સંજાણ

વિકિપીડિયામાંથી
સંજાણ
—  ગામ  —
સંજાણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°10′26″N 72°45′50″E / 20.173812°N 72.763966°E / 20.173812; 72.763966
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ઉમરગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર

સંજાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ઉમરગામ તાલુકામાં આવેલું ગામ છે. સંજાણ ગામમાં ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

હાલ ભારત દેશમાં વસતા પારસી લોકો ઇરાનથી આવ્યા તે વખતે સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા.[૧] એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દુધના પ્યાલામાં સાકર ભેળવી, પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા સમજાવ્યા હતા.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભારત દેશમાં વસતા પારસી લોકો ઇરાનથી આવ્યા તે વખતે સૌ પ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા". ગુજરાત પર્યટન વિકાસ નિગમ. મૂળ માંથી 2011-10-19 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર ૦૮, ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]