અભાપુર (તા. વિજયનગર)

વિકિપીડિયામાંથી
અભાપુર
—  ગામ  —
અભાપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°00′20″N 73°21′38″E / 24.005591°N 73.360554°E / 24.005591; 73.360554
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો વિજયનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

અભાપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા વિજયનગર તાલુકામાં આવેલું એક ગામ છે. અભાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

આ ગામ પોળોના જંગલની નજીક આવેલું છે. આ ગામની હદમાં શરણેશ્વર મહાદેવ મંદિરના અવશેષો મળી આવ્યા છે. જેને રાજ્ય સંરક્ષિત સ્મારક ‍(S-GJ-350) તરીકે જાહેર કરાયેલા છે.[૧] અહીં ૨૦૧૫થી પોળો ઉત્સવ ઉજવવામાં આવે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સાબરકાંઠા જીલ્લાના સ્મારકો". મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "દર શિયાળામાં અભાપુરમાં પોળો ઉત્સવ ઉજવાશે". ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૫. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]