હિતોપદેશ
વિકિપીડિયા થી
હિતોપદેશ ભારતીય જન- માનસ તથા પરિવેશ થી પ્રભાવિત ઉપદેશાત્મક કથાઓ છે. હિતોપદેશ ની કથાઓ અત્યંત સરલ અને સુગ્રાહ્ય છે. વિભિન્ન પશુ- પક્ષિયો પર આધારિત કથાઓ તેની ખાસ-વિશેષતા છે. રચયિતાએ આ પશુ-પક્ષિયો ના માધ્યમ થી કથાશિલ્પ ની રચના કરી છે. જેની સમાપ્તિ કોઇ બોધજનક વાતથી થાય છે. પશુઓ ને નીતિ ની વાતો કરતા દેખાડેલ છે. બધી કથાઓ એક-બિજા સાથે સંકળાયેલ જણાય છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] રચયિતા
હિતોપદેશ ના રચયિતા નારાયણ પંડિત છે. પુસ્તક નાં અંતિમ પદ્યોં ના આધાર પર આના રચયિતા નું નામ "નારાયણ જણાય છે.
નારાયણેન પ્રચરતુ રચિતઃ સંગ્રહોsયં કથાનામ્
પંડિત નારાયણે પંચતંત્ર તથા અન્ય નીતિ ગ્રંથોં ની મદદ થી હિતોપદેશ નામના આ ગ્રંથ ની રચના કરી. સ્વયં પં. નારાયણજી એ સ્વીકાર કર્યો છે--
પંચતંત્રાન્તથાડન્યસ્માદ્ ગ્રંથાદાકૃષ્ય લિખ્યતે|
તેમના આશ્રયદાતા નું નામ ધવલચંદ્રજી છે. ધવલચંદ્રજી બંગાલ ના ચક્રવર્તી રાજા હતા તથા નારાયણ પંડિત રાજા ધવલચંદ્રજી ના રાજકવિ હતા. મંગલાચરણ તથા સમાપ્તિ શ્લોક થી નારાયણ ની શિવ માં વિશેષ આસ્થા જણાય છે.
[ફેરફાર કરો] રચના કાળ
નીતિકથાઓ માં પંચતંત્ર નું સ્થાન પ્રથમ છે. વિભિન્ન ઉપલબ્ધ અનુવાદો ના આધારે તેની રચના ત્રિજી શતાબ્દી આસ-પાસ થયેલ જણાય છે. હિતોપદેશ ની રચના નો આધાર પંચતંત્ર જ છે.
કથાઓ થી પ્રાપ્ત માહિતી ના વિશ્લેષણ ને આધારે ડૉ.ફ્લીટનું માનવું છે કે આની રચના ૧૧ મી શતાબ્દી આસ-પાસ થયેલ હોવી જોઇએ. હિતોપદેશ ની નેપાલી હસ્તપ્રત ૧૩૭૩ ઈ.સ.ની પ્રાપ્ત છે. વાચસ્પતિ ગૈરોલાજી એ આનો રચનાકાલ ૧૪ મી સદીની આસપાસ ગણાવેલ છે.
હિતોપદેશ ની કથાઓ માં અર્બુદાચલ (આબૂ), પાટલિપુત્ર, ઉજ્જયિની, માલવા, હસ્તિનાપુર, કાન્યકુબ્જ (કન્નૌજ), વારાણસી, મગધદેશ, કલિંગદેશ આદિ સ્થાનો નો ઉલ્લેખ છે, જેમાં રચયિતા તથા રચના ની ઉદગમભૂમિ આ શ્થાનોથી પ્રભાવિત જણાય છે.
[ફેરફાર કરો] હિતોપદેશ ના ચાર ભાગ
હિતોપદેશ ની કથાઓ ને આ ચાર ભાગો માં વિભાજીત કરેલ છે. --
મિત્રલાભ
સુહદ ભેદ
વિગ્રહ
સંધિ
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- હિતોપદેશ - ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર
- ઇ॰ અર્નાલ્ડ દ્વારા અંગ્રેજી માં અનુવાદિત હિતોપદેશ