જવાહર નગર
જવાહર નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યની સરહદે આવેલા કચ્છ જિલ્લાનાં ભુજ તાલુકાનું ગામ છે.
નામનો ઇતિહાસ[ફેરફાર કરો]
ઇ.સ. ૧૯૫૬ પહેલા જવાહર નગર, ઝુરણ તરીકે ઓળખાતું હતું. ૧૯૫૬માં કરછના ધરતીકંપ વખતે આ ગામમાં મોટી જાનહાની થતાં તમામ મકાનો ધ્વંશ થઇ ગયાં હતાં. ત્યારે, ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ આ ગામની પાયાવિધી કરીને તેનુ પુન:નિર્માણ કરતા તે ઝુરણમાંથી જવાહર નગર બન્યું. ત્યાર બાદ કરછમાં આવેલા ૨૦૦૧ના વિનાશકારી ભુકંપમાં પણ આ ગામે ખુબજ તારાજી ભોગવી હતી.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |