શ્રીનિવાસ રામાનુજન

વિકિપીડિયામાંથી
શ્રીનિવાસ રામાનુજન
જન્મની વિગત(1887-12-22)22 December 1887
ઇરોડ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ, (હવે, તમિલનાડુ, ભારત)
મૃત્યુ26 April 1920(1920-04-26) (ઉંમર 32)
કુંભકોણમ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ, (હવે, તમિલનાડુ, ભારત)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાગવર્મેન્ટ આર્ટસ કોલેજ, કુંભકોણમ (કોઇ પદવી નહી)
પચૈયપ્પા કોલેજ (કોઇ પદવી નહી)
ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ (બી.એસસી., ૧૯૧૬)
પ્રખ્યાત કાર્યલેન્ડાઉ-રામાનુજન અચળ
મોક થીટા વિધેયો
રામાનુજન પ્રમેયો
રામાનુજનનો પ્રાઇમ
રામાનુજન–સોલ્ડનર અચળ
રામાનુજન થીટા વિધેયો
રામાનુજનના દાખલા
રોજર્સ–રામાનુજન ઓળખો
રામાનુજનનો માસ્ટર પ્રમેય
પુરસ્કારોરોયલ સોસાયટી ફેલો
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રગણિત
કાર્ય સંસ્થાઓટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ
શોધનિબંધહાઇલી કોમ્પોઝિટ નંબર્સ (૧૯૧૬)
શૈક્ષણિક સલાહકારોગોડફ્રી હાર્ડી
જે.ઇ. લીટ્ટલવુડ
પ્રભાવજી. એસ. કાર્ર
પ્રભાવિતગોડફ્રી હાર્ડી
હસ્તાક્ષર
શ્રીનિવાસ રામાનુજન હસ્તાક્ષર
રામાનુજનનું જન્મ સ્થળ, ૧૮ અલાહીરી શેરી, ઇરોડ

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન (તમિળ: ஸ்ரீனிவாஸ ஐயங்கார் ராமானுஜன்; ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦)[૧] ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. નાનપણથી જ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩૯૦૦ જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, "ગણિતનુ જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે."[૨]

૨૨ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ તેમની ૧૨૫મી જન્મતિથિ ઉજવવામાં આવી હતી. અને હવે ૨૦૨૧ માં ૧૩૪મી જન્મતિથિ ઉજવામાં આવશે.

સન્માન[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ગણિત દિવસ અને રામાનુજન
ટપાલ ટિકિટ પર રામાનુજન (૨૦૧૧)

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨માં રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kanigel, Robert. "Ramanujan, Srinivasa". Oxford Dictionary of National Biography (online આવૃત્તિ). Oxford University Press. doi:10.1093/ref:odnb/51582. (Subscription or UK public library membership required.)
  2. "The Man Who Knew Infinity", (1991), Kanigel, Robert, page 7 of Prologue
  3. જૈન, માણિક (૨૦૧૮). ફિલા ઇન્ડિયા ગાઈડ બુક. ફિલાટેલીઆ. પૃષ્ઠ ૨૩૪ & ૨૩૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]