અંધેશ્વર મહાદેવ (અમલસાડ)

વિકિપીડિયામાંથી
અંધેશ્વર મહાદેવ
—  ગામ  —
અંધેશ્વર મહાદેવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
અંધેશ્વર મહાદેવ મંદિર, અમલસાડ
અંધેશ્વર મહાદેવ મંદિર-પ્રવેશદ્વાર, અમલસાડ

અંધેશ્વર મહાદેવ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના ચીકુના ઉત્પાદન માટે જાણીતા એવા અમલસાડ ખાતે આવેલ એક ઐતિહાસીક તેમ જ ભવ્ય મંદિર છે[૧]. આ મંદિર અમલસાડ ગામની ઉત્તર દિશામાં જતા રેલ્વે માર્ગ તેમ જ નવસારી જતા રાજ્ય ધોરી માર્ગ પર એક કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલું છે, જે તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે[૨].

ઇતિહાસ[ફેરફાર કરો]

ઘણાં વર્ષો પહેલાં અમલસાડ ગામમાં એક વણઝારો રહેતો હતો. આ વણઝારો જુના પુરાણા શીવલીંગની પુજા કરતો હતો. બ્રિટિશ શાસન દ્વારા ત્યાંથી રેલ્વે લાઇન બનાવવાનું કાર્ય થતાં શીવલીંગને ખસેડીને ત્યાંથી બીજી જગ્યાએ પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કર્યા હતા. આ દરમિયાન રેલ્વેના મજુરો આ જગ્યાએ ખોદકામ કરવા જતાં હતા ત્યારે તેમાનાં કેટલાંક મજુરો આંધળા થઇ ગયા હતા. જેને કારણે આ શીવલીંગનું સ્થાનક અંધેશ્વર મહાદેવનું મંદિર તરીકે પ્રચલિત થયેલું છે. આ ધાર્મિક સ્‍થળ ખાતે વર્ષો પુરાણું સ્‍વંયભૂ શિવલીંગ આવેલું છે[૧].

જીર્ણોધ્‍ધાર[ફેરફાર કરો]

હાલમાં આ સ્થળનો જીર્ણોધ્‍ધાર કરી અતિ ભવ્‍ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. આ વિશાળ સ્‍થાનમાં દેવી - દેવતાઓની આરસની મૂર્તિ મુકવામાં આવેલ છે. મંદિરના સંકુલમાં બાળકો માટે બાગ, રમતગમતનાં સાધનો, લગ્‍ન ઉત્‍સવ કે અન્ય કાર્યક્રમ માટેનું ભવન તેમ જ પાર્ટી પ્‍લોટ ધરાવતું સુંદર નયનરમ્‍ય સ્‍થાન છે. આ મંદિર ખાતે શીવરાત્રી તેમજ દિવાળી પર મેળો ભરાય છે.

સ્થળ પર પહોચવા માટે[ફેરફાર કરો]

અમલસાડ પહોંચવા માટે બીલીમોરા રેલ્‍વે સ્‍ટેશનથી લોકલ ટ્રેન દ્વારા તેમજ બીલીમોરા બસ સ્‍ટેશનથી લોકલ બસ દ્વારા અમલસાડ પહોંચી શકાય છે. આ સિવાય રિક્ષા તેમજ ખાનગી વાહનમાં પણ જઈ શકાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "અંધેશ્વર મહાદેવ મંદિર". ગણદેવી તાલુકા પંચાયત. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮.
  2. "ગુજરાતનાં 21 શિવમંદિરોનાં દર્શન". મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]