લખાણ પર જાઓ

અજમેરસિંહ ઔલખ

વિકિપીડિયામાંથી
અજમેરસિંહ ઔલખ

અજમેરસિંહ ઔલખ (૧૯ ઑગસ્ટ ૧૯૪૨ - ૧૫ જૂન ૨૦૧૭) ભારતીય પંજાબી નાટ્યકાર હતા. તેમને તેમની કૃતિ ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી બદલ ૨૦૦૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અજમેરસિંહ ઔલખનો જન્મ ૧૯ ઑગસ્ટ ૧૯૪૨ના રોજ પંજાબના બરનાલા જિલ્લાના કુંભરવાલ ગામમાં થયો હતો. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પંજાબના મનસામાં આવેલી નહેરુ મેમોરિયલ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ૧૯૬૫થી ૨૦૦૦ સુધી સેવાઓ આપી હતી. તેમણે ૧૯૭૨–૭૩માં લેખન શરૂ કર્યું હતું. તેઓ અંગ્રેજી અને હિંદી ભાષા પણ જાણતા હતા.[] તેમનું અવસાન ૧૫ જૂન ૨૦૧૭ના રોજ મનસા ખાતે થયું.[][]

સાહિત્ય

[ફેરફાર કરો]

તેમનો પ્રથમ એકાંકીસંગ્રહ અરબદ નરબદ ધુંદુકારા ૧૯૭૮માં પ્રગટ થયો હતો.[]

  • અરબદ નરબદ ધુંદુકારા (૧૯૭૮)
  • બાગાને બહાર દી છાન (૧૯૮૦)
  • અન્નેહ નિશાનચી (૧૯૮૩)
  • સાત બાગાને (૧૯૯૦)
  • ગાની (૧૯૯૦)

નાટ્યસંગ્રહો

[ફેરફાર કરો]

તેમનાં નાટકોમાં વાસ્તવિકતા અને સ્વાનુભવનું ચિત્રણ જોવા મળે છે. આ નાટકો અનુસૂચિત જાતિ અને ખેતમજૂરોની હાલત, અને જ્ઞાતિપ્રથાની સ્થિતિ વર્ણવે છે.[]

  • ભજ્જીયાઁ બહો (૧૯૮૮)
  • બાગાને (૧૯૮૭)
  • સલ્વાન (૧૯૯૪)
  • ઇક્ક સી દ્રિયા (૧૯૯૪)
  • જહાન દી પાની (૧૯૯૭)
  • ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી

પુરસ્કારો અને સન્માન

[ફેરફાર કરો]
  • કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૬) - તેમની કૃતિ ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહીમાટે[]
  • આંતરરાષ્ટ્રીય પંજાબી લેખક સંઘ, કૅનેડા દ્વારા શિરોમણિ સાહિત્યકાર સન્માન[]
  • આલમી પંજાબી કૉન્ફરન્સ, લાહોર દ્વારા પંજાબી નાટક સન્માન[]
  • પંજાબ સરકારના ભાષાવિભાગ દ્વારા શિરોમણિ પંજાબી નાટકકાર સન્માન[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 6 7 8 કનીજિયા, બળદેવભાઈ (January 2006). "ઔલખ, અજમેરસિંહ". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2025-08-12. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "Eminent Punjabi writer Ajmer Singh Aulakh passes away at his Mansa house". The Tribune (અંગ્રેજીમાં). મેળવેલ 2025-08-12. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]