બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ

વિકિપીડિયામાંથી

બાપુસાહેબ ગાયકવાડ (૧૭૭૯-૧૮૪૩) ગુજરાતી કવિ હતા. એમણે ભક્ત કવિ ધીરા ભગતને પોતાના ગુરુ માની અનેક ભક્તિ પદોની રચના કરી હતી. એમના સમયમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન માટે તેઓ જાણીતા હતા.

એમનો જન્મ સંવત ૧૮૩૫ (ઇ.સ. ૧૭૭૯)માં થયો હતો. તેઓ વડોદરા જિલ્લામાં આવેલા સાવલી નજીક આવેલ ગોઠડા ગામના જાગીરદાર હતા. વડોદરા શહેરમાં મહમદવાડી વિસ્તારમાં મોટી વહોરવાડ ખાતે તેમનો નિવાસ હતો. એમના પિતા યશવંતરાય ગાયકવાડને બે પત્ની હતી. એક મરાઠી અને બીજી રજપૂતાણી. એમનો રજપૂતાણીમાતાની કુખે જન્મ થયો હતો. એમના ત્રણ પુત્રો હતા : દોલતરાવ, પ્રતાપરાવ અને શિવરાવ.

જીવનના ઉત્તરાર્ધમાં દળિયા કણબીઓના ગુરૂ દેયાણના નીરાંત ભગતને પણ ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા.

સર્જન[ફેરફાર કરો]

બાપુસાહેબ બ્રહ્મજ્ઞાની હતા. તેમણે શાંતરસની અનેક કવિતાઓ રચી છે. એમણે જ્ઞાનોપદેશ, બ્રાહ્મણશુદ્રભેદ, ધર્મવેશનાં અંગ, બ્રહ્મજ્ઞાનના પદ, જ્ઞાન ભક્તિ વગેરે વિષયો પર અનેક પદ રચ્યા છે. અન્ય રચનાઓમાં મહિના, પરજિયા, જ્ઞાનોપદેશની કાફી, સિદ્ધિમંડન વગેરેનો સમાવેશ થાય છે. તેમની રચના ‘રામરાજિયો’ આજે પણ મરણ પશ્ચાત ગવાય છે.

અવસાન[ફેરફાર કરો]

એમનું અવસાન આસો સુદ ૧૧, સંવત ૧૮૯૯ (ઇ.સ. ૧૮૪૩)ના દિવસે થયું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]