હરીન્દ્ર દવે
વિકિપીડિયા થી
હરીન્દ્ર જયંતીલાલ દવે (જન્મ: ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૦, ખંભરા (કચ્છ) ખાતે, મૃત્યુ: ૨૯ માર્ચ ૧૯૯૫ (મુંબઇ)) એક જાણીતાં અનુવાદક, કવિ, ધાર્મિક લેખક, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક છે. વ્યવસાયે તેઓ પત્રકાર હતાં અને તેમને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ‘હયાતી’ માટે એવૉર્ડ આપવામાં આવેલ હતો. તેમનું સાહિત્ય સર્જન નીચે પ્રમાણે છે.
- કવિતા - આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે (સમગ્ર કવિતાનો સંગ્રહ)
- નવલકથા - અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધી ની કાવડ.
- નાટક - યુગ યુગ, સંધ્યાકાળે પ્રભાતફેરી
- વિવેચન - દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ, વિવેચનની ક્ષણો , કલમની પાંખે.
- નિબંધ - નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા
- સંપાદન - મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક
- ધર્મ - સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા
- અનુવાદ - પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવા અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ
- અંગ્રેજી - The Cup Of Love.