લખાણ પર જાઓ

અક્ષયપાત્ર

વિકિપીડિયામાંથી

અક્ષય પાત્ર (સંસ્કૃત: अक्षयपात्र, શાબ્દિક અર્થ 'અખૂટ પાત્ર') એ હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં દર્શાવવામાં આવેલું એક સુપ્રસિદ્ધ તાંબાનું પાત્ર છે. તે સૂર્ય દેવ દ્વારા યુધિષ્ઠિરને આપવામાં આવેલું એક દૈવી પાત્ર છે, જે પાંડવોને દરરોજ ભોજન પૂરું પાડતું હતું.[]

દ્રૌપદીને દિવ્ય પાત્ર અર્પણ કરતા કૃષ્ણ

દંતકથા

[ફેરફાર કરો]

પાંડવોના વનવાસ દરમિયાન ઘણી ગણમાન્ય વ્યક્તિઓ, ઋષિઓ, રાજાઓ અને મંત્રીઓ તેમની મુલાકાત લેતા હતા. તેઓ પાંડવો સાથે સમગ્ર ઘટનાક્રમની ચર્ચા કરતા અને તેમનું સમર્થન અને સમર્પણ દર્શાવતા. દ્રૌપદીને આ અસંખ્ય મહેમાનોનું પરંપરાગત આતિથ્ય કરવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું કારણ કે પાંડવો વનવાસમાં નિરાધાર હતા અને જંગલમાં રહેતા હતા જ્યાં કંઈ ઉપલબ્ધ નહોતું. યુધિષ્ઠિરે સૂર્ય દેવને પ્રાર્થના કરી, જેમણે તેમને અક્ષય પાત્રનો આશીર્વાદ આપ્યો.[] અન્ય સંસ્કરણમાં અલગ કથાનો ઉલ્લેખ છે, જેમાં દ્રૌપદીએ કૃષ્ણને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. દ્રૌપદીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને, કૃષ્ણએ તેણીને અક્ષય પાત્ર પ્રદાન કર્યું, જે એક એવું પાત્ર છે જે દ્રૌપદી પોતે પોતાનું ભોજન સમાપ્ત કરે ત્યાં સુધી દરરોજ અસીમિત ભોજન પૂરું પાડે છે.

પાંડવોના વનવાસ દરમિયાન, ઋષિ દુર્વાસા અને તેમના ઘણા શિષ્યો હસ્તિનાપુર પહોંચ્યા. દુર્યોધન, તેના મામા શકુનિ સાથે ઋષિને પ્રસન્ન કરવામાં સફળ રહ્યો. દુર્વાસાએ ખુશ થઈને તેને વરદાન આપ્યું. જોકે, દુર્યોધન મનથી એવું ઈચ્છતો હતો કે દુર્વાસા ક્રોધિત થઈને પાંડવોને શાપ આપે, તેથી તેણે ઋષિને વનમાં તેના પિતરાઈ ભાઈઓને મળવા કહ્યું, કારણ કે તે જાણતો હતો કે પાંડવો પાસે તેમને જમાડવા માટે કંઈ નહીં હોય.[][]

દ્રૌપદી સમક્ષ અક્ષય પત્રમાંથી ભોજન કરતા કૃષ્ણ - ભારતીય પ્રિન્ટ ૧૯૪૮

દુર્યોધનની વિનંતી મુજબ, દુર્વાસા અને તેમના શિષ્યો પાંડવોને જંગલમાં તેમના આશ્રમમાં મળવા ગયા. આ વનવાસ દરમિયાન, પાંડવો અક્ષય પાત્ર દ્વારા પોતાનું ભોજન મેળવતા હતા, જે દ્રૌપદી ભોજન પૂર્ણ કરે ત્યાં સુધી ભોજન પૂરું પાડતું હતું. દુર્વાસા તે દિવસે પધાર્યા ત્યાં સુધીમાં દ્રૌપદી ભોજન કરી ચૂકી હતી, તેથી તેમને પીરસવા માટે કોઈ ભોજન બચ્યું ન હતું, અને પાંડવો ખૂબ જ ચિંતિત હતા કે જો તેઓ આવા આદરણીય ઋષિને ભોજન ન કરાવી શક્યા તો તેમના ભાગ્યનું શું થશે. જ્યારે દુર્વાસા અને તેમના શિષ્યો નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને મદદ માટે પ્રાર્થના કરી. કૃષ્ણ તરત જ દ્રૌપદી સમક્ષ હાજર થયા અને કહ્યું કે તેમને ખૂબ ભૂખ લાગી છે, અને તેમણે તેણીની પાસે ભોજનની માંગણી કરી. દ્રૌપદી ગુસ્સે થઈ ગઈ, અને કહ્યું કે તેમણે કૃષ્ણને પ્રાર્થના એટલા માટે કરી હતી કારણ કે તેણીની પાસે દુર્વાસા ઋષિને આપવા માટે કોઈ ભોજન બચ્યું ન હતું. ત્યારબાદ કૃષ્ણએ તેણીને અક્ષય પત્ર લાવવા જણાવ્યું. જ્યારે તેણીની પાત્ર લઈને ઉપસ્થિત થઈ ત્યારે કૃષ્ણએ ભાતનો એક દાણો અને વાસણમાં ચોંટેલી શાકભાજીનો ટુકડો આરોગ્યો અને ઘોષણા કરી કે તે "ભોજન" થી તૃપ્ત થયા છે. આનાથી દુર્વાસા અને તેમના શિષ્યોની ભૂખ પણ તૃપ્ત થઈ ગઈ, કારણ કે કૃષ્ણ (જેને અહીં સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી રહેલા પરમ આત્મા તરીકે દર્શાવવામાં આવ્યા છે) ના સંતોષનો અર્થ બધા જીવોની ભૂખ તૃપ્તિ થાય છે. કૃષ્ણના આશિર્વાદથી તૃપ્ત ઋષિ દુર્વાસા અને તેમના શિષ્યો સ્નાન પૂર્ણ કરીને, પાંડવોના આશ્રમમાં પરત ફરવાને બદલે ચૂપચાપ ચાલ્યા ગયા. તેમને ડર હતો કે પાંડવો દ્વારા પીરસેલું ભોજન ગ્રહણ ન કરી શકવાના અશિષ્ટ વ્યવહારથી પાંડવોની પ્રતિક્રિયાનો તેમને સામનો કરવો પડશે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Hiltebeitel, Alf (1991). The Cult of Draupadī: Mythologies: from Gingee to Kurukṣetra (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publishers. p. 288. ISBN 978-81-208-1000-6.
  2. "Puranic encyclopaedia : A comprehensive dictionary with special reference to the epic and Puranic literature". 1975.
  3. 1 2 "The Mahabharata, Book 3: Vana Parva: Draupadi-harana Parva: Section CCLXI". www.sacred-texts.com. મેળવેલ 2021-06-03. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. "Mahabharata story: Durvasa Muni and cooking pot of Draupadi! | Bhagavatam-katha" (અંગ્રેજીમાં). મેળવેલ 2020-09-05. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  5. Gopal, Madan (1990). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 65.