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા એટલાં સોપાનો ક્રમશ: વટાવ્યા પછી સમાધિની સિદ્ધિ મળે. આ સમગ્ર પ્રક્રિયા ઘણી આકરી છે. તેથી સમાધિ સ્થિતિ તો અત્યંત દુર્લભ ગણાય છે. ભગવાન શ્રી હરીએ જેમને યોગમાર્ગનોનો લેશમાત્ર પરીચય ન હોય તેવા લોકોને સમાધિ કરાવી. પોતાનુ “સ્વામિનારાયણ ” નામ જપવાથી સમાધિ, પોતાની સામે જોનારને સમાધિ, પોતાનો અવાજ સાંભળનારને સમાધિ અરે, પોતાનાં પગની મોજડીનો રણકાર સાંભળનારને પણ સમાધિ ! સમાધિમાં લોકોને પોતપોતાના ઈષ્ટદેવ-રામ, કૃષ્ણ, શિવ, દેવી, એટલું જ નહિ પણ જૈનોને તેમના તિર્થંકરનાં અને મુસ્લીમોને તેમનાં પયગંબરનાં દર્શન થતાં! લોકલોકાંતરમાં ગતિ થતી, લોકો પોતાના મૃત સ્વજનોને પરલોકમા મળી શકતા. આમ, પાત્ર-કુપાત્ર અનેક લોકોને સમાધિ કરાવીને ભગવાન શ્રી હરિએ પોતાનાં ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. સંપ્રદાયનાં લોકોનાં સંશય ટાળ્યા અને ટુંક સમયમાં જ વિપુલ જનસમાજમાં પોતાનાં અવતારની છડી પોકારાવી.
લોકોપયોગી કાર્યો દ્વારા લોક જાગૃતિ:
સમાધિ પ્રકરણે સમાજમાં ભગવાન હોવાની પ્રતિતિ કરાવી તો સાથે સાથે મહારાજે (ભગવાન શ્રી સ્વામિનારાયણને કાઠી દરબારો "મહારાજ" કહેતા. પાછળથી શ્રી હરિનું "મહારાજ" નામ સત્સંગમાં ખૂબ જ પ્રચલિત થઇ ગયું) અનેક લોકોપયોગી કાર્યો કરીને લોક સંપર્કમાં આવ્યા. રામાનંદ સ્વામીનાં સમયથી સંપ્રદાયમાં લોકોને સદાવ્રત આપવાની જે પ્રવૃત્તિ ચાલતી હતી તેને મહારાજે પ્રોત્સાહન આપ્યું. માણાવદર, લોજ, માંગરોળ, અગત્રાઈ, ભાડેર, ધોરાજી, જામવાળી, ભૂજ, જામનગર, ફણેણી, સાંકળી, જેતપુર, ગઢડા, લોટડા, કારિયાણી, જેતલપુર, શ્રીનગર વગેરે સ્થળોએ અન્નક્ષેત્રો ચાલતાં કર્યાં. આ સાથે પૂર્તકર્મો જેવાં કે વાવ, કુવા, તળાવો ખોદાવ્યાં ને ગળાવ્યાં.
આવા લોકોપયોગી કાર્યં કરવાની ભગવાન શ્રી હરિની કાર્ય પદ્ધતિ અને આશય બંને નિરાળાં હતા. જ્યાં તળાવ કે વાવ ખોદાતા ત્યાં પોતે અનેરા ઉત્સાહનું વાતાવરણ ખડું કરી દેતાં. હરિભક્ત સ્ત્રીપૂરુષો કીર્તન ગાતાં જાય અને ધૂળ કાઢતાં જાય. હરિભક્તો કામ કરતા કરતા શ્રી હરિનાં કિર્તનો ગાય, ગીતા અને વેદનાં મંત્રોનાં ઉચ્ચારણ થાય, તે સાથે સભા, કથાવાર્તા પણ ચાલે. આમ, કામ એ માત્ર શારિરીક શ્રમ કે સમાજસેવાનું કાર્ય જ ન રહેતાં ભક્તિમય અનુષ્ઠાન બની રહેતું. વળી, વ્યવહાર કાર્ય કરતાં કરતાં મનોવૃત્તિ પ્રભુમય કેમ રાખવી તેની અનાયાસે કેળવણી મળતી. ભગવાન શ્રી હરિએ સમાજોપયોગી કાર્યં કરવાનો આશય એ રહેતો કે લોકો સાચા સાધુઓ અને હરિભક્તોનાં ઉન્નત જીવનથી સમાજનાં વધુમા વધુ લોકો પરિચિત થાય અને જીવનમાં પ્રભુ ભક્તિનાં આદર્શો વણાય.
તેમનું લક્ષ્ય સમાજનાં વિવિધ સ્તરે પડેલાં અબૂધ, અજ્ઞાન, અસ્ચ્છ, અસલામત, વહેમી અને વ્યસનમાં ડૂબેલાં તથા વિવિધ મતો, પંથો, વૈરાગીઓ અને આચાર્યોની વચ્ચે અટવાતાં લોકો., જેમને નહાવાની કે ગાળીને પાણી પીવા જેવી સામાન્ય સ્વચ્છતાની પણ ખબર ન હતી. જેમને મન ધર્મ એટલે દોરા, ધાગા કે મંત્ર તંત્રથી વિશેષ કંઈ ન હતું. તેવા સામાન્ય જનનું અજ્ઞાન દૂર કરી તેને વિશુદ્ધ કરવા માટે તેમણે જે ચીવટ દર્શાવી છે તે અદભૂત છે. એક જ હરિભક્ત (સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીને "હરિભક્ત" કહેવાય છે) પણ જે ગામમાં હોય ત્યાં તેઓ જતા અને તેની વિશુદ્ધિકરણની પ્રક્રિયામાં જો ખામી રહી ગઈ હોય તો તેઓ દૂર કરતાં. સમાજમાં છેક છેવાડે ઊભેલા માણસ સુધી વિશુદ્ધ આચાર વિચારનું મોજું ફેલાવવા તેઓ સતત પરિભ્રમણ કરતા રહેતા.
અહિંસક યજ્ઞો અને ઉત્સવ સમૈયાઓનું પ્રવર્તન:
સંપ્રદાય સંવર્ધનનાં અન્ય એક માધ્યમ રૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક યજ્ઞો, સમૈયાઓ અને ઉત્સવોનું આયોજન કર્યું. સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ભાવાત્મક એકતા સધાય, તેમની નિષ્ઠા દ્રઢ થાય, સદાચારને માર્ગે ચાલવાનું બળ મળે અને ઉત્સવનો આનંદ મળે તે માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે વિવિધ સ્થળોએ વિવિધ પ્રકરનાં સમૈયાઓ અને ઉત્સવો યોજ્યા. જેમાં પ્રબોધિની એકાદશી, વસંતોત્સવ, હુતાશની, રામનવમી, જન્માષ્ટમી, શરદપૂનમ, અન્નકૂટ વગેરે ઉત્સવો મુખ્ય હતા. આવા ઉત્સવો કે સમૈયા દ્વારા વિશાળ પાયા પર જીવનોપયોગી લોક શિક્ષણ આપવાનો તેમનો ઉદ્દેશ રહેતો. આવા સમૈયાઓમાં ગ્રંથો મંગાવી કથા કરાવતા, તેમાંનુ રહસ્ય પોતે સમજાવતા, ધૂન કિર્તન થતાં.
યજ્ઞો હિંદોધર્મનાં મહત્વનાં અંગ સમાન છે. વૈદિક યજ્ઞોમાં જ્યારે પશુહિંસાનો અતિરેક થયો ત્યારે બૌધ ધર્મે અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું. પરંતુ કાળાંતરે ફરી એક એવો વર્ગ ઊભો થયો કે જે યજ્ઞના પ્રસાદ તરીકે માંસ ભક્ષણ કરવામાં બાધ નહીં તેમ માનતો હતો. ઓગણીસમી સદીમાં હિંસાપ્રધાન યજ્ઞો ફરી થવા લાગ્યા હતા. ખાસ કરીને શાક્તોમાંના વામમાર્ગીઓ આવા યજ્ઞો કરતા. મહારાજે આવા યજ્ઞોને નિર્મૂળ કરીને અહિંસાત્મક વૈદિક યજ્ઞોનાં વ્યાપક આયોજનો કરીને સનાતન અહિંસક યજ્ઞની પ્રણાલિકાને પુનર્જીવિત કરી.
વૈદિક સન્યસ્તાશ્રમનો પુનરોદ્ધાર:
ભગવાન શ્રી હરિનાં સમયમાં ત્યાગાશ્રમમાં અનેક દુષણો પ્રવેશ્યા હતા. ધર્મને નામે સન્યાસીઓ અનેક ગેરરતિઓ અને અનૈતિકનાઓને પોષતા હતાં. ભારતમાં વિવિધ સંપ્રદયોના સંન્યાસીઓના અનેક પ્રકારો હતા. જેવા કે, યોગી, પરમહંસ, નાગા, અતીત, ખાખી, વગેરે. તેમાનાં કેટલાંક સંગઠનો નશાકારક પીણાં પીતાં તથા માનવબલી પણ ચડાવતા. નાગા બાવાઓ શસ્ત્ર ધારણ કરતા અને પ્રજાને રંજાડતા. વૈદિક અને ધર્મમય સન્યસ્તાશ્રમનું સ્થાન ભોગી અને અધર્મી ભેખધારીઓએ લઇ લીધું હતું આવા સમયમાં ભગવાન શ્રી હરિએ ઉચ્ચ ચારિત્ર્યવાન શીલવંત સાધુઓની એક ફોજ તૈયાર કરી. આવા સાધુઓ જે તે સમયમાં સારાયે ભારતભરમાં ક્યાંય હતા નહિ.
સંપ્રદાયના પ્રવર્તનમાં ત્યાગી સાધુઓનો ફાળો તો અમૂલ્ય છે. અજ્ઞાન અને અશુદ્ધિમાં ડૂબેલી પ્રજાને સદાચાર ધર્મ તરફ વાળવા માટે મહારાજે જે સાધુ વર્ગ ઊભો કર્યો તે સંપ્રદાયના મુખ્ય આધારસ્તંભ સમાન બની ગયો. હીરો જેમ હીરાથી વીંધાય તેમ જીવનથી જીવન ધડાય, એ દ્રષ્ટિ સમક્ષ રાખીને મહારાજે સામાન્ય પ્રજામાં સંસ્કારના નીર સીંચવા અદ્ ભૂત શિસ્ત અને સંયમ યુક્ત સાધુઓનાં મંડળોને ગુજરાતભરમાં સતત વિચરતા રાખ્યા.
આવું સંતમંડળ તે સમયે આખાયે ભારતભરમાં નહોતું. સાધુઓનાં જુદા જુદા મંડળો સ્થાપીને તેમને કાઠીયાવાડ, કચ્છ અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ફરવા મોકલ્યા. તેમણે સાધુઓને વિવિધ આચાર સંહિતાઓ આપી અને વારંવાર તેમાં ફેરફાર કરી તેમને ઘડ્યા. સાધુઓએ વર્તવાના નિયમોને ‘પ્રકરણ’ કહેતા. બેસવા, જમવા, સુવા, જાગવા, ફરવા વગેરેને લગતા કડક નિયમોના પ્રકરણોથી સાધુઓની આકરી તાવણી થતી. મહારાજ કહેતાં કે, “ પ્રથમ માતા ચરી પાળે ત્યારે બાળક નિરોગી થાય છે. સંતો પોતે વિષયથી નીરસ થાય તો બીજાનો મોહ કાપી શકે.”
આ સાધુઓએ ખેતરે ખેતરે ફરીને, હળ હાંકતા ખેડૂતની સાથે સાથે ચાલીને તેમને સદાચાર ધર્મ પ્રબોધ્યો. સામાન્યજનની નબળાઇઓ દૂર કરવા આટલો દાખડો ભાગ્યે જ કોઇ સંપ્રદાયનાં સાધુઓ દ્વારા કરવામાં આવ્યો હશે. આ રીતે સંપ્રદાય દ્વારા એક વિશુદ્ધિકરણની ચળવળ તેમણે આરંભી ત્યારે અન્ય ધર્મ પંથો કરતા આ સંપ્રદાય તેની ઊચી નીતિમત્તાને કારણે સ્વાભાવિક પ્રતિષ્ઠા પામવા લાગ્યો.
શાસ્ત્રાર્થ દ્વારા સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરાવી:
આપણે ત્યાં એક પરંપરા ચાલી આવે છે કે નવો મત સ્થાપનારે શાસ્ત્રોનાં આધારે તેનું પ્રતિપાદન કરવું પડે. ભગવાન શ્રી હરિએ જ્યારે આ સંપ્રદાયનું પ્રવર્તન શરૂ કર્યું ત્યારે આ ચાલ હતો. અન્ય મતવાદીઓ ખંડન-મંડનન પડકારો ફેંકતા. જો તે ઝીલવામાં ન આવે તો ગેરસમજ ફેલાય. આથી ધર્મ પ્રવત્રનમાં વિદ્વાનો સાથેના શસ્ત્રાર્થને પણ સ્થાન હતું. સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જાતજાતના આક્ષેપો થતા હતા જેમકે તે વેદ વિરૂદ્ધ છે. તેના સ્થાપક શૂદ્ર છે, તેમણે કાલ્પનિક ધર્મ પ્રવર્તાવ્યો છે. વગેરે.
આવા પ્રચારનો ઉત્તર યોગ્ય સમયે પ્રસંગ આવ્યે અપાતો. ઘણી વખત શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંકનાર પોતે જ ભગવન શ્રી હરિનાં શિષ્ય બની જતાં. તેમાં માંડવીના ખૈયા ખત્રીનો પ્રસંગ સંપ્રદાયમાં ઘણો પ્રસિદ્ધ છે. ખૈયો ખત્રી 500 શિષ્યો ધરાવતો વિદ્વાન વેદાંતી હતો. તેણે શાસ્ત્રાર્થ દ્વારા આ સંપ્રદાય પાખંડ છે તેમ સાબિત કરવનું નક્કી કર્યું. પરંતુ તેના બધા પ્રશ્નોના મહારાજે સચોટ જવાબ આપતાં તે પોતે જ તેમનો શિષ્ય બની ગયો અને તેના કેટલાક શિષ્યો પણ સંપ્રદાયમાં જોડાયા.
સંપ્રદાયનાં ઇતિહાસમાં વડોદરામા થયેલો શાસ્ત્રાર્થ પણ એક નોંધપાત્ર તવારીખનું સ્થાન પામ્યો છે. વડોદરના કેટલાક રાજદ્વારી આગેવાનોને આ સંપ્રદાય તરફ પૂર્વગ્રહ હતો જેમાં રામચંદ્ર શાસ્ત્રી, શોભારામ શસ્ત્રી તથા વડોદરાના દીવાન વિઠ્ઠલજી મુખ્ય હતા. તેઓ શાસ્ત્રાર્થ દ્વારા સંપ્રદાયને ઊતારી પાડવાનું વિચારતા હતા. પુંડરિકનાથના મંદિરમાં સભાનું આયોજન થયું. અને ભાઉ પુરાણી મધ્યસ્થી થયા. આ શસ્ત્રાર્થમાં ભાગ લેવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. સભામાં વેદાંતાચાર્ય દ્વારા જે પ્રશ્નો કરાયા તે બધાંની સ્પષ્ટતા મુક્તાનંદ સ્વામીએ વિશદ રીતે કરી. આખરે ભાઉ પુરાણીએ સ્વામિનારાયણ સંપ્રદાય શસ્ત્ર સંમત છે અને મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થમાં વિજયી બન્યા છે તેમ જાહેર કર્યું. આ સભાથી ગાયકવાડ સયાજીરાવ બીજા પ્રભાવિત થયા અને ભગવાન શ્રી સ્વામિનારાયણને વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું.
આમ, શસ્ત્રાર્થ દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતોને સ્થાપિત કરવામાં આવ્યા હતા. શાસ્ત્રાર્થ બે રીતે થતાં. એક સંપ્રદાયની અંદર શિષ્યો સાથે અન્યોન્ય અને બીજું અન્ય ધર્મીઓ સાથે. ભગવાન શ્રી હરિ પોતાના અનુયાયીઓને પ્રશ્નો પૂછવા તથા તેના ઉત્તર કરવા એ પ્રકારની પ્રવૃત્તિ નિરંતર કરતા રહેતા. અહિંસા ધર્મનું સ્થાપન કરવા તથા વેદોમાં હિંસાનું પ્રતિપાદન નથી તેવું પ્રસ્થાપિત કરવા તેમણે હિંસક યજ્ઞો કરનારાઓ સાથે ઘણી વખત શાસ્ત્રાર્થ કર્યો હતો. વળી, અન્ય ધર્મીઓ આ સંપ્રદાયને ઉતારી પાડવા શાસ્ત્રાર્થ યોજતા તેમાં હાજર રહી સંપ્રદાયના સિદ્ધાંતોનું સમર્થન કરવામાં આવતું. આ રીતે અનેક પરચા દેખાડીને મહારાજે સ્વધામ પધારવાનું નક્કી કર્યું અને જેઠ સુદ દશમના દિવસે સંવત ૧૮૮૬ના રોજ ધામમાં ગમન કર્યું.
[ફેરફાર કરો] સંપ્રદાયનો મત – વિશિષ્ટાદ્વૈત
હિંદુધર્મના સંપ્રદાયોમાં દરેક સંપ્રદાયને પોતાની તાત્વિક-સૈદ્ધાંતિક પીઠિકા હોય છે જેને મત પણ કહે છે. જીવ, માયા અને પરમેશ્વર વચ્ચેનાં પરસ્પર સંબંધનું સ્વરૂપ કેવું છે તે અંગેની માન્યતા એટલે મત. આ સૈદ્ધાંતિક માન્યતા કે મતની ભિન્નતાને લીધે જ વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સિદ્ધાંત તરીકે શ્રી રામાનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈત મતનાં સિદ્ધાંતનું અનુમોદન કર્યું. પરંતુ રામાનુજાચાર્યના સિદ્ધાંતને તેમણે એક નવા ઓપ સાથે સ્વીકાર્યો છે જેને કારણે તેમના સિદ્ધાંતમાં તેમના દર્શનની એક આગવી છાંટ ઉભી થાય છે.
વિવિધ વિષયો પરત્વે આ સિદ્ધાંતનાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
- 1) જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ અને પરસ્પર સંબંધ અંગે
- 2) ભગવાનના સ્વરૂપ અંગે
- 3) ભગવાનનાં અવતાર ધારણ કરવા અંગે
- 4) કર્મ ફળના સિદ્ધાંત અંગે
- 5) મોક્ષઆત્યંતિકકલ્યાણઅંગે
1) જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ અને પરસ્પર સંબંધ અંગે
જીવ: જીવ છે તે હ્રદયને વિષે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ, ચૈતન્યરૂપ ને જ્ઞાતા છે ને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. તે અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઈત્યાદિ લક્ષણો ધરાવે છે.
જીવ છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે દુ:ખીયો થકો માયામાં પોતાનાં કર્મોના પરીપાક રૂપે બંધાયેલા કારણ શરીરે સહિત લીન થાય છે. પછી ફરી સૃષ્ટી નિર્માણની પ્રક્રિયા વખતે માયા પૃથ્વીનો ભાગ ભજવે છે, જીવ પૃથ્વીમાં રહેલાં બીજ જેવા છે અને ઇશ્વરનું સ્થાન મેઘ સમાન છે. પરમેશ્વરની ઇચ્છાથી ઇશ્વરનો માયા સાથે સંબંધ થાય છે ત્યારે જેમ મેઘના જળથી પૃથ્વીમાં રહેલા બીજ ઊગી નીકળે છે તેમ માયામાંથી અનાદિ કાળનાં જીવનો ઉદય થઇ આવે છે અને પોતપોતાનાં કારણ શરીરાનુસાર વિભિન્ન યોનીનાં દેહને ધારે છે.
સૃષ્ટી કાળ દરમિયાન જીવ નવા નવા કર્મો કરતો જાય છે અને કર્મ ફળના નિયમાનુસાર તેનાં ફળને ભોગવતો જાય છે. આ કર્મો અને ફળભૂક્તિનો અંત ત્યારે જ આવે છે જ્યારે જીવ પરમેશ્વરની શરણાગતિ સ્વીકારે છે અને પોતાના સ્વરૂપને ઓળખે છે. પરમેશ્વરની ઉપાસનાથી જ્યારે જીવ માયાનાં બંધનોથી મુકાય છે ત્યારે ભગવાનનાં ધામને પામે છે અને દિવ્યદેહે સદાને માટે પરમેશ્વરની સેવામા રહે છે જેને મોક્ષ, અથવા આત્યંતિક કલ્યાણ કહે છે. જીવ પરમેશ્વર સાથે જોડાઈ શકે અને પોતાનું આત્યંતિક શ્રેય સાધિ શકે એ માટે જ પરમેશ્વર મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વીને વિષે આવે છે.
ઈશ્વર: ઈશ્વરનું સ્વરૂપ ઘણી રીતે જીવને મળતું આવે છે. જીવનો દેહ 24 તત્વોનો બનેલો હોય છે. ઈશ્વરનો દેહ પણ આ તત્વોથી જ બનેલો હોય છે પરંતુ ઈશ્વરનો દેહ વિરાટ છે એટલે તેનો વ્યાપ ઘણો મોટો છે. જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે અને બીજાને ધારવાને સમર્થ નથી જ્યારે ઈશ્વરનાં દેહમાં જે પંચભૂત છે તે મહાભૂત તરીકે ઓળખાય છે અને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યા છે. એટલે જીવ અલ્પજ્ઞ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે.
આમ, ઈશ્વરનો વ્યાપ દરેક બાબતમાં જીવ કરતાં વિસ્તૃત છે. બાકી ઈશ્વર પણ જીવની જેમ બદ્ધ છે અને ઈશ્વરની કાર્યશક્તિ ત્યારે જ પ્રકાશે છે જ્યારે ભગવાન પુરુષરૂપે તેમાં પ્રવેશે છે. વળી, જીવની જેમ ઈશ્વરને પણ માયાનો સંબંધ હોય છે પણ પ્રલય સમયે ઈશ્વર માયાના ભોગને ભોગવીને માયાનો ત્યાગ કરે છે. જ્યારે જીવ માયાને વિષે લીન થાય છે.
માયા: માયા અથવા પ્રકૃતિ એ પુરુષોત્તમ નારાયણની શક્તિ છે અને સંપૂર્ણ પણે ભગવાન પર અવલંબે છે. માયા ત્રિગુણાત્મક છે, અંધકારરૂપ છે અને આ જીવને પોતાના દેહ અને દેહનાં સંબંધીને વિષે અહં મમત્વ કરાવનારી છે. સમગ્ર તત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે. જેમ શરીરની ક્રિયા આત્મા વડે જ અંકુશિત અને શક્ય બને છે તેમ માયા અથવા પ્રકૃતિ ઈશ્વર દ્વારા જ અંકુશિત ને શક્ય બને છે.
બ્રહ્મ: બ્રહ્મ માટે બીજા પણ શબ્દો યોજાય છે જેમકે, અક્ષરબ્રહ્મ, ચિદાકાશ, બ્રહ્મમહોલ, અક્ષરધામ, વગેરે. ભગવાને જે પાંચ અનાદિ તત્વો ગણાવ્યા છે તેમાં એક પોતાને (પરબ્રહ્મને) બાદ કરતા બ્રહ્મ સર્વોચ્ચ કક્ષાએ આવે છે. છતાં અન્ય તત્વોની જેમ અક્ષરબ્રહ્મનાં પણ પ્રેરક અને નિયંતા તો પરબ્રહ્મ પોતે જ છે.
અક્ષરબ્રહ્મ તે અનાદિ મુક્ત છે એટલે કે તે ક્યારેય માયામાં બંધાયા નથી. પણ જીવ જ્યારે માયાનાં બંધનોથી મુકાઇને મોક્ષને પામે છે ત્યારે તેને મુક્ત કહેવાય છે. આવા અનંત મુક્તો હોય છે. આમ, જીવ, ઈશ્વર અને અક્ષરબ્રહ્મ વચ્ચે જે તફાવત છે તે માયાનાં સંબંધની તારતમ્યતાએ કરીને છે.
અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, જેને ચિદાકાશ પણ કહેવાય છે. તે પુરુષોત્તમ નારાયણને રહેવાનું તેજોમય ધામ છે. બીજું સ્વરુપ સદાય પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. આમ, પરબ્રહ્મ સાથેનો તેમનો સંબંધ શાશ્વત છે. જીવ પણ પરમેશ્વરની ઉપાસનાથી અક્ષરના સાધર્મ્યપણાને પામી શકે છે. આ રીતે અક્ષરબ્રહ્મ મુમુક્ષુ આત્મા માટે મુક્ત અવસ્થાનું એક આદર્શ ઉદાહરણ પુરું પાડે છે.
પરમાત્માની બ્રહ્માંડ સંબંધી પ્રવૃત્તિમાં અક્ષરબ્રહ્મ માધ્યમ તરીકે ભાગ ભજવે છે. સૃષ્ટિનાં ઘટક પરિબળો પુરુષ અને પ્રકૃતિ પોતાની સંકોચ અને વિકાસ અવસ્થા અક્ષરબ્રહ્મમાં જ પામે છે. આમ, પરમેશ્વરનું સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને પ્રલયનું કાર્ય આ અક્ષરબ્રહ્મનાં માધ્યમ દ્વારા થાય છે.
આવા અક્ષરધામમાં જઇને સાકાર ભગવાનનાં સાનિધ્યનો નિત્ય આનંદ મેળવવો તે મુમુક્ષુનું સર્વોચ્ચ લક્ષ્ય છે.
પરબ્રહ્મ અથવા પુરુષોત્તમ નારાયણ : પાંચ અનાદિ ભેદમાં સર્વોપરિ ને બીજા ચાર તત્વોનાં નિયંતા તે પરબ્રહ્મ અથવા ભગવાન પોતે છે. સમગ્ર સૃષ્ટિ અને જે કંઇ અસ્તિત્વ ધરાવે છે તે બધું જ ભગવાન પર આધારિત છે. પરંતુ ભગવાન પોતે સંપૂર્ણ અને સ્વતંત્ર છે. તે અનાદિ અને સર્વથી સમર્થ છે. તે સર્વના પ્રેરક, નિયંતા અને સકળ ઐશ્વર્ય સંપન્ન છે.
અન્ય અક્ષરબ્રહ્માદિક તત્વોની મહત્તા અને દીપ્તિ પણ ભગવાનને આભારી છે. આમ, પરબ્રહ્મ કે ભગવાન અદ્વિતીય અને અનન્ય છે. ભગવાન શ્રી હરિએ શ્રુતિ વાક્ય “એકમેવા દ્વિતીયં બ્રહ્મ” ટાંકીને તેનો અર્થ દર્શાવ્યો છે કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે.
ભગવાન જીવપ્રાણીમાત્રમાં અંતર્યામીરૂપે રહ્યા છે અને સર્વ જીવને કર્મ ફળના આપનારા છે. વળી, જગતની ઉત્પત્તિ, પાલન અને પ્રલય સંપૂર્ણ પણે તેમના વશમાં છે. તેઓ સર્વના કારણ, સર્વના નિયંતા અને સર્વના અંતર્યામી છે.
2) ભગવાનના સ્વરૂપ અંગે:
બહુ દ્રઢતાપૂર્વક ભગવાન શ્રી સ્વામિનારાયણે પરમેશ્વરનાં સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ માયિક કર- ચરણાદિક રહિત અને દિવ્ય કર-ચરણાદિકે સહિત સદા સાકાર મનુષ્યાકૃતિએ પોતાના ધામમાં વિરાજમાન છે. એ સાકાર ભગવાનથી જ સાકાર સૃષ્ટિની રચના થાય છે.
પુરૂષોત્તમ નારાયણ પોતાની અંતર્યામી શક્તિરૂપે જીવપ્રાણીમાત્રમાં વ્યાપક છે. આમ, નિર્ગુણ સ્વરૂપે પુરૂષોત્તમ નારાયણ સર્વનાં આત્મારૂપે રહ્યા છે અને સગુણપણે આ સૃષ્ટિ આદિ કાર્યના કર્તાહર્તા છે. આમ, ભગવાનનુ સ્વરૂપ સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. આ બંને રૂપને ધરનાર ભગવાનના મૂળ રૂપ અંગેની સ્પષ્ટતા કરતા એકવાર સ્વયં તેઓ કહે છે કે “પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઇક અલૌકિક ઐશ્વર્ય છે.”
આ રીતે ભગવાન શ્રી હરિએ ભગવાનના મનુષ્યાકૃતિ રૂપે રહેલા સાકાર સ્વરૂપનુ અત્યંત દ્રઢતા પૂર્વક પ્રતિપાદન કર્યું છે.
3) ભગવાનનાં અવતાર ધારણ કરવા અંગે
“ભગવાનમાં અતિશય પ્રીતિવાળા ભક્તોની ભક્તિને આધીન થઇને, તેમને સુખ દેવા, જેવી ભક્તની ઇચ્છા હોય તેવું ભગવાન રૂપ ધારણ કરે છે અને ભક્તનાં મનોરથ પૂર્ણ કરે છે."
આ સંપ્રદાય પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણના પૃથ્વી પર અવતાર ધારણ કરવાની ઘટનાનો સ્વીકાર કરે છે. ભગવાનનો અવતાર ધારણ કરવાનો હેતુ અનંત જીવનું કલ્યાણ કરવાનો છે. પરમેશ્વરની જીવ પર આ અહૈતુકી કૃપા છે. જીવ સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે તેથી ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી બને છે. પોતાનું સામર્થ્ય છૂપાવીને ભક્ત સાથે પુત્ર, સખા કે મિત્રભાવે વર્તે છે. આમ, પ્રેમી ભક્તના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધરવા માટેનું મુખ્ય પ્રયોજન છે અને તે સાથે અનંત જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે.
અવતરણ એ ભગવાનની અપાર કરૂણાની સાબિતી છે કેમકે ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્યેયુક્ત અને દિવ્ય છે, જ્યારે જીવ મૂઢ છે અને માયિક ઈંદ્રિયોએ યુક્ત છે. માયિક સાધનોથી જીવ ભગવાનનાં દિવ્ય સ્વરૂપને જાણી શકે નહી. વળી, જીવનું કલ્યાણ ત્યારે જ થાય કે જ્યારે ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણે. આ ત્યારે જ શક્ય બને જ્યારે ભગવાન પોતે જીવની માયિક પંચ ઇંદ્રિયો વડે જાણી શકાય તેવા સુલભ બને. આમ, ભગવાનના સીધા સમાગમથી અનેક જીવો મુક્તિ પામી શકે તે માટે ભગવાન પોતે અવતાર ધારણ કરીને જીવ જેવા જ થઇને રહે છે અને તેને પોતાનું સ્વરૂપ ઓળખાવીને તેનાં આત્યંતિક કલ્યાણનો માર્ગ ખોલી આપે છે.
4) કર્મ ફળના સિદ્ધાંત અંગે
ભગવાન સર્વ જીવોમાં અંતર્યામીરૂપે રહેલા છે અને સર્વ જીવોને કર્મ ફળના આપનારા છે. જીવે કરેલા કર્મોના ફળ ભોગવાવવા ભગવાન જ જીવને જાગૃત, સ્વપ્ન અને સૂષુપ્તિ અવસ્થા સર્જી આપે છે. જીવ પોતાને પ્રયત્ને ક્યારેય કર્મ અને ફળભૂક્તિના ચક્કરમાંથી મુક્ત થઇ શકે નહી. કર્મ બંધનોથી મુક્તિનો એકમાત્ર ઉપાય પરમેશ્વરની કૃપા કે પરમેશ્વરની શરણાગતિ છે.
આમ. ભગવાન શ્રી હરિએ પ્રબોધેલો કર્મનો સિદ્ધાંત નિરાશાજનક નથી. કર્મ ભોગવવાની સાથે જીવને ભગવાનની કૃપાનો બહુ મોટો સધિયારો રહે છે. જીવને –તેને ક્યા માર્ગે જવું-કલ્યાણના કે સાંસારિક બંધનોના-તે પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. જો તે કલ્યાણને માર્ગે જવા ઈચ્છે અને પરમેશ્વરની ઉપાસના કરે તો તે ભગવાનની કૃપાનો પાત્ર બને છે અને કર્મ બંધનોથી મુકાઇને મોક્ષ પામે છે.
5) મોક્ષ-આત્યંતિક કલ્યાણ અંગે
બ્રહ્મરૂપ થઇને પરબ્રહ્મની સેવા કરવી તેને ભગવાન શ્રી હરિએ મુક્તિ-મોક્ષ કે આત્યંતિક કલ્યાણ કહ્યું છે. માયિક બંધનોથી મુકાઇને જીવ જ્યારે દેહ મુકે છે ત્યારે ભગવાનનાં સાધર્મ્યપણાને પામીને પ્રેમ સહિત નિરંતર ભગવાનની સેવામાં રહે છે. આમ, ભગવાન અને મુક્ત બંનેનું અલગ અસ્તિત્વ છેક સુધી જળવાઇ રહે છે પણ ભગવાનને વિષે અતિશય પ્રીતિને કારણે ભક્ત પોતાના અલગ અસ્તિત્વ વિષે સજાણ હોતો નથી.
આ માટેનું ઉદાહરણ આપતા ભગવાન કહે છે કે જેમ અતિશય લોભીનો ધનમાં પ્રવેશ થાય છે ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, તેવી રીતે જેનો જીવ ભગવાન સંગાથે અતિશય સ્નેહથી જોડાયેલો હોય તેનો ભગવાનમાં પ્રવેશ થાય છે. આ પ્રવેશ જળમાં જળ મળી જાય તેવો કે અગ્નિમાં અગ્નિ મળી જાય તેવો નથી, પરંતુ પોતાના ઈષ્ટદેવ સિવાય અન્ય કોઇ પદાર્થનું ભાન રહે જ નહી ને અન્ય કોઇ પદાર્થનુંમાં હેત ઉપજે જ નહી ને તેની જ રટના લાગી રહે તે પ્રકારનો છે. ભક્ત જેમ જેમ ભગવાનનું વધુ સામર્થ્ય પામે છે તેમ તેમ ભગવાનનો વધુ ને વધુ મહિમા જાણતો જાય છે ને તેમ તેમ તેનો ભગવાનમાં સ્નેહ વધતો જાય છે, તેથી ભગવાન સાથેનો તેનો સ્વામી-સેવકપણાનો ભાવ અતિ દ્ર્ઢ થતો જાય છે.
મોક્ષ કે આત્યંતિક કલ્યાણની સ્થિતિમાં મુક્ત જીવ અને પરમેશ્વરના સંબંધના સ્વરૂપ અંગેનો આ પ્રકારનો ખ્યાલ વિશિષ્ટાદ્વૈત મતનું હાર્દ છે.
[ફેરફાર કરો] આચાર સંહિતા
સાધુનાં પંચવર્તમાન
સંપ્રદાયનાં નિવૃત્તિ ધર્મનાં આદર્શ પ્રતિક સંપ્રદાયનાં સાધુઓ છે. જ્યારે જુદાજુદા ધર્મો-પંથોમાં ત્યાગાશ્રમ દૂષિત બન્યો હતો ત્યારે પોતાના ત્યાગીઓને આકરાં નિયમો તત્કાલીન યુગમાં ત્યાગાશ્રમને એક નવું પરિમાણ ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યું. આ સંપ્રદાયના સાધુઓ તેમનાં ઉજ્જવળ ચારિત્ર્યને કારણે જંગમ તીર્થ જેવાં બન્યા હતા. આ સંપ્રદાયમાં ત્યાગીઓના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બાહ્મણ હોય અને ત્યાગી બને તે બ્રહ્મચારી ગણાય છે. તેમના અને સાધુઓને પાળવાના નિયમો લગભગ એકસરખા છે. માત્ર બ્રહ્મચારી દેવસેવા કરે અને નીચેનું વસ્ત્ર સફેદ તથા ઉપરનું વસ્ત્ર ભગવું પહેરે તેવી પ્રથા છે. સાધુઓ ભગવા વસ્ત્ર પહેરે છે. પાર્ષદો સફેદ વસ્ત્રો પહેરે છે.
ત્યાગીઓ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે વિશેષ પાંચ વર્તમાન પ્રવર્તાવ્યાં છે. તે છે: નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ અને નિર્માન.
1) નિષ્કામી વર્તમાન:- નિષ્કામી વર્તમાન એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીસંગનો ત્યાગ. સ્ત્રી સંબંધી આ આજ્ઞાઓ આજનાં સુધારાવાદીઓને અતિરેક ભરેલી લાગે તે શક્ય છે. પરંતુ આવી આજ્ઞાઓ પાછળ સાધુઓના નિષ્કામ વ્રતને દ્રઢ બનાવવા ઉપરાંત બીજી બે બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી છે. ત્યાગાશ્રમમાં આવ્યા પછી વ્યક્તિએ સતત જાગ્રુત ન હોય તો સમાજમાં ધર્મનાં ઓઠાં હેઠળ અનેક દૂષણો વ્યાપી શકે છે. બીજું, ત્યાગી સાધુઓએ સંપ્રદાયનાં સિદ્ધાંતોનાં પ્રસાર-પ્રચાર અર્થે સંત્સંગમાં અનેકવિધ પ્રવુત્તિઓમાં જોડાવું પડે છે. સાધુઓ આવી પ્રવ્રુત્તિઓમાં જોડાય એટલે તેમણે અનેક સ્ત્રી-પુરૂષોના સંપર્કમાં આવવાનું બને અને તેમ થનાં સ્ખલનનો ભય ઉભો થાય. આવું ન બને અને છતાં સાધુઓ લોક-કલ્યાણની પ્રવ્રુત્તિમાં રત રહે તે બંને બાબતોને સાંકળવા માટે મહારાજે સ્ત્રી સંબંધી આવી આજ્ઞાઓનું બંધારણ બનાવેલું છે. કેમ કે માત્ર સ્ત્રીઓનો ત્યાગ- એને એક્ને જ આદર્શ માન્યો હોત તો તો પોતના ત્યાગીઓને વનમાં કે નિર્જન સ્થળમાં રહેવાની એક જ આજ્ઞા આપી હોત પણ એમાં તો તેમણે કરવા ધારેલી લોકકલ્યાણની પ્રવ્રુત્તિ અટકી જાત. ભગવાન શ્રી સ્વામિનારાયણે નિષ્કામપણાને એવું સાધન ગણાવ્યું છે કે એ એક આવે તો અન્ય સાધનો પણ આવે.
2) નિર્લોભી વર્તમાન: સાધુઓએ ક્યારેય દ્રવ્ય્નો સંગ્રહ પોતે કરવો નહીં તેમ જ બીજા પાસે પણ ન કરાવવો. કોઇની થાપણ પણ ન રાખવી. મૂલ્યવાન-રંગબેરંગી વસ્ત્રો-શાલ દુશાલા લોઇએ આપ્યાં હોય તો પણ પહેરવાં કે ઓઢવા નહિ વગેરે શિક્ષાપત્રીની આજ્ઞાઓ સાધુઓએ પાળવાના નિર્લોભી વર્તમાનને ઇંગિત કરે છે. તેથી જ આ સંપ્રદાયના સાધુઓને ધન-સ્ત્રીનાં ત્યાગીની પ્રતિષ્ઠા મળી છે. લોભ માણસને કલ્યાણને માર્ગેથી પાડી દે છે તેથી ત્યાગીઓએ તે જોખમથી દૂર રહેવા નિયમપાલનમાં સજાગપણે રહેવાનું હોય છે. નિર્લોભી વ્ર્તમાનમાં અપરિગ્રહ વ્રતનો સમાવેશ થઇ જાય છે. સાધુઓએ માત્ર દેહનિર્વાહ પૂરતાં જ વસ્ત્રો ઉપકરણો રાખવાનાં હોય છે.
3) નિ:સ્વાદી વર્તમાન:- સર્વ ઇંદ્રિઓને ક્ષોભ પમાડનાર રસાસ્વાદ ગણાય છે. આથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણે બધી ઇંદ્રિઓમાં રસના ઇંદ્રિયને વિશેષપણે જીતવી એવો આદેશ આપ્યો છે. રસને જીતવાથે અન્ય ઇંદ્રિયો જીતવાનું સુગમ બનતું હોવથી ત્યાગીએ આહાર નિયમમાં રાખવો જરૂરી ગણાય છે. તે હેતુથે સાધુઓએ ઝોળીમાં ભિક્ષા માગી લાવીને કાષ્ઠનાં એક પાત્રમાં બધું ભેળું કરી, તેમાં પાણી મેળવીને તે આહાર એક જ વખત લેવાનો હોય છે. વળી, સાધુઓએ તાંબુલ, અફીણ, તમાકુ વગેરે કેફી ચીજોનો ત્યાગ કરવાનો પણ આદેશ મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યો છે.
4) નિ:સ્નેહી વર્તમાન: ત્યાગાશ્રમની દિક્ષા લેનાર સાધુએ કોઇ પણ જીવ સાથે મમત્વરૂપ સ્નેહથી બંધાવું ન જોઇએ. કામ, લોભ, ક્રોધ, ઇર્ષા અગેરે દોષો સ્નેહમાંથી ઉદભવે છે. તેથી ત્યાગીઓએ સ્નેહને શત્રુ સમજવો જોઇએ. આ દોષથી દૂર રહેવા ત્યાગીઓએ ગર્ભાધન, એકાદશાહ્મ દ્વાદશાહ વગેરે નિમિત્તે જમવું નશીં. તેમ જ સાધુએ કોઇનું દૂતપણું કે ચાડિયાપણું ન કરવું, કોઇના ચારચક્ષુ ન થવું; દેહને વિષે અહં બુદ્ધિ ન કરવી; સ્વજનોમાં મમતા ન રાખવી વગેરે આજ્ઞાઓ મહારાજે શિક્ષાપત્રીમા આપેલી છે.
સ્નેહને કારણે બંધન થાય તો તેને ભગવાનના ભજનમાં વિઘ્ન આવે. જેમ ભરનજીને મ્રુગલીનાં બચ્ચાથી બંધન થયું હતું. આથી ભગવાન મેળવવાનાં અણિશુદ્ધ હેતુથી ત્યાગાશ્રમ સ્વીકારનાર સાધકે ભગવાનનાં ભજનમાં જે જે અંતરાય કરે તેનો ત્યાગ કરવો જોઇએ.
5) નિર્માની વર્તમાન: મહારાજે નિર્માની ભક્તને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યા છે. થેથી સાધુઓએ ગમે તેટલી પૂજા-પ્રતિષ્ઠા થેતી હોય તો પણ બાળકની પેઠે માનરહિત વર્તવું. સાધુમાં બીજા બધા ગુણો હોય પરંતુ જો માનરૂપી દોષ હોય તો તે ગુણો ઢંકાઇ જાય. કેમકે માનમાંથી ક્રોધ અને ઇર્ષા જન્મે છે. આથી જેણે પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેણે કુળનું, ધનનું, રૂપનું કે પંડિતાઇનું-કોઇ પ્રકારનું માન રાખવું નહી. માનથી મત્સર, ગર્વ, દંભ, નિર્દયતા અગેરે અસાધુના લક્ષણો ઉદભવે છે. અથી આ દોષથી સાવધ રહેવા મહારાજે સાધુઓને ત્યાં સુધી આજ્ઞા આપી છે કે કોઇ દુષ્ટજન ગાળ દે કે મારે તે સહન કરવું પણ સામી ગાળ ન દેવી કે મારવો નહિ. એટલું જ નહિ પણ તેનું ખરાબ થાય તેવો સંકલ્પ પણ ન કરવો.
આ રીતે આ સંપ્રદાયમાં પંચવર્તમાનધારી ત્યાગીવર્ગ આધારશિલા રૂપ છે. આ સંપ્રદાય થોડા સમયમાં ફૂલીફાલીને મોટા વટવ્રુક્ષ સમાન બન્યો તેનું શ્રેય બહુધા આવા નિયમધારી સંતોનાં ચારિત્ર્યને જાય છે. આ નિયમો કોઇપણ કક્ષાના સાધુએ પાળવાના છે. કેટલાક આત્મજ્ઞાન કે ભક્તિના ઓથે આ વ્રતોને ગૌણ માને તો તે સંપ્રદાયનાં બંધારણની બહાર છે. આ પંચવર્તમાનરૂપી સંરક્ષણ હરોળને કારણે પંચવિષયથી તેનું રક્ષણ થઇ શકે તેમ છે. ગમે તેટલી ઉંચાઇએ પહોંચ્યા છતાં આ પંચવર્તમાન સાધુએ છોડવાં ન જોઇએ તે પર ભાર મૂકતાં મહારાજે વચનામ્રુતમાં કહ્યું છે કે, “ પરમાત્મા તુલ્ય સેવા કરવા યોગ્ય સત્પુરુષ હોય તો પણ તેનામાં પંચવર્તમાનની દ્ઢતા જોઇએ જ.”
ગૃહસ્થનાં પંચવર્તમાન:
1) દારૂ ન પીવો
2) ચોરી ન કરવી
3) માંસ ન ખાવું
4) વ્યભિચાર ન કરવો
5) વટલવું નહી કે વટલાવવું નહીં.
[ફેરફાર કરો] સંપ્રદાયના શાસ્ત્રો
- શિક્ષાપત્રી
- વચનામૃત
- સત્સંગીજીવન
- ભક્તચિંતામણી
- સત્સંગીભૂષણ
- શ્રી હરિદિગ્વિજય
મહારાજે સંપ્રદાયની પુષ્ટિ અને વ્રુદ્ધિ માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્રોને ખૂબ જ મહત્વ આપ્યું છે.
શિક્ષાપત્રી:
ભગવાન શ્રી હરિએ સ્વયં સંવત્ 1882 મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી. એ દ્રષ્ટિએ એ શ્રુતિરૂપ છે. માનવજીવનનાં આદર્શ, આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો તેમાં નિર્દેશ છે.
શિક્ષાપત્રી એટલે વ્યવહારને ને સંસારને પરિશુદ્ધની નિત્ય નિયમાવલી. શિક્ષાપત્રી એટલે ઐહિક અને પારલૈકિક શ્રેય સાધવા જીવને પરબ્રહ્મ પુરુષોત્તમે બતાવેલો માર્ગ. ભગવાન શ્રી સ્વામિનારાયણે “અમારી વાણી એ જ અમારું સ્વરૂપ છે” એમ કહી પોતાના અનુયાયીઓને શિક્ષાપત્રીને અનુસરવાનો આદેશ આપ્યો છે.
શિક્ષાપત્રીમાં તત્વજ્ઞાનનાં રહસ્યોની ચર્ચા નથી પરંતુ મનુષ્યને પોતાના ઐહિક અને આધ્યાત્મિક બન્ને જીવનનો મેળ બેસાડી ઉન્નત થવું હોય તો શિક્ષાપત્રી દીવાદાંડી સમાન છે. તેને સામાન્ય જનસુલભ બનાવીને સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉપેક્ષિત જેવા સામાન્ય લોકોને ઉંચા ઉઠવાની નિસરણી આપી છે.
શિક્ષાપત્રીમાં સ્વધર્મ અને સ્થાન ધર્મને મહત્વનો નો ગણ્યો છે. જે વ્યક્તિ જ્યાં છે ત્યાં તેણે પોતની ભૂમિકા યોગ્ય રીતે નિભાવવી જોઇએ. પછી તે ગૃહસ્થ હોય કે આચાર્ય; સાધુ હોય કે બ્રહ્મચારી; સ્ત્રી હોય કે પુરુષ- તે દરેકની જીવનરીતિ સમાન ન હોઇ શકે. દરેકને પોતાનું વિશિષ્ટ કર્તવ્ય બજાવવાનું રહે છે. તે એવી રીતે બજાવવું જોઇએ કે જેથી લોક વ્યવહાર સરળ અને શુદ્ધ રહે અને સાથે સાથે અધ્યાત્મ જીવન ઉન્નત બને.
સંપ્રદાયમાં શિક્ષાપત્રીનાં આદેશો સર્વોચ્ચ સ્થાને છે, તે એટલે સુધી કે જે આ આદેશો પ્રમાણે ન વર્તતા હોય તેને આ સંપ્રદાયથી બાહેર ગણવાનું સ્વયં મહારાજે કહ્યું છે.
વચનામૃત
વચનામૃતમાં જુદાં જુદાં સ્થળે અને સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમનાંઅનુયાયીઓની સભામં જે જ્ઞાનચર્ચા કરી અધ્યાત્મનાં રહસ્યો પ્રગટ કર્યાં છે, તે તેમની વાણીનો સંગ્રહ છે. લોકભોગ્ય ભાષામાં સંગ્રહાયેલાં તેમનાં આ વચનો ખરેખર સંપ્રદાયનો કીંમતી રત્નભંડાર છે. તેમાં પ્રશ્નોત્તર શૈલી અપનાવીને મહારાજે ઊંડા અધ્યાત્મ રહસ્યોનું ઉદ્ ઘાટન કરેલું છે.
વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસર છે. દરેક વચનામૃતની પહેલાં થોડા શબ્દોમાં મહારાજ ક્યાં, કેવી રીતે, કેવા પોષાકમાં બિરાજ્યા છે તથા સભામાં કોણ છે તેનું શબ્દ ચિત્ર આપવામાં આવેલું છે જેથે વાચકને તેમના ધ્યેય સ્વરૂપની જાણ થાય તેમ જ તેમની ઉપસ્થિતિ અને અત્યારે જ તેઓ બોલે છે તેવો ભાવ જાગે તે મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. અચનામૃતોની સંખ્યા ઘણી મોટી હોવાનો સંભવ છે કેમકે મહારાજ સતત ફરતા અને ઉપદેશ આપતા. પરંતુ તેમાંથી 262 ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય આ ચાર મોટા સદ્ ગુરુઓએ કરેલું છે: મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી.
સત્સંગિજીવન
સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં ( જેને પ્રકરણ નામ અપાયા છે.) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતાં પ્રથમ નંબરનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. વળી, આ ગ્રંથ ભગવાન શ્રી હરિએ પોતાની હયાતિ અને પોતાના માર્ગદર્શન હેઠળ લખાવેલ હોઇ તેની પ્રમાણભૂતતા ઓર વધી જાય છે.
ભક્તચિંતામણી
સંપ્રદાયનું સાહિત્ય જો સંસ્કૃતમાં જ હોય તો તે સામાન્ય જનની પહોંચ બહાર બની જાય. તેથી ભગવાન શ્રી હરીએ નિષ્કુળાનંદ સ્વામીને લોકભોગ્ય ભાષામાં સત્સંગી-જીવન જેવો ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સરળ ગુજરાતી પદ્યમાં રચાયેલ આ ગ્રંથ સંપ્રદાયમાં અત્યંત પ્રિય છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું સંપુર્ણ જીવનવૃતાંત તથા તેમનું વિચરણ સરળ અને ભાવવાહી શૈલીમાં હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે.
સત્સંગિભૂષણ
વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગીજીવન ધર્મપ્રધાન હોઇને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગીભુષણ ભક્તિપ્રધાન હોઇને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે.
શ્રી હરિદિગ્વિજય
ભગવાન સ્વામિનારાયણનાં પરમહંસ શિષ્યોમાં વિદ્વતા માટે પ્રસિદ્ધ સદ ગુરુ નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્ત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે.
આચાર્યો
ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા અને વ્યાપ મર્યાદિત હતો. પરંતું ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયનાં સુત્રો હાથમાં લીધા પછી ટુંક સમયમાં જ આ સંપ્રદાય લોકશુદ્ધિનું એક પ્રબળ પરિબળ બની ગયો. આ બ્રુહદ સંપ્રદાયની જવાબદારી ઉત્તરોત્તર ભવિષ્યમાં જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હતુ. સંપ્રદાયનાં વિશાળ ગૃહસ્થ તેમજ ત્યાગી અનુયાયી વર્ગનો પૂજ્યભાવ સંપ્રદાયની ધુરા વહન કરનાર પ્રત્યે હોવો તે પ્રથમ આવશ્યકતા હતી. આ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રથમ ત્યાગી વર્ગમાંથી કોઇ આ સ્થાન સંભાળે એ વિકલ્પ તપાસી જોયો. પરંતુ, સંપ્રદાયની અને તેને સંલગ્ન અનેકવિધ આર્થિક પ્રવ્રુત્તિઓ અને મિલકતોની જવાબદારી ત્યાગીને સોંપવામાં બે ભયસ્થાનો હતા:
1) મંદિરોની પળોજણમાં વ્યસ્ત રહેવાને કારણે ત્યાગીઓ તેમના નિયમો જાલવી ન શકે. 2). જો ત્યાગીના નિયમોને પ્રધાનપણે રાખીને રહે તો મંદિરની વ્યવસ્થા મમત્વ રહિત પણે કરીને કેમ જળવાય?
આમ ત્યાગી કરતાં ગૃહસ્થ આચાર્યની યોજના જ વ્યવહારું હતી. વળી આચાર્યમાં સંપ્રદાયનાં તમામ ત્યાગી-ગૃહી અનુયાયીઓનો નિષ્ઠાયુક્ત આદર હોવો અનિવાર્ય છે. આથી મોટા સંતો સાથે વિચાર-વિમર્શ કરી આચાર્યપણાની ગાદી માટે ગૃહસ્થ આચાર્યની યોજના પસંદ કરી અને તેમાં પણ પોતાના જ કુળમાંથી (જે ધર્મકુળ કહેવાતું કેમકે તેમના પિતા હરિપ્રસાદજી ધર્મદેવ તરીકે ઓળખાતા) આચાર્યની પસંદગી કરવાથી સંપ્રદાયના અનુયાયીઓની નિષ્ઠા તેમના પ્રત્યે જળવાઇ રહે તેમ હતું. આ યોજના અનુસાર ભગવાન શ્રી સ્વામિનારાયણે સં. 1882 (ઇ.સ.1826) ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઇ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઇ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઇ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્ત્ર અને દક્ષિણ એ રીંત બે દેશ- વિભાગો કર્યા. તે મુજબ રઘુવીરજી લક્ષ્મીનારાયણ દેશના અને અયોધ્યાપ્રસાદજી નરનારાયણ દેશના આચાર્ય નક્કી થયા.
બંને આચાર્યો વચ્ચે ત્યાગી અને ગૃહસ્થ અનુયાયી સંબંધમાં, સીમા સંબંધમાં કે મિલ્કત સંબંધમાં ભવિષ્યમાં કલેશ ન થય તે હેતુથી બંને ગાદીના આચાર્યના પ્રદેશ વિસ્તાર, આર્થિક હકુમતો અગેરે લિખ કરીને વહેંચી આપ્યા જેને દેશ વિભાગનો લેખ કહે છે.
આ બધી બાબતોમાં આચાર્યપદ માટેની મૂળભૂત લાયકાત ભગવાન શ્રી સ્વામિનારાયણે ધર્મમાં અપ્રમાદ ગણાવેલ છે. ધર્મની ગાદી પર બેસીને જે પ્રમાદ રાખે તે ધર્મની ગાદી પર રહેવાને લાયક નથી. જ્યાં ધન હોય ત્યાં પ્રમાદ રહે છે અને ગાદી માત્ર કહેવા પૂરતી રહી જાય છે. થેથી આચાર્ય જ્યાં સુધી અમે(ભગવાન શ્રી સ્વામિનારાયણે) કહેલા નિયમોમાં વર્તે ત્યાં સુધી જ માનવા યોગ્ય છે. આમ આચાર્યથી પણ વડી ધર્મની સ્ત્તા છે અને તે પ્રમાણે ન વર્તનાર આચાર્ય પદે હોય તો તેને સંત્સંગીઓ દૂર કરી શકે તેવી લોકશાહી યોક્ત જાગ્રુત પ્રણાલિકા આ સંપ્રદાયની આગવી વિશિષ્ટતા છે.
