અગ્નિમિત્ર
દેખાવ
અગ્નિમિત્ર (સંસ્કૃત: अग्निमित्रः; ઇ.સ.પૂર્વે ૧૪૯ - ૧૪૧) બીજા શૃંગ સમ્રાટ હતા જેમણે હાલના ઉત્તર અને મધ્ય ભારત પર શાસન કર્યું. તેમણે ઇસ પૂર્વે ૧૪૯માં તેમના પિતા સમ્રાટ પુષ્યમિત્ર શૃંગના સ્થાને ગાદી સંભાળી. વાયુ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં તેમના શાસનનો સમયગાળો ૮ વર્ષનો વર્ણવ્યો છે.
તેઓ મહાકવિ કાલિદાસ રચિત માલવીકાગ્નીમિત્ર નાટકના નાયક છે. આ નાટકમાં અગ્નિમિત્ર અને વિદર્ભની રાજકુમારી માલવિકાની પ્રેમકથા તથા રતિક્રીડાઓનું સુંદર વર્ણન છે.
માલવિકાગ્નિમિત્ર નાટક આપણને તેમની ત્રણ પત્નીઓ (રાણીઓ)ના નામ આપે છે: ધારિણી (ચોથા શુંગ સમ્રાટ વસુમિત્રની માતા), ઇરાવતી અને માલવિકા (વિદર્ભની રાજકુમારી).
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |